/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/how-to-increase-feel-good-hormones.jpg)
how to increase feel good hormones
આજકાલ તણાવ મોટાભાગના લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. ક્યારેક, કોઈ દેખીતા કારણ વગર, તમે ઉદાસી અથવા થાક અનુભવો છો. પછી આ તમારા કામ પર અસર કરે છે. જો તમારી સાથે આવું વારંવાર થાય છે, અને તમે સતત તણાવ અનુભવો છો, તમારે અવગણવું ન જોઈએ, પ્રખ્યાત યોગ ગુરુ અને લેખિકા હંસા યોગેન્દ્ર તણાવ અને થાકને દૂર કરવાની સરળ ટિપ્સ શેર કરી છે,
તણાવ અને થાકથી છુટકારો અને તમારા મૂડને સુધારવા માટે અહીં ટિપ્સ આપી છે તે સાથે તમારા એકંદર સ્વાસ્થ્ય પર પણ પોઝિટિવ અસર કરશે. પ્રખ્યાત યોગ ગુરુ અને લેખિકા હંસા યોગેન્દ્રએ આ ખાસ ટિપ્સ શેર કરી છે. અહીં જાણો
તણાવ અને થાક દૂર કરવાની ટિપ્સ
- હેલ્ધી ડાયટ : દહીં, દૂધ, કઠોળ, બદામ અને અનાજ જેવા ખોરાકમાં ટ્રિપ્ટોફન ભરપૂર માત્રામાં હોય છે, જે સેરોટોનિન ઉત્પન્ન કરે છે. તમે ઇડલી અને ઢોસા જેવા આથોવાળા ખોરાક અને ઘરે બનાવેલા અથાણાં પણ ખાઈ શકો છો. આ આપણા આંતરડામાં ફાયદાકારક ગુડ બેક્ટેરિયા વધારે છે, જે સેરોટોનિનને પણ વધારે છે.
- સારી ઊંઘ : જે લોકો મોડા સુવે છે અથવા પૂરતી ઊંઘ લેતા નથી તેમના શરીરમાં સેરોટોનિન ઓછું હોય છે. તેથી, વહેલા સૂઈ જવાની અને વહેલા ઉઠવાની આદત પાડો. સારી રાત્રે ઊંઘ લેવાથી મન ખુશ રહેશે.
- કુદરતની વચ્ચે સમય વિતાવો : આ બધા ઉપરાંત યોગ ગુરુ દરરોજ છોડ અને ઝાડ વચ્ચે થોડો સમય વિતાવવાની ભલામણ કરે છે. ઘાસ પર ખુલ્લા પગે ચાલો. આ કરતી વખતે તમે શાંત મ્યુઝિક સાંભળી શકો છો. આનાથી તમારો મૂડ પણ સુધરશે અને તમને વધુ ખુશ લાગશે.
યોગ ગુરુના મતે ખુશી બહારથી આવતી નથી તે અંદરથી ઉદ્ભવે છે. જ્યારે આપણે પ્રકૃતિ સાથે સુમેળમાં રહીએ છીએ અને હેલ્ધી રૂટિન અપનાવીએ છીએ, ત્યારે આપણું મન આપમેળે શાંત અને ખુશ થઈ જાય છે. તેથી તમે રાહ જોયા વગર આ ચાર આદતોને તમારી રૂટિનમાં સામેલ કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us