શું સંદેશ હેલ્ધી મીઠાઈ છે? જાણો એક્સપર્ટ શું કહે છે?

બંગાળી મીઠાઈ સંદેશ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ માંથી એક છે. અહીં જાણો આ મીઠાઈ હેલ્ધી ગણી શકાય કે નહીં, ઘરે સંદેશ બનાવની રેસીપી પણ જાણો

બંગાળી મીઠાઈ સંદેશ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ માંથી એક છે. અહીં જાણો આ મીઠાઈ હેલ્ધી ગણી શકાય કે નહીં, ઘરે સંદેશ બનાવની રેસીપી પણ જાણો

author-image
shivani chauhan
New Update
Sandesh mithai healthy sweets or not

શું સંદેશ હેલ્ધી મીઠાઈ છે? જાણો એક્સપર્ટ શું કહે છે?

મીઠાઈ કોને ન ભાવે ! મીઠાઈ ખાવાની આવે ત્યારે લોકો કેલરીની ચિંતા કર્યા વગર મીઠાઈનો આનંદ માણતા હોય છે. મોટા ભાગની મીઠાઈઓ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે હેલ્ધી ગણી ન શકાય. પરંતુ જયારે સંદેશ (Sandesh) ની વાત આવે છે ત્યારે કંઈક અલગ સ્ટોરી છે. ડાયેટિશિયન કોમલ પટેલ સ્વાસ્થ્યપ્રદ મિઠાઈ વિશે શું કહે છે? જાણો

Advertisment

પનીર દ્વારા બનેલા સંદેશમાં કેલ્શિયમ અને પ્રોટીનની હોય છે. એક્સપર્ટ કહે છે, 'તે આંતરડાના બેક્ટેરિયા વધારી શકે છે. આ મીઠાઈ ફિટનેસ માટે શ્રેષ્ઠ સાથી માનવામાં આવે છે.'

પનીર મૂળભૂત રીતે 'કેસીન' છે, જે દૂધમાં પ્રોટીનમાંથી એક છે, અને પાણી અને વિહ પ્રોટીન છે. મુંબઈના કન્સલ્ટન્ટ ક્લિનિકલ ડાયટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર પૂજા શાહએ જણાવ્યું છે કે 'કેસીન એ ફર્સ્ટ ક્લાસ પ્રોટીન છે જે શ્રેષ્ઠ ગુણવત્તાનું છે. આ ઉપરાંત, પનીર એ પ્રોટીનનો સૌર સ્ત્રોત છે, લગભગ 100 ગ્રામ પનીર સામાન્ય રીતે લગભગ 20 ગ્રામ પ્રોટીન આપે છે કારણ કે તે ભેંસના દૂધમાંથી બને છે. તેમાં ચરબીની માત્રા ઓછી અને પ્રમાણમાં ઓછા કાર્બોહાઇડ્રેટ્સ પણ છે. સંદેશ સૌથી આરોગ્યપ્રદ મીઠાઈમાંની એક છે. તે નોન-ફ્રાઈડ છે, તેમાં કોઈ રિફાઈન્ડ લોટ નથી.

આ પણ વાંચો: ડિનરમાં મેંદા અને તંદૂર વગર બનાવો ‘આટા આલુ નાન’, વાંચો ખૂબ જ સરળ રેસીપી

Advertisment

આ ઉપરાંત સંદેશ મીઠાઈને ગુલાબ જામુન અને રસગુલ્લાની જેમ ખાંડની ચાસણીમાં નાખવામાં આવતી નથી. તેથી કોઈ વ્યક્તિ તેના સ્વાદ મુજબ ઓછી ખાંડ ઉમેરી શકે છે. જો કે બહાર મળતી મીઠાઈમાં વધુ પડતી ઉમેરવામાં આવતી ખાંડએ એક કેલરીમાં વધારે હોય છે. એમાં ક્રીમ, કૃત્રિમ ફ્લેવર્સ અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવાથી સ્વાદમાં વધારો થઈ શકે છે, પરંતુ તે તેના પોષક મૂલ્યને ઘટાડે છે.

સંદેશ મીઠાઈ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેને એક્સપર્ટ ઘરે બનાવવાનું સૂચન કર્યું હતું. એક્સપર્ટ કહે છે, 'પ્રિઝર્વેટિવ્સ અને શુદ્ધ ખાંડથી મુક્ત, હોમમેઇડ સંદેશ હેલ્ધની સાથે સાથે ટેસ્ટ પણ જાળવી રાખે છે. આ મીઠાઈ ઘરે બનાવો તો એમાં કુદરતી મીઠાશ ઉમેરવી જેમ કે ફ્રુટ અથવા ડ્રાય ફ્રુટ જે સંદેશને સ્વાદથી ભરપૂર બનાવે છે, જેથી તમે ખાંડને સંપૂર્ણપણે અવોઇડ કરી શકો છો.'

છેવટે, કોઈ પણ મીઠાઈ પ્રમાણસર માત્રામાં ખાવી જોઈએ, ક્યારેક-ક્યારેક મિઠાઈ ખાવાથી તમારા એકંદર સ્વાસ્થ્યને ખલેલ પહોંચે તેવી શક્યતા હોઈ છે.અહીં ખાસ ઘરે સંદેશ બનાવાની રેસીપી શેફ નેહા દીપક શાહએ શેર કરી છે,

આ પણ વાંચો: ડાયાબિટીસ દર્દી માટે ચોખા કરતા પૌંઆ શ્રેષ્ઠ, આયર્નની ઉણપ નહીં થાય, ફાયદા જાણી ચૌંકી જશો

સામગ્રી :

  • 1.5 - દૂધ
  • 1 ચમચી - પાણી સાથે વિનેગર અથવા લીંબુનો રસ
  • 2 ચમચી - નારિયેળના દૂધનો પાવડર
  • 1 ½ ચમચી - ખાંડ/ગોળ

ફીલિંગ માટે કોઈ પણ પલ્પી ફ્રૂટ્સ લઇ શકો છો, જેમ કે કેરી, લીચી વગેરે, કોટિંગ માટે કેટલાક ડેસીકેટેડ નાળિયેર
જો તમે ઇચ્છો તો તમે સ્વાદ માટે એલિયા ચી પાવડર ઉમેરી શકો છો.
ગુલાબની પાંખડીઓ અને પિસ્તાથી સંદેશને ગાર્નિશ કરો.
તમે ગોળ અથવા ખાંડનો ઉપયોગ રેસિપીમાં કરી શકો છો.

સંદેશ રેસીપી :

  • સૌ પ્રથમ એક મોટી કડાઈમાં દૂધ ગરમ કરો, એમાં લીંબુનો રસ અથવા વિનેગર નાખો એલર્ટ દૂધ ફાટી જશે અને પનીર છૂટું પડવા લાગશે.
  • હવે ગેસ બંધ કરી આ મિશ્રણને એક કપડાંમાં નાખો અને બાકીનું બધું પાણી નિતારી લો.
  • ત્યારબાદ હવે એ પનીરના મિશ્રણને હાથ વડે મેશ કરો, એમાં કોકોનટ મિલ્ક પાઉડર, ગોળ અથવા ખાંડ ઉમેરી સારી રીતે બધું મિક્ષ કરીને કણક તૈયાર કરો.
  • હવે એમાંથી એક પેંડો લઈને ગોળ શેપ આપીને એમાં કોઈ પણ તમારું મનપસંદ પલ્પી ફ્રૂટ ભરીને ગોળ શેપ આપીને નાળિયેરના છીણથી કોટ કરો અને પિસ્તા અને ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરી સર્વ કરો.
રેસીપી જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips