Digestive Issues Vitamin Deficiency | પાચનતંત્ર વિટામિનની ઉણપને લીધે નબળું પડે છે? જાણો શું ખાવાથી થશે પાચનતંત્ર સ્વસ્થ અને મજબૂત

વિટામિનની ઉણપ અને પાચન સ્વાસ્થ્ય | ઘણીવાર પાચન તંત્ર નબળું પડવાથી લોકો ગેસ, કબજિયાત, એસિડિટી અથવા અપચો જેવી સમસ્યાઓથી પીડાય છે અને વિચારે છે કે તે ફક્ત ખોરાકને કારણે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ક્યારેક તે વિટામિનના અભાવને કારણે પણ થાય છે.

Written by shivani chauhan
August 28, 2025 07:00 IST
Digestive Issues Vitamin Deficiency | પાચનતંત્ર વિટામિનની ઉણપને લીધે નબળું પડે છે? જાણો શું ખાવાથી થશે પાચનતંત્ર સ્વસ્થ અને મજબૂત
Vitamin Deficiency Digestion Problems

Remedies for Digestive Problems | જો પાચન તંત્ર (Digestive System) સ્વસ્થ હોય તો આખું શરીર અને અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે. પરંતુ, જો પાચન તંત્રમાં કોઈ સમસ્યા હોય, તો આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. મોટાભાગના રોગો પેટમાંથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં પાચન તંત્રને સ્વસ્થ અને મજબૂત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આપણું પાચન તંત્ર શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

ખોરાક ખાધા બાદ તેનું યોગ્ય પાચન અને એનર્જીમાં રૂપાંતર આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. પરંતુ, જો શરીરને જરૂરી વિટામિન અને ખનિજો ન મળે, તો પાચન તંત્ર નબળું પડવા લાગે છે.

ઘણીવાર પાચન તંત્ર નબળું પડવાથી લોકો ગેસ, કબજિયાત, એસિડિટી અથવા અપચો જેવી સમસ્યાઓથી પીડાય છે અને વિચારે છે કે તે ફક્ત ખોરાકને કારણે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ક્યારેક તે વિટામિનના અભાવને કારણે પણ થાય છે.

શું પાચનતંત્ર વિટામિનની ઉણપને લીધે નબળું પડે છે?

  • વિટામિન સીની ઉણપ : વિટામિન સી આપણા પાચન ઉત્સેચકોને સક્રિય રાખે છે. તે ખોરાકમાંથી આયર્ન શોષવામાં મદદ કરે છે. તેની ઉણપ શરીરમાં નબળાઈ, કબજિયાત અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓનું કારણ બને છે. આ સાથે, તે આંતરડાને પણ સાફ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
  • વિટામિન A ની ઉણપ : વિટામિન A આંતરડાના અસ્તરનું રક્ષણ કરે છે અને હાનિકારક બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તેની ઉણપથી પેટમાં ચેપ અને ઝાડા થઈ શકે છે.
  • વિટામિન B1 (થાયમીન) : તે ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. તેની ઉણપ ભૂખ ઓછી લાગવી, થાક લાગવો અને અપચોનું કારણ બની શકે છે.
  • વિટામિન B3 (નિયાસિન) : તેની ઉણપથી ઝાડા, ઉલટી અને પેટમાં બળતરા થઈ શકે છે.
  • વિટામિન B12 : તે આંતરડાના સ્વાસ્થ્ય અને બેક્ટેરિયાના સંતુલન માટે જરૂરી છે. તેની ઉણપ કબજિયાત, ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં વધારો કરે છે.
  • વિટામિન B9 (ફોલિક એસિડ): તે પાચન ઉત્સેચકોને ટેકો આપે છે. જો ઉણપ હોય તો ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને નબળાઈ અનુભવાય છે.

પાચન તંત્ર સ્વસ્થ રાખવા માટે શું ખાવું જોઈએ?

  • ડેરી પ્રોડક્ટસ અને નોન વેજ : ઈંડા, માછલી અને દૂધ વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.
  • સંતુલિત આહાર લો : દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, અનાજ, દૂધ, દહીં, ફળો અને ફણગાવેલા કઠોળ ખાઓ.
  • તડકામાં ઊભા રહેવું : સવારનો સૂર્ય શરીરને કુદરતી વિટામિન ડી પ્રદાન કરે છે.
  • ફળો અને સલાડ, નારંગી, આમળા, જામફળ, લીંબુ જેવા ફળો વિટામિન સીની ઉણપને પૂર્ણ કરે છે.

ડાયાબિટીસમાં રામબાણ આ 5 વસ્તુ, રેગ્યુલર સેવન કરવાથી બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં !

જો પાચનતંત્ર યોગ્ય રીતે કામ ન કરી રહ્યું હોય, તો તે ફક્ત ખરાબ ખાવાની આદતો અથવા વધુ પડતું તળેલું ખોરાક ખાવાને કારણે નથી, પરંતુ વિટામિનની ઉણપ અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર પણ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. ખાસ કરીને વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન ડી, વિટામિન સી અને વિટામિન એની ઉણપ પેટ સંબંધિત સમસ્યાઓમાં વધારો કરે છે. આ ઉપરાંત બેઠાડુ જીવન, કસરતનો અભાવ પણ કારણ બની શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ