/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/taking-morning-sun.jpg)
સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી લેવાનો સાચી રીત અને યોગ્ય સમય કયો? જાણો
વિટામિન ડી (Vitamin D) આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસને શોષવામાં મદદ કરે છે. તે હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે જરૂરી છે. આ ઉપરાંત વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.(વિટામિન ડીની ઉણપના લક્ષણો), જેનાથી આપણા શરીરને ચેપ અને રોગોથી બચાવે છે. તે હૃદય અને રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની સકારાત્મક અસર પડે છે. વિટામિન ડીની ઉણપ (વિટામિન ડી લેવાનો સમય) ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક બીમારીઓનું કારણ બની શકે છે.
ઇન્ડિયામાં તડકો ઘણો જોવા મળે છે. છતાં લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર, સૂર્યપ્રકાશના સંપર્કમાં સમય અને સ્કીન કલરની અસર. વિટામિન ડી સામાન્ય રીતે સવારના સૂર્યપ્રકાશમાંથી મળે છે.
વિટામીન ડી વિશે એક્સપર્ટ શું કહે છે?
વિટામીન ડી વિષે એક્સપર્ટ સૂચવે છે કે બેસ્ટ ટાઈમ સમય સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે. આ સમયે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ B (UVB) કિરણો સીધા સ્કિન પર પડે છે, જે વિટામિન ડી પ્રદાન કરે છે. જો કે, એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે વધુ સમય સુધી તડકામાં રહેવાથી સ્કિન બળી શકે છે અથવા નુકસાન થઈ શકે છે. તેથી તડકામાં હોય ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે. નિયમિતપણે યોગ્ય સમયે 15-30 મિનિટ તડકામાં વિતાવવાથી આપણે વિટામિન ડીની ઉણપને દૂર કરી શકીએ છીએ.
વિટામિન ડી લેવા માટે સવારે 7 વાગ્યાનો સમય યોગ્ય છે?
એક સામાન્ય માન્યતા છે કે સવારે 7 વાગ્યે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી વધુ સારી રીતે મેળવી શકાય છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ ધારણા ખોટી છે. તેની પાછળનું કારણ સૂર્ય દ્વારા પૃથ્વી સાથે બનેલો કોણ છે. સવારે, ખાસ કરીને 7 વાગ્યે, સૂર્યના કિરણોનો પૃથ્વી તરફનો કોણ ઘણો ઓછો હોય છે. આ નીચો કોણ સૂર્યના કિરણોને પૃથ્વી સુધી પહોંચતા સંપૂર્ણપણે અટકાવે છે, જેનાથી સૂર્યપ્રકાશની અસર ઓછી થાય છે. એટલું જ નહીં, આ સમયે સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ આંશિક રીતે ફિલ્ટર થઈ જાય છે.
વિટામીન ડીની રચનામાં અલ્ટ્રાવાયોલેટ કિરણો જરૂરી છે. જ્યારે સૂર્યપ્રકાશ પૂરતો મજબૂત નથી, ત્યારે શરીરને વિટામિન ડીનો જરૂરી સ્ત્રોત મળતો નથી. તેથી, સવારે 7 વાગ્યાનો સૂર્યપ્રકાશ વિટામિન ડીના નિર્માણ માટે જરૂરી છે તેટલી ગરમી આપતો નથી. નિષ્ણાતોની સલાહ મુજબ, વિટામિન ડી માટે સૂર્યપ્રકાશનો શ્રેષ્ઠ સમય સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યાનો છે. આ સમય દરમિયાન સૂર્યના કિરણો પૃથ્વી પર સારી રીતે પહોંચે છે.
આ પણ વાંચો: રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રીન ચટણી કેવી રીતે બનાવવી? પકોડા કે કોઇપણ સ્ટાર્ટર માટે છે બેસ્ટ કોમ્બિનેશન
અહેવાલો અનુસાર, લોકો ઘણીવાર સૂર્યપ્રકાશનો ચોક્કસ સમય સમજી શકતા નથી. મોટાભાગના લોકો સવારના આછા સૂર્યપ્રકાશથી સાંજે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી તેમની દિનચર્યામાં સનબાથ કરે છે. પરંતુ શું તે યોગ્ય છે? નિષ્ણાતો કહે છે કે વિટામિન ડી આપણા શરીરમાં સૌથી વધુ અસરકારક રીતે 10 થી 12 વાગ્યાની વચ્ચે સંશ્લેષણ થાય છે. ત્વચા પર પડતા યુવીબી કિરણો ઝડપથી વિટામિન ડી ઉત્પન્ન કરે છે.ખૂબ લાંબો સમય તડકામાં ન રહેવાની કાળજી રાખો અને જો શક્ય હોય તો સનસ્ક્રીન એપ્લાય કરો.
વિટામિન ડી લેવાની સાચી રીત
સૂર્યના પ્રથમ કિરણો ઘણીવાર આપણને એનર્જી અને સકારાત્મકતાથી ભરી દે છે. સૂર્યપ્રકાશ લેતી વખતે સૌપ્રથમ એવી જગ્યા પસંદ કરો જ્યાં છાંયો ન હોય. જ્યારે તમે આવી જગ્યાએ હોવ ત્યારે સ્લીવલેસ શર્ટ અને શોર્ટ્સ પહેરવા એ સારો વિકલ્પ બની શકે છે. જો હવામાન ઠંડું હોય, તો તમે ગરમ કપડાં પહેરી શકો છો, પરંતુ તમારા હાથ અને ચહેરો ખુલ્લો રાખો જેથી સૂર્યપ્રકાશ સીધી તમારી સ્કિન સુધી પહોંચી શકે. આ સમય દરમિયાન તમે યોગ, વૉકિંગ અથવા ગાર્ડનિંગ કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us