આપણામાંના ઘણા શારીરિક રીતે એકટીવ રહેવાના મહત્વને સમજતા નથી. પરંતુ એ જાણવું જ જોઇએ કે ફિઝિકલ એકટીવીટી આપણને ઘણી રીતે મદદ મળી શકે છે. ઇન્સ્ટાગ્રામ પર, ACE-પ્રમાણિત વ્યક્તિગત ટ્રેનર અને ન્યુટ્રિશનિસ્ટ, આંચલ ખૂબચંદાનીએ શેર કર્યું કે વ્યક્તિએ નિયમિતપણે ચાલવું જોઈએ કારણ કે તેના ઘણા ફાયદા છે.
ખૂબચંદાનીએ લખ્યું હતું કે, “અહીં મારો મુખ્ય મોટોટિવ તમને અત્યાર સુધીની સૌથી અન્ડરરેટેડ કસરત વિશે જણાવાનો છે,”
- તે તમને શાંત રાખશે
- તે તમને એકટીવ રાખશે
- તે તમને વજન ઘટાડવામાં મદદ કરશે
- તે તમારા ઇન્સ્યુલિનના સ્તરને કંટ્રોલમાં રાખશે
- તે તમારા શરીરને મજબૂત બનાવશે
તેણે ઉમેર્યું હતું કે “તે માનસિક અને શારીરિક બંને લાભો ધરાવે છે. તેથી જ્યારે પણ તમને સમય મળે, ઓછામાં ઓછા 10 થી 20 મિનિટ કોઈ પાર્કમાં અથવા નજીકની જગ્યાએ વોકિંગ કરો. હંમેશા તમારા વાહન પર નિર્ભર ન રહો.”
ઉજાલા સિગ્નસ ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સના સ્થાપક નિયામક ડૉ. શુચિન બજાજે સંમત થયા અને કહ્યું કે ચાલવું એ એકંદર આરોગ્ય અને સુખાકારીને સુધારવાનો એક સરળ અને અસરકારક માર્ગ છે.ડૉ બજાજે કહ્યું હતું કે “તમારી દિનચર્યામાં ચાલવાને સામેલ કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે અસંખ્ય લાભો મળી શકે છે.”
તેણે, કેટલાક ફાયદાઓ પણ કહ્યા હતા:
કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય: તમારા હૃદયના ધબકારા અને પરિભ્રમણને વધારીને રક્તવાહિની સ્વાસ્થ્યને સુધારવા માટે ચાલવું એ એક સરસ રીત છે. તે તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં, તમારા હૃદય રોગના જોખમને ઘટાડવામાં અને તમારા કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં મદદ કરી શકે છે.
વજન કંટ્રોલમાં રહે : ચાલવું તમને કેલરી બર્ન કરીને અને તમારા મેટાબોલિઝ્મને વધારીને તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. આ એક ઓછી અસરવાળી કસરત છે જે તમામ ઉંમરના અને ફિટનેસ સ્તરના લોકો દ્વારા કરી શકાય છે.
હાડકાંની તંદુરસ્તી: ચાલવાથી હાડકાની ડેન્સિટીમાં સુધારો થાય છે, ઓસ્ટીયોપોરોસિસ અને અસ્થિભંગનું જોખમ ઓછું થાય છે.
પાચન સ્વાસ્થ્ય: ચાલવાથી પાચનતંત્રમાં રક્ત પ્રવાહ વધારીને અને આંતરડામાં સ્નાયુઓને ઉત્તેજિત કરીને પાચન સુધારવામાં મદદ મળે છે.
રોગપ્રતિકારક શક્તિ: ચાલવાથી શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, જે ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: શું ખાંસી દરમિયાન શ્વાસ ફૂલે છે ? આ કોરોના નથી, જાણો આ કફની સારવાર કેવી રીતે કરવી
તમારે દરરોજ કેટલા સ્ટેપ્સ ચાલવું જોઈએ?
આદર્શરીતે, આપણે બધા જાણીએ છીએ કે આપણે દરરોજ 10,000 પગલાં ચાલવું જોઈએ. ખૂબચંદાનીએ કહ્યું હતું કે “જો તમે દરરોજ એક કલાક માટે વર્કઆઉટ કરી રહ્યા હોય, તો તમારે દરરોજ 7,000 પગલાંઓ કવર કરવા જોઈએ.”
તેણે ઉલ્લેખ કર્યો હતો કે, “જ્યારે વૉકિંગ તમને કેલરી ઘટાડવામાં મદદ કરે છે અને તમને ફિટ રાખે છે, વજન ઘટાડવા માટે કેલરી બર્ન કરવી જ જરૂરી છે.
તેના કહેવા મુજબ,
ચાલવું એ લોકો માટે પણ સારું છે જેમને સાંધાની સમસ્યા હોય અથવા સંધિવા હોય
ચાલવું દરેક ઉંમરના લોકો માટે સારું છે
ધર્મશિલા નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના વરિષ્ઠ કન્સલ્ટન્ટ, ઈન્ટરનલ મેડિસિન ડો. ગૌરવ જૈને જણાવ્યું કે લોકોને દરરોજ 10,000 પગલાં લેવાનું લક્ષ્ય રાખવાની ભલામણ કરવામાં આવે છે. ડૉ જૈને જણાવ્યું હતું કે,“તમે દરરોજ કેટલા પગલાં ચાલો છો તેની ટાઈમ સેટ કરો અને પછી જ્યાં સુધી તમે તમારા લક્ષ્ય સુધી ન પહોંચો ત્યાં સુધી દર અઠવાડિયે 1,000 સ્ટેપ્સનો વધારો કરો. એકવાર તમે દરરોજ 10,000 પગલાં પર પહોંચી જાઓ તે પછી ફરીથી સ્ટેપ્સનો વધારો કરો. તમે થોડા અઠવાડિયા પછી ગતિ વધારવા માટે સમર્થ હોવા જોઈએ. 2013 માં ડાયાબિટીસ કેરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત મધ્યમ કસરત કરતાં વધુ સારી રીતે ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓમાં સ્પર્ટ્સ (અંતરાલ વૉકિંગ) બ્લડ સુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.”
ચાલવું અને કેલરીની ઉણપ સાથે કેવી રીતે સંબંધિત છે?
આરામદાયક ગતિએ ચાલવું વધુ સારું છે. ચાલવાની દિનચર્યા સહિત વ્યાયામ પદ્ધતિ સ્થાપિત કરવામાં સૌથી મહત્ત્વનું પરિબળ સુસંગતતા છે.ધ બોડી સાયન્સ એકેડમી, નોઇડાના સહ-સ્થાપક વરુણ રત્તને જણાવ્યું હતું કે, “તમારું ધ્યાન, તેથી, સમયગાળો અથવા ગતિ વધારતા પહેલા વારંવાર ચાલવા પર હોવું જોઈએ. જેમ જેમ તમારું ફિટનેસ સ્તર સુધરે છે, તેમ તમે વધારે પ્રયત્નો કર્યા વિના વધુ ઝડપથી અથવા વધુ ચાલવા માટે સમર્થ થશો.”