Sweet Potatoes : શક્કરીયા સ્વાસ્થ્ય માટે ગુણકારી, જાણો અહીં સેવન કરવાના ફાયદા-ગેર ફાયદા વિષે

Sweet Potatoes : શક્કરિયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, એક શક્કરિયામાં છે: કેલરી: 112, ફેટ : 0.07 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ: 26 ગ્રામ, પ્રોટીન: 2 ગ્રામ અને ફાઇબર: 3.9 ગ્રામ હોય છે.

Sweet Potatoes : શક્કરિયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, એક શક્કરિયામાં છે: કેલરી: 112, ફેટ : 0.07 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ: 26 ગ્રામ, પ્રોટીન: 2 ગ્રામ અને ફાઇબર: 3.9 ગ્રામ હોય છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Know about the benefits and non-benefits of eating sweet potato

શક્કરીયાના ખાવાના ફાયદા-ગેર ફાયદા વિષે જાણો

શક્કરિયાએ કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરીથી ભરપૂર હોય છે, પરંતુ તે બટાકા કરતા થોડા ગુણકારી માનવામાં આવે છે અને અત્યંત આરોગ્યપ્રદ પણ માનવામાં આવે છે. શક્કરીયાના વિવિધ પ્રકારો છે. જેમ કે, અન્ય પીળા, લાલ અથવા જાંબલી રંગમાં આવે છે.

Advertisment

અભ્યાસ સૂચવે છે કે શક્કરિયામાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન વગેરે ભરપૂર હોય છે. જો તમે આ શાકભાજીને તમારા આહારમાં સામેલ કરો છો, તો તમને આ તમામ મેક્રો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો પ્રદાન કરી શકે છે.

ડાયેટિશિયન્સ અને ન્યુટ્રિશનિસ્ટ્સ ઘણીવાર એવા લોકોને શક્કરિયા ખાવાની ભલામણ કરે છે જેઓ આ વજન ઓછું કરવા માગે છે. એક શક્કરિયામાં છે: કેલરી: 112, ફેટ : 0.07 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ: 26 ગ્રામ, પ્રોટીન: 2 ગ્રામ અને ફાઇબર: 3.9 ગ્રામ હોય છે.

આ પણ વાંચો: Shravan Fasting : શ્રાવણના ઉપવાસ દરમિયાન આ હેલ્ધી ડ્રિંક્સ હાઈડ્રેટેડ રહેવામાં થશે મદદગાર

Advertisment

શક્કરિયાના ખાવાના ફાયદા

  • શક્કરીયામાં રહેલા ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
  • શક્કરિયામાં વિવિધ એન્ટીઑકિસડન્ટો હોય છે, જે અમુક પ્રકારના કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.
  • શક્કરિયા બીટા-કેરોટીનમાં સમૃદ્ધ છે જે તમારી આંખોને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • જાંબલી શક્કરિયા ખાવાથી મગજના કાર્યમાં સુધારો થઈ શકે છે.

આ પણ વાંચો: Curry Leaves : શું મીઠા લીમડાના પાન હેલ્થ માટે ફાયદાકારક છે? તેની આડઅસર શું હોઈ શકે? જાણો અહીં

શક્કરીયા ખાવાની આડ અસરો

  • કેટલાક લોકોને શક્કરીયાની ગંભીર એલર્જી હોય છે.
  • શક્કરિયામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન થોડી માત્રામાં અથવા તેમના ચિકિત્સકની સલાહ મુજબ કરવું જોઈએ.
  • જે લોકો કિડનીની પથરીથી પીડાતા હોય તેમણે શક્કરીયાનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ.
  • જ્યારે પેટમાં અસ્વસ્થતા હોય ત્યારે વધુ પડતા શક્કરીયા ખાવાથી ઝાડા, પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, શક્કરિયાને સ્ટીમ કરીને તેની સ્કિન પર રહેલા ઝેરી તત્વોને દૂર કરવા જોઈએ. તદુપરાંત, અભ્યાસ સૂચવે છે કે સ્ટીમ કરવાથી પોષક તત્વોના શોષણને વધારવામાં પણ મદદ કરે છે.

ચોમાસું બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips