શું ઉનાળાની ગરમીમાં ચા પીવી જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાંતો

Tea In Summer : ચા એ ભારતનું સૌથી લોકપ્રિય પીણું છે. કેટલાક લોકો દિવસમાં બે-ત્રણ વખત ચા પીતા હોય છે પરંતુ ઉનાળામાં ઘણા લોકો ચા પીવાનું ટાળતા હોય છે. પરંતુ શું ઉનાળામાં ચા પીવી સ્વાસ્થ્ય માટે ખરેખર સારી નથી?

Tea In Summer : ચા એ ભારતનું સૌથી લોકપ્રિય પીણું છે. કેટલાક લોકો દિવસમાં બે-ત્રણ વખત ચા પીતા હોય છે પરંતુ ઉનાળામાં ઘણા લોકો ચા પીવાનું ટાળતા હોય છે. પરંતુ શું ઉનાળામાં ચા પીવી સ્વાસ્થ્ય માટે ખરેખર સારી નથી?

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
tea in summer, tea, summer

Tea In Summer : ચા એ ભારતનું સૌથી લોકપ્રિય પીણું છે (તસવીર - ફ્રીપિક)

Tea In Summer : ચા એ ભારતનું સૌથી લોકપ્રિય પીણું છે. ભારતીયો તેમના દિવસની શરૂઆત એક કપ ચા થી કરે છે. કેટલાક લોકો દિવસમાં બે-ત્રણ વખત ચા પીતા હોય છે પરંતુ ઉનાળામાં ઘણા લોકો ચા પીવાનું ટાળતા હોય છે. કારણ કે ઉનાળામાં ચા ગરમ નથી લાગતી પણ ગરમી લાગે છે, પરંતુ શું ઉનાળામાં ચા પીવી સ્વાસ્થ્ય માટે ખરેખર સારી નથી?

Advertisment

હકીકતમાં ઉનાળાની ચા એ શરીરની પદ્ધતિઓને સમજવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ચીની ચિકિત્સા નિષ્ણાંતોએ આ વાતને સમર્થન આપ્યું છે. તેઓ પેટને 'યાંગ' અંગ માને છે. યાંગનો અર્થ થાય છે ગરમ. પેટની સુગમ કામગીરી માટે તેને સંતુલિત રાખવું જરૂરી છે. પાણી 'યીન' છે. યીનનો અર્થ થાય છે ઠંડી. શરીરમાં ઠંડી અને ગરમ ઉર્જાનું સંતુલન જાળવી રાખવા માટે ઉનાળામાં વધુ પાણી પીવાની સાથે ગરમ પીણા પીવા પણ એટલું જ જરૂરી છે. ઉનાળો હોય કે શિયાળો, ચાનું સેવન શા માટે કરવું? ચાલો જાણીએ.

શું ચા શરીરને ઠંડક આપે છે?

બહુ ઓછા લોકો જાણે છે કે જ્યાં વધુ પડતી ગરમી કે રણપ્રદેશ હોય ત્યાં ચા પીનારાઓની સંખ્યા સૌથી વધુ હોય છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ગરમ વાતાવરણમાં ચા પીવાનું ટાળવું જોઈએ નહીં. કારણ કે તે શરીરને ઠંડુ કરવામાં મદદ કરી શકે છે. તમે વિચારી શકો છો, તે કેવી રીતે શક્ય છે?

શું તમારે ઉનાળામાં ચા પીવી જોઈએ?

2012માં ઓલી જયે એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો જેમાં જણાવાયું હતું કે જો તમે ઠંડા પીણાની તુલનામાં ગરમ પીણાનું સેવન કરો છો તો કસરત પછી શરીરમાં સંગ્રહિત કુલ ગરમી ઓછી થઈ જાય છે. આ સમજૂતી ચા અથવા ગરમ પીણાં દ્વારા મુક્ત થતા પરસેવાની વિભાવનામાં રહેલી છે.

Advertisment

આ પણ વાંચો - શું તમને રાત્રે સારી ઊંઘની જરૂર છે? સૂતા પહેલા પીવો આ 4 ડ્રિંક્સ, આખા દિવસનો થાકી ઉતરી જશે

જો કોઈ વ્યક્તિ એકવાર ગરમ પીણા કે ચા પીવે તો તેમના શરીરની ગરમી વધી જાય છે, જેના કારણે તેમને પરસેવો થાય છે. પરસેવો વધવાથી શરીરમાં પરસેવો બાષ્પીભવન થઈ જાય છે અને શરીર ઠંડુ પડી જાય છે. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગરમ પીણું પીવાથી શરીરમાંથી 570 મિલી પરસેવો નીકળે છે, જે ગરમીને ઓછી કરે છે અને શરીરમાં ગરમી ઓછી જમા કરે છે.

શું બરફથી શરીરની ગરમી વધે છે?

ઠંડા પીણાં કે બરફ તમારા શરીરના તાપમાનને અસર કરે છે. ઓલી જયેના અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બરફ ખાધા બાદ ત્વચાના બાહ્ય ભાગમાંથી પરસેવો ઊડી જાય છે, તેથી શરીરમાંથી ગરમી બહાર નીકળતી નથી. શરીરના તાપમાનમાં થતા ફેરફારનો આધાર વ્યક્તિની સહનશક્તિ પર રહેલો છે. બરફ ખાવાથી તમારા શરીર પર નકારાત્મક અસર પડી શકે છે કારણ કે તેનાથી શરીરની ગરમી વધે છે અને કસરત કરવામાં મુશ્કેલી પડે છે.

હેલ્થ જીવનશૈલી health tips