/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Masala-Spices-.jpg)
Masala Spices : શું બજારના પેક મસાલા કેન્સરનું જોખમ વધારે છે? FSSAI MDH ના નમૂનાઓનું ટેસ્ટિંગ કરશે (Freepik)
Rinku Ghosh, Anonna Dutt : શું તમે માર્કેટ માંથી જે મસાલા મિક્સ ખરીદો છો તેમાં કેન્સરની બીમારી કરતા કેમિકલ હોય છે અને શું તે લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે? આ એક મોટો પ્રશ્ન છે જેનો દેશના સર્વોચ્ચ ફૂડ રેગ્યુલેટર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑફ ઓથોરિટી ઈન્ડિયા (FSSAI) એ જવાબ શોધી રહ્યો છે અને તેથી તમામ રાજ્યોને વિવિધ બ્રાન્ડના પાઉડર મસાલાના સેમ્પલ એકત્રિત કરવા અને રેન્ડમ ટેસ્ટિંગ કરવા કહ્યું છે.
હોંગકોંગ અને સિંગાપોરના ઓથોરિટીઝએ ભારતના બે ટોચની પ્રોડક્ટ MDH અને એવરેસ્ટ પાસેથી ચાર મસાલા મિક્સ પાછા ખેંચી લીધા પછી, તેમાં ઇથિલિન ઓક્સાઈડનું ઊંચું પ્રમાણ મળી આવ્યું હતું. ઇથિલિન ઓક્સાઈડનો ઉપયોગ પ્રોડક્ટમાં તેની શેલ્ફ લાઇફ વધારવા અને જંતુનાશક તરીકે કરવામાં આવે છે. જો કે, FSSAI કોઈપણ ફૂડ પ્રોડક્ટસમાં તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Masala-Spices-photo.jpg)
આ પણ વાંચો: Eye Health : હાઇડ્રેશન આંખો માટે કેમ જરૂરી છે? એક્સપર્ટે શું કહે છે?
આ મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓના જણાવ્યા અનુસાર 25 દિવસમાં મસાલા અંગેનો એકીકૃત રિપોર્ટ બહાર આવે તેવી શક્યતા છે.“ઇથિલિન ઓક્સાઈડની હાજરી માટે ટેસ્ટ કરવા માટે તમામ બ્રાન્ડના મસાલાના મિશ્રણના નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે. જ્યારે નિકાસ કરાયેલ ફૂડ પ્રોડક્ટ FSSAI ના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી, તે સુનિશ્ચિત કરવાનું અમારું કાર્ય છે કે ભારતીય વસ્તી દ્વારા વપરાશમાં લેવામાં આવતી પ્રોડક્ટ સુરક્ષિત છે. તેથી, અમે ભારતીય બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટમાં પણ આ દૂષિત પદાર્થ હાજર છે કે કેમ તે તપાસવાનું નક્કી કર્યું હતું.''
જો બે પ્રોડક્ટ ખામી વાળી સાબિત થશે, તો અધિકારીએ જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ઇથિલિન ઓક્સાઇડ શું છે?
દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સના ન્યુટ્રિશનિસ્ટ કનિકા નારંગ કહે છે કે, "ઇથિલિન ઓક્સાઇડ એ એક જંતુનાશક છે જેને ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર દ્વારા ગ્રુપ 1 કાર્સિનોજેન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, એટલે કે માનવીય અભ્યાસોમાંથી પૂરતા પુરાવા છે કે તે કેન્સરનું કારણ બની શકે છે."
તેનો ઉપયોગ મસાલા ઇન્ડસ્ટ્રીમાં માઇક્રોબાયલ દૂષણ ઘટાડવા માટે થાય છે, જેમ કે ઇ. કોલી અને સાલ્મોનેલા. તે મીઠી ગંધ સાથે રંગહીન, અત્યંત જ્વલનશીલ અને ખૂબ જ પ્રતિક્રિયાશીલ ગેસ છે જે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગને મારી નાખે છે. તે અશ્મિભૂત ઇંધણ (પેટ્રોલિયમ અથવા કુદરતી ગેસ) માંથી બનાવવામાં આવે છે અને કૃત્રિમ રસાયણો, પોલિમર, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ્સ, ગ્લાયકોલ, સોલવન્ટ્સ, એડહેસિવ્સ અને ડિટર્જન્ટ્સ અથવા ફ્યુમિગન્ટ્સના પ્રોડકશન સહિત ઔદ્યોગિક પ્રક્રિયાઓની શ્રેણીમાં ઉપયોગમાં લેવાય છે.
આ પણ વાંચો: બેબી ટૂથબ્રશના ઉપયોગથી મોઢાની દુર્ગંધ ઓછી થઇ શકે? એક્સપર્ટ શું કહે છે?
ઇથિલિન ઓક્સાઇડ તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરી શકે છે?
ન્યુટ્રિશન પ્રોફેશનલ તરીકે, નારંગ નીચા સ્તરે પણ આ ઝેરી પદાર્થ ધરાવતો ખોરાક ખાવાની વાત આવે ત્યારે અત્યંત સાવધાની રાખવાની સલાહ આપે છે. તે એટલા માટે છે કારણ કે ઇથિલિન ઓક્સાઇડ ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે, જે તેને વસ્તુઓને જંતુરહિત કરવામાં મદદ કરે છે પણ તેને કેન્સર થવામાં પણ સક્ષમ બનાવે છે.
તેઓ ઉમેરે છે કે, "જ્યારે પ્રસંગોપાત, નિમ્ન-સ્તરના એક્સપોઝરનું જોખમ ન્યૂનતમ હોઈ શકે છે, મસાલા અને મસાલાના મિશ્રણોનો ઉપયોગ સામાન્ય રીતે ઘણી વાનગીઓમાં ઘરેલું રસોઈમાં થાય છે. આ સમય જતાં ક્રોનિક, સતત એક્સપોઝર તરફ દોરી શકે છે, જે લ્યુકેમિયા, પેટનું કેન્સર અને સ્તન કેન્સર જેવા કેન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલું છે. તે શ્વસનની બળતરા અને ફેફસામાં ઇજા, માથાનો દુખાવો, ઉબકા, ઉલટી, ઝાડા અને શ્વાસની તકલીફ તરફ દોરી શકે છે. જ્યાં સુધી સામેલ બ્રાન્ડ્સ દ્વારા વધુ કઠોર પરીક્ષણ અને નિવારણના પ્રયાસો હાથ ધરવામાં ન આવે ત્યાં સુધી, ગ્રાહકો માટે ઓળખાયેલ ઉત્પાદનોને સંપૂર્ણપણે ટાળવા અને પારદર્શક સલામતી પ્રોફાઇલ્સ સાથે વૈકલ્પિક મસાલા સ્ત્રોતો શોધવાનું સમજદારીભર્યું છે.''
ઇથિલિન ઓક્સાઇડ પર ક્યા અન્ય પ્રતિબંધ છે?
ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ પ્લાન્ટના પ્રોટેકશનમાં અને જંતુનાશક તરીકે થતો હતો. જર્મનીમાં 1981 સુધી અને બાકીના યુરોપિયન યુનિયન (EU)માં 1991 સુધી આની પરવાનગી આપવામાં આવી હતી. વધુમાં, ફૂગથી બચાવવા માટે 2011 સુધી આ પદાર્થનો ઉપયોગ EUમાં ખોરાક અને પ્રાણીઓના ખોરાકના ધૂણી માટે પણ થઈ શકે છે. 2011 થી, તમામ ખોરાક અને ફીડ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ હવે માત્ર ખાદ્ય ક્ષેત્રની બહાર જીવાણુ નાશકક્રિયા અને વંધ્યીકરણ (sterilization) ના ક્ષેત્રમાં જ મંજૂરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us