સ્વીટ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, નિષ્ણાત પાસેથી જાણો

Eating Sweets And Drinking Water: મીઠાઈની સાથે પાણી પીવાથી શરીરના (Eating Sweets And Drinking Water) સ્વાસ્થ્ય (Health)ને નુકસાન કરે છે, દક્ષિણ અમેરિકાના સુરીનામના વૈજ્ઞાનિકોએ પાણી સાથે અથવા વગર જામ ડોનટ્સ ખાનારા લોકોના બ્લડ સુગર લેવલ (blood sugar)નું વિશ્લેષણ કર્યું હતું અને જાણવા મળ્યું કે જે લોકોએ તેમની મીઠાઈઓ અને પાણી સાથે (Eating Sweets And Drinking Water) લીધું છે તેમના લોહીમાં બ્લડ સુગર (blood sugar) લેવલ વધારે હોય છે.

Written by shivani chauhan
January 30, 2023 18:28 IST
સ્વીટ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, નિષ્ણાત પાસેથી જાણો
મીઠાઈ ખાતી વખતે પાણી પીવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. (Photo : Pixabay)

Eating Sweets And Drinking Water: આપણે બધાને કોઈક સમયે આપણી મનપસંદ મીઠાઈ ખાવી ગમે છે અને તેની સાથે પાણી પણ આપણે પીતા હોઈ છીએ, પરંતુ જો નવા સંશોધનનું માનીએ તો, તમારે તમારા સારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

દક્ષિણ અમેરિકાના સુરીનામના વૈજ્ઞાનિકોએ પાણી સાથે અથવા વગર જામ ડોનટ્સ ખાનારા લોકોના બ્લડ સુગર લેવલનું વિશ્લેષણ કર્યું હતું અને જાણવા મળ્યું કે જે લોકોએ તેમની મીઠાઈઓ અને પાણી સાથે લીધું છે તેમના લોહીમાં બ્લડ સુગર લેવલ વધારે હોય છે.

એક સંશોધન મુજબ, તમે જેટલું વધુ પાણી પીશો, તેટલું ઓછું તમે ખાંડ અને સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર ખોરાક ખાશો, પરંતુ હવે એક નવા અભ્યાસ એ હકીકત સાબિત કરે છે કે, મીઠાઈ ખાધા પછી પાણી પીવાથી બ્લડ સુગરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે.

આ પણ વાંચો : બ્લેક રાઈસ, રેડ રાઈસ,વાઈટ રાઈસ કે બ્રાઉન રાઈસ : ક્યાં ચોખા તમારા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક?

એન્ટોન ડી કોમ યુનિવર્સિટીના અભ્યાસમાં માત્ર ડોનટ્સ ખાવાનો સમાવેશ થાય છે, પરંતુ તે જ સિદ્ધાંત અન્ય ખાદ્યપદાર્થોને પણ લાગુ પડે છે તે સૂચવે છે. અભ્યાસ માટે, જે જર્નલ ક્લિનિકલ ન્યુટ્રિશન ESPN માં પ્રકાશિત થયું હતું, 35 લોકોના જૂથમાં બ્લડ સુગર લેવલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમણે જામ ડોનટ ખાધું છે અને ખાધા પહેલા કે પછી પાણી પીધું છે, અથવા બિલકુલ પીધું નથી.

એવું નોંધવામાં આવ્યું હતું કે જે લોકો ડોનટ્સ સાથે પાણી પીતા હતા તેમના લોહીમાં સુગર લેવલ અન્ય કરતા બે ગણું વધારે જોવા મળ્યું હતું.

મીઠાઈ ખાધા પછી તરસ કેમ લાગે છે?

આ ગ્લુકોઝને કારણે એવું થાય છે. મીઠાઈઓમાં સમાયેલ ગ્લુકોઝ પેટને ખાલી થવામાં લાગેલા સમયને ધીમો કરે છે. જેના કારણે પ્રવાહી આંતરડામાં પહોંચતું નથી, જ્યાં તેને શોષી શકાય છે અને પછી તમને તરસ લાગે છે.

પરંતુ જો તમે પાણી પીતા હોવ તો પણ આ સમય દરમિયાન તમારી તરસ છીપતી નથી. શોષણનો સમય પૂરો ન થાય એટલે કે જ્યાં સુધી શરીર દ્વારા તમામ ગ્લુકોઝનો વપરાશ ન થાય ત્યાં સુધી તમને તરસ લાગે છે.

આ પણ વાંચો : ગાય જેવા પ્રાણીઓ કેવી રીતે આબોહવા પરિવર્તનમાં ફાળો આપે છે?

પાચન તંત્ર કેવી રીતે કામ કરે છે?

જ્યારે તમે ખાવાનું શરૂ કરો છો, ત્યારે મોંમાં લાળ ગ્રંથીઓ ઉત્પન્ન થવા લાગે છે. જેમાં ઉત્સેચકો હોય છે. જે ખાવાની ક્રેવિંગને ઘટાડવામાં મદદ કરે છે. પેટમાં એસિડિક હોજરીનો રસ ભળતા જાડું પ્રવાહી બને છે. પ્રવાહી નાના આંતરડામાં જાય છે અને પોષક તત્વો શોષાય છે.

લોહીમાં પોષક તત્વો જુદા જુદા ભાગોમાં જાય છે.લોહીમાં પોષક તત્વો જુદા જુદા ભાગોમાં જાય છે. જ્યારે બચેલી સામગ્રી બહાર આવે છે ત્યારે પાચન અટકી જાય છે. પાચન પ્રક્રિયા પૂર્ણ થવામાં 24 થી 72 કલાકનો સમય લાગે છે. પૂરતા પ્રમાણમાં પ્રવાહીનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે કેટલાક લોકો માને છે કે ખાધા પછી પાણી પીવું સારું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ