સાંજના નાસ્તાનો યોગ્ય સમય કયો છે? જાણો દાદીના જમાનાના 3 પ્રખ્યાત ઇવનિંગ નાસ્તા

Famous Evening Snacks : આપણામાંથી મોટાભાગના લોકો સાંજે 3 થી 5 વાગ્યાની વચ્ચે ચા પીએ છે અને પછી સાંજના નાસ્તામાં કંઈક ખાય છે. આવી સ્થિતિમાં તમારે પહેલા જાણવું જોઈએ કે સાંજના નાસ્તાનો યોગ્ય સમય કયો છે અને આ સમય દરમિયાન તમે કઈ વસ્તુઓ ખાઈ શકો છો

Famous Evening Snacks : આપણામાંથી મોટાભાગના લોકો સાંજે 3 થી 5 વાગ્યાની વચ્ચે ચા પીએ છે અને પછી સાંજના નાસ્તામાં કંઈક ખાય છે. આવી સ્થિતિમાં તમારે પહેલા જાણવું જોઈએ કે સાંજના નાસ્તાનો યોગ્ય સમય કયો છે અને આ સમય દરમિયાન તમે કઈ વસ્તુઓ ખાઈ શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
evening snacks, સાંજનો નાસ્તો

સાંજના નાસ્તા અને ડિનર વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર હોવું જોઈએ (તસવીર - જનસત્તા)

Famous Evening Snacks : આપણામાંથી મોટાભાગના લોકો સાંજે 3 થી 5 વાગ્યાની વચ્ચે ચા પીએ છે અને પછી સાંજના નાસ્તામાં કંઈક ખાય છે. પરંતુ સમજવાની વાત એ છે કે જેટલો લેટ તમારો સાંજનો નાસ્તો હશે તેટલી જ મુશ્કેલી તમને રાત્રે ભોજનમાં પડશે. આ સિવાય વધુ પડતા તેલ અને મસાલા સાથે સાંજનો નાસ્તો તમને બીમાર પણ કરી શકે છે. જેનાથી મેદસ્વીતા વધી શકે છે, એસિડિટી થઇ શકે છે કે બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં તમારે પહેલા જાણવું જોઈએ કે સાંજના નાસ્તાનો યોગ્ય સમય કયો છે અને આ સમય દરમિયાન તમે કઈ વસ્તુઓ ખાઈ શકો છો.

Advertisment

સાંજના નાસ્તા માટે શ્રેષ્ઠ સમય કયો છે?

સાંજના નાસ્તા અને ડિનર વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર હોવું જોઈએ, નહીં તો તેનાથી અપચો અને બ્લોટિંગનું કારણ બની શકે છે. તો જો તમે ડિનર વહેલા લો છો તો એટલે કે 7 થી 8 વાગ્યાની વચ્ચે જમી લો તો છો તો તમારે 4થી 5 વાગ્યાની વચ્ચે નાસ્તો કરી લેવો જોઈએ. તમારી સાંજની ચા અને સાંજના નાસ્તા માટે આ યોગ્ય સમય છે. ધ્યાનમાં રાખો કે તમારા સાંજના નાસ્તા એવા હોવા જોઈએ કે તમારી રાતની ભૂખ કરે.

દાદીમાના જમાનાના 3 પ્રખ્યાત સાંજના નાસ્તા

મમરાનો નાસ્તો

લોકો દાદી-નાનીના જમાનાથી જ મમરાનો નાસ્તો ખાતા આવ્યા છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને ઉચ્ચ ફાઇબર અને રફેજથી સમૃદ્ધ છે. લોકો તેને સરસવનું તેલ, મીઠું, લીંબુ, ડુંગળી અને લીલા મરચાને મિક્સ કરીને બનાવતા હતા અને તેને ખાતા હતા. તેમાં કશું જ રાંધવામાં આવતું નથી. ઉપરાંત તેમાં મસાલાનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવતો ન હતો.

આ પણ વાંચો - તૂટક તૂટક ઉપવાસ શું છે? નિષ્ણાતોએ જણાવી શરીર પર થતી તેની અસર

Advertisment

પૌવાનો નાસ્તો

પૌવા યુપી-બિહારના ઘરોમાં સવારનો પ્રખ્યાત નાસ્તો છે. આમાં લોકો પૌવાને થોડા તેલમાં નાખીને એક કડાઇમાં શેકી લે છે અને પછી તેમાં મીઠું, લીંબુ, ડુંગળી અને લીલા મરચા ઉમેરે છે. કેટલાક લોકો તેમાં ચણા અને મગફળી ઉમેરવાનું પણ પસંદ કરે છે.

પોપકોર્ન

પોપકોર્ન હંમેશાથી સૌથી ફેમસ સાંજના નાસ્તામાંથી એક રહ્યો છે. દરેકને તેનો ટેસ્ટ પસંદ પડે છે. તમે તેને અજમાવી પણ શકો છો. આ ભારતના ત્રણ સૌથી જૂના અને ફેમસ દાદીના જમાનાના સ્નેક્સ જેને તમે વધારે મહેનત વગર સાંજે ખાઈ શકો છો.

રેસીપી જીવનશૈલી