/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/stale-roti-benefits.jpg)
Stale Roti : વાસી રોટલી કે તાજી રોટલી : કઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે? (Unsplash)
Stale Roti : રોટલી આપણા ડાયટનો મુખ્ય ભાગ છે. રોટલીને 'બધી બ્રેડનો રાજા' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પોષક લાભો પ્રદાન કરે છે. રોટલી વિના ભારતીય વાનગીઓ અધૂરી ગણાય છે. આપણે તવા પરથી તરત ઉતરેલી ફ્રેશ ગરમા ગરમ રોટલી ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આગલી રાતની પડેલી રોટલીમાં ઘણા પોષકતત્વો હોય છે? ન્યુટ્રિશનિસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર દીપશિખા જૈનના મતે, વાસી રોટલી તાજી બનાવેલી રોટલી કરતાં પણ વધુ સારી હોય છે.જ્યારે રોટલીઓને 12 કલાક માટે ઠંડી જગ્યાએ રાખવામાં આવે છે, ત્યારે તે રોટલીની રચનામાં ફેરફાર થાયછે અને ઘણા ફાયદાઓ આપી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/stale-roti.jpg)
જૈને તેના ફાયદા સમજાવતા વીડિયોને કૅપ્શન આપ્યું છે કે, ''ઠંડકની પ્રક્રિયા વાસી રોટીઓને પચવામાં વધુ સરળ બનાવશે અને સારા બેક્ટેરિયાની સંખ્યામાં પણ સુધારો કરશે.''
આ પણ વાંચો: Breakfast : સવારનો નાસ્તો આ કારણોથી સ્કિપ કરવો જોઈએ નહિ, એક્સપર્ટે કહ્યું
ડૉ. ચૈતન્ય એચઆર, અથ્રેયા હોસ્પિટલ બેંગલુરુના કન્સલ્ટન્ટ ફિઝિશિયન જૈન સાથે સંમત થતા કહ્યું કે “જેમ જેમ રોટલી અમુક સમય સુધી પડી રહે છે તે રાતોરાત, અંદરના સ્ટાર્ચમાં પરિવર્તન થાય છે.''
રોટલીમાં કેટલાક જટિલ કાર્બોહાઇડ્રેટ્સ પ્રતિરોધક સ્ટાર્ચમાં રૂપાંતરિત થાય છે. આ પ્રતિરોધક સ્ટાર્ચ નિયમિત સ્ટાર્ચની તુલનામાં આપણા પાચનતંત્રમાં અલગ રીતે કાર્ય કરે છે. તે નાના આંતરડામાં પાચનનો પ્રતિકાર કરે છે અને નીચે મોટા આંતરડામાં જાય છે, જ્યાં તે પ્રીબાયોટિક તરીકે કામ કરે છે, સારા આંતરડાના બેક્ટેરિયાને ખોરાક આપે છે.
પ્રતિરોધક સ્ટાર્ચ ધરાવતા ખોરાકના સેવનના ફાયદા
ડૉ. ચૈતન્યના જણાવ્યા અનુસાર વાસી રોટલીમાં પ્રતિકારક સ્ટાર્ચની વધેલી હાજરી અનેક સ્વાસ્થ્ય ફાયદા પ્રદાન કરે છે.
- તે ફાયદાકારક બેક્ટેરિયાના વિકાસને ટેકો આપીને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. આ બેક્ટેરિયા તંદુરસ્ત પાચનતંત્રમાં ફાળો આપે છે, તે ગેસ, પેટનું ફૂલવું, અને કબજિયાત જેવી સમસ્યાઓ ઘટાડે છે.
- પ્રતિરોધક સ્ટાર્ચ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કાર્બોહાઇડ્રેટ્સનું પાચન ધીમું કરીને, તે બ્લડ સુગર સ્પાઇક્સને અટકાવે છે જે નિયમિત સ્ટાર્ચનું સેવન કર્યા પછી જોવા મળે છે.
- વાસી રોટલી ખાવા સાથે સંકળાયેલ પોષક ખામીઓ અથવા વિચારણાઓ
- જ્યારે વાસી રોટલી કેટલાક ફાયદાઓ આપે છે, ડૉ. ચૈતન્ય સંમત છે કે સમગ્ર ચિત્રને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે.
- તાજી રોટલી સરળતાથી ઘણા પોષક તત્વો પુરા પાડે છે. વાસી રોટલીમાં થોડું ઓછું પ્રોટીન અને વિટામિન્સ હોઈ શકે છે.
આ પણ વાંચો: Fenugreek : મેથીનું સેવન 14 દિવસ સુધી સળંગ કરવાથી શરીર પર આવી અસર થઇ શકે, જાણો
ખૂબ જૂની રોટલીમાં ફૂગ થઇ શકે છે તેથી ખાતરી કરો કે તમે તેને ફેંકી દો. ડૉ. ચૈતન્ય ભલામણ કરે છે કે, "હંમેશા યોગ્ય જગ્યાએ સ્ટોર કરો અને વાસી રોટલીનો ઓછા સમયમાં ઉપયોગ કરો.''
સંતુલિત ભોજન માટે તમે નાસ્તામાં દહીં અથવા શાકભાજી અને દાળ સાથે વાસી રોટલીનો આનંદ માણી શકો છો. અથવા રોટલીને વઘારીને ખાઈ શકો છો.
યાદ રાખો, વિવિધતા મુખ્ય છે. વાસી રોટલી ચોક્કસ લાભ આપે છે, ત્યારે તેના પર સંપૂર્ણ આધાર રાખશો નહીં. તમને બધાજ પોષક તત્વોનો સંપૂર્ણ રીતે મળે તેની ખાતરી કરવા માટે તમારા આહારમાં તાજી રોટલી અને અન્ય આખા અનાજનો સમાવેશ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us