Summer Special : ઉનાળા (Summer) ની ઋતુ શરુ છે. એવામાં આપણે ફ્રૂટ્સ અને અન્ય શરીરને ઠંડક આપતા ફૂડનું સેવન કરીયે છીએ. જે બોડીને હાઈડ્રેટેડ રાખે છે. કાળ ઝાળ ગરમીમાં ઘણા આંબલી (Tamarind) ના રસનું પણ સેવન કરે છે. આંબલી લૂ લાગવાથી બચાવે છે, તેમાં રહેલ વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે, સ્કિનને એક્સફોલિએટ કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત ઘણા સ્વાસ્થ્ય ફાયદા ધરાવે છે. અહીં જાણો
આંબલી વિષે
આંબલી તેના ખાટા મીઠા સ્વાદ માટે જાણીતી છે. ઘણી વાનગીઓમાં આંબલી નાખવાથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે. આંબલી પોષકતત્વોથી ભરપુર છે અને પ્રાચીન સમયથી તેના ઔષધીય ગુણધર્મો માટે ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ હીટસ્ટ્રોકથી બચવા, કબજિયાત જેવી સમસ્યાની સારવારમાં કરવામાં આવે છે. મોટેભાગે આંબલી ચટણી બનાવવા અને ડિપ્સમાં ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત જે લોકોને ખાટો મીઠો સ્વાદ પસંદ છે તેઓ તેને એકલી મસાલા સાથે પણ ખાતા હોય છે.
આંબલીનો ઉપયોગ બળતરા, પાચન સમસ્યાઓ અને પેટના દુખાવાની સારવાર માટે કરવામાં આવે છે, આ ઉપરાંત સાંધાનો દુખાવો, અસ્થમા અને હરસની સારવારમાં પણ ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Moringa Tea : ડાયાબિટીસથી લઇ કિડનીની બીમારીમાં અસરકારક મોરિંગાની ચા, આ રીતે બનાવો
આમલીનો ઉપયોગ
આમલીના ફળનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. આમલીને ઝાડ પરથી ફ્રેશ ઉતારીને ખાઈ શકો છો અથવા પ્રોસેસ્ડ સ્વરૂપમાં ચાસણી, કેન્ડી અથવા તો તેનો જ્યુસ બનાવી શકો છો. આંબલીની સેલ્ફ લાઈફ વધારવા માટે પેકેજ્ડ આમલીની પ્રોડક્ટસમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે.
આંબલીમાં રહેલા પોષકતત્વો
આમલી તેના અસંખ્ય પોષક તત્ત્વો માટે જાણીતી છે, તેના 120 ગ્રામના એક કપમાં નીચે પ્રમાણે પોષકતત્વો હોય છે,
- પ્રોટીન : 3.4 ગ્રામ
- કાર્બોહાઇડ્રેટ્સ : 75 ગ્રામ
- ચરબી : 0.7 ગ્રામ
- ડાયેટરી ફાઇબર : 6.1 ગ્રામ
- કેલરી : 287
વિટામિન K,વિટામિન B6,વિટામિન સી, ફોલેટ,થાઇમીન,નિયાસિન,રિબોફ્લેવિન, પેન્ટોથેનિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે.
આમલીના ફાયદા
લીવરની ઇજાને ઘટાડવામાં મદદ : જ્યારે શરીરમાં બળતરા થાય છે ત્યારે લીવરને આડકતરી રીતે અસર થઈ શકે છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આમલીના અર્કનું સેવન કરવાથી લીવર ઓક્સિડેટીવ તણાવમાં ઘટાડો થાય છે. આમલીમાં હાજર સક્રિય પ્રોસાયનિડિન લીવરના ફ્રી રેડિકલ નુકસાનને અટકાવે છે. આમલીમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ હોય છે જે શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે, આ ખનિજોમાં કોપર, મેંગેનીઝ, સેલેનિયમ, નિકલ અને આયર્નનો સમાવેશ થાય છે. આમલીમાં વિટામિન ઇ અને સેલેનિયમ લીવરમાં રહેલા લિપિડ તત્વને ફ્રી રેડિકલ એટેકથી સુરક્ષિત કરે છે.
મેલેરિયાના નિવારણમાં મદદ કરે : આમલીના ફળમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણો રહેલા છે. પ્રાચીન કાળથી આફ્રિકન આદિવાસીઓ મેલેરિયાની સારવારમાં તેનો ઉપયોગ કરે છે. તાવ કે જે વિવિધ બેક્ટેરિયલ ચેપને કારણે થઈ શકે છે તે પણ આમલીના રસનો ઉપયોગ કરીને કંટ્રોલ કરી શકાય છે.
પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે : આમલીનું નિયમિત સેવન કરવાથી પિત્તમાં વધારો થાય છે જે પાચન શક્તિ વધારી શકે છે. તે ફાઇબરથી સમૃદ્ધ છે અને તેથી કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપી શકે છે. આમલીમાં રહેલ પોટેશિયમ બિટાર્ટ્રેટ અને અન્ય ઘટકો પણ હોય છે જે કબજિયાતને સરળ બનાવવા માટે ઉત્તમ છે.
બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ : આમલીમાં બળતરા વિરોધી ગુણધર્મો છે કારણ કે તે મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. તેમાં ટારટેરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે જે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે. આ મુક્ત રેડિકલ સામે લડવામાં ભૂમિકા ભજવે છે જે બળતરા પેદા કરી શકે છે. આ સાથે બળતરાને કારણે ગળાના દુખાવા અથવા સાંધાના દુખાવા સાથે સંકળાયેલ પીડાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.
આંખોનું તેજ વધારે : આમલીનો ઉપયોગ આંખના ટીપાં બનાવવા માટે પણ થાય છે જે આંખો આવવી (conjunctivitis) ની સારવારમાં મદદ કરે છે. આ આંખના ટીપાંનો ઉપયોગ ડ્રાય આંખો જેવી સ્થિતિની સારવારમાં પણ થઈ શકે છે.જો કે, આંખો સેન્સિટિવ હોય છે અને તેથી આ આંખના ટીપાં અજમાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે.
વાળને મજબૂત બનાવે : આમલી પોષક તત્વોથી ભરપૂર છે અને તેથી તે વાળની સંભાળમાં અસરકારક ઘટક બની શકે છે. તમારા ખોપરી ઉપરની ચામડી પર આમલીનો રસ લગાવવાથી વાળ મજબૂત થઈ શકે છે. આમલીમાં રહેલું વિટામિન સી તમારા વાળને સૂર્ય અને તેના હાનિકારક યુવી કિરણોથી બચાવવામાં પણ મદદ કરી શકે છે. તમારા વાળ માટે આમલીનો ઉપયોગ કરવાથી તમારા વાળને કુદરતી ચમક પણ મળી શકે છે.
આ પણ વાંચો: Summer Recipe : બિહારની ફેમસ દૂધીની રેસીપી ગરમીથી આપશે રાહત, નીના ગુપ્તાએ રેસીપી કરી શેર
રોગપ્રતિકારક શક્તિ વધારે : આમલીનો રસ તમારા સ્વાસ્થ્ય માટે ચમત્કારનું કામ કરી શકે છે અને સામાન્ય શરદી, ઉધરસ, ફલૂ વગેરેમાં મદદ કરી શકે છે. તેમાં એન્ટીઑકિસડન્ટો અને વિટામિન સીની મોટી માત્રા હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તે તેના એન્ટિસેપ્ટિક ગુણધર્મોને કારણે શરીરમાં જંતુઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.
કેન્સર સામે લડવામાં મદદ કરે : આમલીમાં સોક્સહલેટ મેથેનોલિક છે જે કેન્સરને રોકવામાં ભૂમિકા ભજવી શકે છે. આમલીમાં ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોવાથી, તે મુક્ત રેડિકલને ઘટાડવામાં મદદ કરે છે જે કેન્સરના કોષોને દૂર કરવા તરફ દોરી જાય છે. તેમાં એન્ટીઑકિસડન્ટોની મોટી માત્રા હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને સ્વસ્થ બનાવે છે અને રોગો થવાનું જોખમ ઘટાડે છે.