ડાયાબિટીસના દર્દીઓ આ રીતે ભાત ખાઈ શકે, બ્લડ સુગર લેવલ પર અસર ઓછી થશે!

હકીકતમાં ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ પંચાલના મતે ડાયાબિટીસના દર્દીઓ ભાત ખાઈ શકે છે. બ્લડ સુગરનું સ્તર વધતું અટકાવવા માટે ભાત રાંધતી વખતે તેમાં થોડી વસ્તુ ઉમેરવાની ખાતરી કરો. અહીં જાણો

હકીકતમાં ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ પંચાલના મતે ડાયાબિટીસના દર્દીઓ ભાત ખાઈ શકે છે. બ્લડ સુગરનું સ્તર વધતું અટકાવવા માટે ભાત રાંધતી વખતે તેમાં થોડી વસ્તુ ઉમેરવાની ખાતરી કરો. અહીં જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
ડાયાબિટીસના દર્દીઓ માટે ભાત ખાવાની સાચી રીત હેલ્થ ટિપ્સ ડાયટ ટિપ્સ

rice for diabetic

ડાયાબિટીસ (DIabetes) ના દર્દીઓને ભાત ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ખૂબ વધારે હોય છે અને તેમાં ફાઇબર ઓછું હોય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. પરંતુ શું ખરેખર ડાયાબિટીસના દર્દીઓએ ભાત ખાવાનું ટાળવું જોઈએ?

Advertisment

પરંતુ એક હેલ્થ એક્સપર્ટના મતે ડાયાબિટીસના દર્દીઓ ભાત ખાઈ શકે છે. જોકે ભાત ખાવાની સાચી રીત જાણવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.અહીં જાણો

હકીકતમાં ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ પંચાલના મતે ડાયાબિટીસના દર્દીઓ ભાત ખાઈ શકે છે. બ્લડ સુગરનું સ્તર વધતું અટકાવવા માટે ભાત રાંધતી વખતે તેમાં થોડી વસ્તુ ઉમેરવાની ખાતરી કરો.

ડાયાબિટીસના દર્દીઓ માટે ભાત ખાવાની સાચી રીત

ભાતને મોટી માત્રામાં પાણીમાં ઉકાળો (૧:૬ ગુણોત્તર). એટલે કે, ચોખાના પ્રમાણ કરતાં છ ગણું વધુ પાણી ઉમેરો. રાંધ્યા પછી બાકી રહેલું પાણી ગાળી લો. આનાથી સ્ટાર્ચનું પ્રમાણ ઓછું થાય છે.
ચોખાને બાફતી વખતે તેમાં તજ નાખો, જે ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ચોખામાં એક ચમચી ઘી ઉમેરવાથી તેની ગ્લાયકેમિક અસર ઓછી થાય છે, જે લોહીમાં સુગર લેવલને વધતા અટકાવે છે.
ભાત ક્યારેય સાદા ન ખાવા જોઈએ. તેમાં હંમેશા પ્રોટીન અને ફાઇબરનો સમાવેશ થવો જોઈએ.

Advertisment
ડાયાબિટીશ જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર health tips