/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Summer-fatigue-remedies.jpg)
સાંજની સુસ્તીને દૂર કરવા માટે અહીં જણાવેલ ટીપ્સને અનુસરી શકો છો (તસવીર - ફ્રીપિક)
Summer fatigue remedies : ઉનાળાના દિવસોમાં સુસ્તી અને થાક લાગવો સ્વાભાવિક છે. બપોરે ખાવાનું ખાધા બાદ ઘણી વખત લોકો સાંજે થાકી જવા લાગે છે. ક્યારેક ઊંઘના કારણે આંખો બંધ થવા લાગે છે તો ક્યારેક એવું લાગે છે કે બ્લડ પ્રેશર ઓછું થઈ રહ્યું છે. આવું એટલા માટે થાય છે કારણ કે ઉનાળાના દિવસો લાંબા હોય છે. ગરમ હવામાનના કારણે શરીરમાં અનેક બદલાવ આવે છે. આ સ્લીપ હોર્મોનને અસર કરે છે.
સ્લીપ સાઇકલ ગરબડ થવાને કારણે પણ આવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વખત ગરમીના કારણે ડિહાઇડ્રેશન થાય છે, આવી સ્થિતિમાં શરીર થાકેલું કે સુસ્તી અનુભવે છે. આવી સ્થિતિમાં તમે સાંજની સુસ્તીને દૂર કરવા માટે અહીં જણાવેલ ટીપ્સને અનુસરી શકો છો. આ માત્ર તમારા શરીર અને મનને ઉર્જાથી ભરશે નહીં, પરંતુ તમે તાજગી અનુભવશો.
શરીરને હાઇડ્રેટેડ રાખો
ઉનાળાની સુસ્તી દૂર રાખવા માટે તમારે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. કારણ કે થાક ક્યારેક પાણીના અભાવના કારણે થાય છે. આવી સ્થિતિમાં તમારે ઉનાળાના દિવસોમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
આહારમાં ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો
ઉનાળામાં એનર્જેટિક રહેવા માટે આહારમાં શક્ય તેટલા ફળ અને શાકભાજીનો સમાવેશ કરો. તેને ખાવાથી શરીરને એનર્જી તો મળે જ છે સાથે સાથે શરીરને પણ ઠંડક રહે છે.
આ પણ વાંચો - તમે એક મહિના સુધી જીભ સાફ ન કરો તો તેની શરીર પર કેવી અસર પડે?
બ્રેક લો અને એક ઊંડો શ્વાસ લો
ઉનાળાના દિવસોમાં સુસ્તી કે થાક લાગતો હોય તો બ્રેક લઈને ઊંડો શ્વાસ લેવો જોઈએ. તમારી જાતને થોડા સમય માટે આરામ કરો અને લાંબો ઊંડો શ્વાસ લો. આવું કરવાથી તમે રાહત અનુભવશો.
જ્યારે તમને થાક લાગે ત્યારે ઇલેક્ટ્રોલાઇટ્સ લો
ગરમીમાં વધુ પડતો પરસેવો થવાને કારણે શરીરમાંથી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ બહાર નીકળે છે. જ્યારે આવું થાય છે, ત્યારે તમને થાક લાગવા માંડે છે. આને દૂર કરવા માટે તમારે ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર પીણાં પીવા જેમકે ઓઆરએસ પીવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us