Monsoon Season Risks : ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોથી બચવા માટે આ ટિપ્સ અપનાવો

Monsoon Season Risks : ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો વધુ જોવા મળે છે,આ સમય દરમિયાન નળનું પાણી ગાળીને પીવું જોઈએ, દાંત સાફ કરવા અને વાસણો ધોવા માટે પણ શુદ્ધ અથવા ઉકાળેલા પાણીનો ઉપયોગ કરો.

Monsoon Season Risks : ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો વધુ જોવા મળે છે,આ સમય દરમિયાન નળનું પાણી ગાળીને પીવું જોઈએ, દાંત સાફ કરવા અને વાસણો ધોવા માટે પણ શુદ્ધ અથવા ઉકાળેલા પાણીનો ઉપયોગ કરો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
80 per cent of diseases are thought to be water-borne globally, according to the World Health Organization. (RepresentationalFile)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વૈશ્વિક સ્તરે 80 ટકા રોગો પાણીથી થતા હોવાનું માનવામાં આવે છે. (RepresentationalFile)

જેમ જેમ ચોમાસાની ઋતુ નજીક આવે છે તેમ, તે કાળઝાળ ગરમીમાંથી રાહત મળે છે અને પર્યાવરણને નવજીવન મળે છે. જો કે, તે પાણીજન્ય રોગોનું જોખમ પણ લાવે છે, જે દૂષિત પાણીના ઇન્જેશનને કારણે થાય છે, જે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. આ ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, વિશ્વભરમાં 80 ટકા રોગો પાણીજન્ય હોવાનું માનવામાં આવે છે.

Advertisment

હૈદરાબાદના કામિનેની હોસ્પિટલ્સના વરિષ્ઠ જનરલ ફિઝિશિયન ડૉ જે હરિકિશને indianexpress.comને જણાવ્યું હતું કે, “ પાણીજન્ય રોગો એ દૂષિત પાણીના સ્ત્રોતોમાં રહેલા સૂક્ષ્મજીવો અથવા પરોપજીવીઓને કારણે થતી બીમારી છે. આ રોગો બેક્ટેરિયા, વાયરસ અને પ્રોટોઝોઆ જેવા વિવિધ પેથોજેન્સને કારણે થઈ શકે છે. પાણીજન્ય રોગોના કેટલાક સામાન્ય ઉદાહરણોમાં કોલેરા, ટાઇફોઇડ તાવ, હેપેટાઇટિસ A, ગિઆર્ડિઆસિસ અને મરડોનો સમાવેશ થાય છે.''

શું આપણે ચોમાસામાં પાણીજન્ય રોગોનો ભોગ બનીએ છીએ?

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો વધુ જોવા મળે છે. તે જ સમજાવતા, ડૉ. હરિકિશને કહ્યું હતું કે, “ભારે વરસાદથી પાણી સ્થિર થઈ શકે છે અને પાણીના સ્ત્રોતો દૂષિત થઈ શકે છે. ઓવરફ્લો થતી ગટર વ્યવસ્થા, ચેડાં થયેલો પાણી પુરવઠો અને અપૂરતી સ્વચ્છતા સુવિધાઓ પાણીજન્ય રોગોના જોખમમાં ફાળો આપે છે. વધુમાં, ચોમાસા દરમિયાન ભેજ અને ભીનાશ પાણીજન્ય રોગાણુઓના વિકાસ અને અસ્તિત્વ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે."

આ પણ વાંચો: Health Tips : દાડમ ખાવાના ફાયદા જાણો, ડાયાબિટીસના દર્દીઓએ કેટલું સેવન કરવું જોઈએ?

Advertisment

ચોમાસામાં આ રોગોથી કેવી રીતે બચી શકાય?

કાળજી અને સાવધાની રાખીને, તમે તમારી જાતને અને તમારા પરિવારને આ રોગોના પરિણામોથી બચાવી શકો છો. સ્વસ્થ અને સલામત વાતાવરણ જાળવવા માટે, આ દિશાનિર્દેશોનું પાલન કરો, ડૉ. સબીન કપાસી, UNDAC અને જિનીવાના પબ્લિક હેલ્થ લીડર અનુસાર:

નળનું પાણી ટાળો: નળનું પાણી સીધું પીવાનું ટાળો કારણ કે તેની પર્યાપ્ત સારવાર થઈ શકતી નથી. દાંત સાફ કરવા અને વાસણો ધોવા માટે પણ શુદ્ધ અથવા ઉકાળેલા પાણીનો ઉપયોગ કરો.

વારંવાર હાથ ધોવા: ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી તમારા હાથ સાબુ અને સ્વચ્છ પાણીથી ધોઈને યોગ્ય હાથની સ્વચ્છતા જાળવો, ખાસ કરીને જમતા પહેલા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને સંભવિત દૂષિત સપાટીઓના સંપર્કમાં આવ્યા પછી હાથ ધોવા જોઈએ.

ફળો અને શાકભાજી ધોવા: ફળો અને શાકભાજીનું સેવન કરતા પહેલા તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો. વધારાની સલામતી માટે વેજીટેબલ વૉશનો ઉપયોગ કરવાનું વિચારો અથવા તેને સરકાના દ્રાવણમાં પલાળી રાખો.

ચોખ્ખું વાતાવરણ જાળવો: ખાતરી કરો કે તમારી આજુબાજુ સ્વચ્છ અને સ્થિર પાણીથી મુક્ત છે. કોઈપણ પાણી ભરાયેલા વિસ્તારો અથવા કન્ટેનરને દૂર કરો જે મચ્છરો અને અન્ય રોગ-વાહક જંતુઓ માટે પ્રજનન સ્થળ બની શકે છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલવાનું ટાળો: પૂરગ્રસ્ત શેરીઓ અથવા સ્થિર પાણીવાળા વિસ્તારોમાંથી દૂર રહો. આવું પાણી દૂષિત હોઈ શકે છે અને સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.

મોસ્કિટો રિપેલન્ટ્સનો ઉપયોગ કરો: ખુલ્લી ત્વચા પર મચ્છર ભગાડનારાઓ લગાવીને પોતાને મચ્છર કરડવાથી બચાવો. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો, ખાસ કરીને જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં મચ્છરજન્ય રોગો થાય છે.

લક્ષણોથી વાકેફ રહો: ​​પાણીજન્ય રોગોના સામાન્ય લક્ષણો વિશે પોતાને શિક્ષિત કરો. જો તમને સતત ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, તાવ અથવા અન્ય અસામાન્ય લક્ષણોનો અનુભવ થાય, તો તરત જ ડોક્ટર પાસે જાઓ.

આ પણ વાંચો: Toxic Syrups: દૂષિત કફ સિરપ અંગેની WHO ની તપાસ દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયાની 20 ઝેરી દવાઓને કરી માર્ક

પાણીની પ્રવૃતિઓથી સાવધ રહો: ​​જો તરવું કે નૌકાવિહાર જેવી મનોરંજક પાણીની પ્રવૃતિઓમાં વ્યસ્ત હોય, તો સ્વચ્છ અને સારી રીતે જાળવણીવાળી સુવિધાઓ પસંદ કરો. કુદરતી જળાશયોમાં તરવાનું ટાળો જે ભારે વરસાદને કારણે દૂષિત થઈ શકે છે.

રસીકરણ: કોલેરા, ટાઇફોઇડ અને હેપેટાઇટિસ A જેવા રોગો માટે રસીકરણ અથવા બૂસ્ટર મેળવવા માટે ડોક્ટરનો સંપર્ક કરો, ખાસ કરીને જો કોઈ વ્યક્તિ વધારે જોખમવાળા વિસ્તારોમાં રહેતો હોય અથવા મુસાફરી કરી રહ્યા હોવ તો ધ્યાન રાખવું જરૂરી છે.

સામુદાયિક પ્રયાસોને સમર્થન આપો: ચોમાસાની ઋતુ દરમિયાન સ્વચ્છતામાં સુધારો કરવા અને સલામત પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી સામુદાયિક પહેલોને પ્રોત્સાહિત કરો અને તેમાં ભાગ લો.

નિષ્કર્ષમાં, ડૉ. કપિસીએ જણાવ્યું હતું કે, “સુરક્ષિત પીવાના પાણીની પહોંચ, યોગ્ય સ્વચ્છતા જાળવવા, સારી વ્યક્તિગત સ્વચ્છતાનો અભ્યાસ કરવા અને જરૂરી રસીકરણ જેવા નિવારક પગલાંને અનુસરીને , પાણીજન્ય રોગોનું જોખમ ઘણું ઘટાડી શકાય છે. આ સરળ પગલાંઓ તમારા સ્વાસ્થ્ય અને તમારા સમુદાયના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને બધા માટે ચોમાસાની ઋતુને વધુ સુરક્ષિત રહેવા માટે આવશ્યક છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips