/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/White-chilli-consume-weight-loss.jpg)
વજન ઘટાડવા કરો સફેદ મરચાનું સેવન
સફેદ મરચા ના સેવનથી ફાયદા : દેશ અને દુનિયામાં સ્થૂળતાથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સ્થૂળતા એ પણ એક રોગ છે, જે દેશ અને વિશ્વના મોટાભાગના લોકોને પરેશાન કરે છે. સ્થૂળતાને નિયંત્રણમાં રાખવા માટે લોકો ડાયટ પર જાય છે અને જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે, તેમ છતાં તેમને જોઈતો ફરક નથી મળતો. તમે જાણતા જ હશો કે, વજન વધવા માટે માત્ર આહાર જ જવાબદાર નથી, પરંતુ હોર્મોનલ ફેરફારોને કારણે પણ લોકોનું વજન ઝડપથી વધે છે. આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
તણાવ, ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી હોર્મોનલ ફેરફારો માટે જવાબદાર છે. હેલ્થ લાઈન મુજબ, જો તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો તમારે તમારા આહારમાં કેટલાક ખાસ મસાલા લેવા જોઈએ. તમે તમારા આહારમાં અમુક મસાલાનું સેવન કરીને અને તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને સ્થૂળતાને નિયંત્રિત કરી શકો છો.
સફેદ મરચું એક એવો મસાલો છે, જેને દખની મરચા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ મરચું વજનને નિયંત્રિત કરવામાં જાદુઈ અસર કરે છે. આયુર્વેદ નિષ્ણાંત ડૉ.અમિત કુમારે જણાવ્યું કે, દખની મરચાનો ઉપયોગ મોટાભાગની ઔષધિઓમાં થાય છે. આ મરચાંનો આયુર્વેદિક દવાઓમાં ભરપૂર ઉપયોગ થાય છે. આ ગરમ તાસીરના મરચાનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. આ મરચું સ્થૂળતા ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
જો સફેદ મરચું ખાવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે તો તે ખાવામાં બહુ મસાલેદાર સ્વાદ નથી આપતું પરંતુ, સ્વાદ અને પોષણ અકબંધ તો રહે છે. આ મરચાંનું સેવન કરવાથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો, આ સફેદ મરચાનું સેવન કરો. તો ચાલો જાણીએ કે સફેદ મરચું સ્થૂળતાને કેવી રીતે નિયંત્રિત કરે છે અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
સફેદ મરચું સ્થૂળતાને કેવી રીતે નિયંત્રિત કરે છે?
જો તમે વધતા વજનને નિયંત્રિત કરવા માંગતા હોવ તો તમારે સફેદ મરચાનું સેવન કરવું જોઈએ. સફેદ મરચામાં પેપરિન નામનું ખાસ તત્વ હોય છે, જે મેટાબોલિઝમને વેગ આપે છે. તેનું સેવન કરવાથી વજન સરળતાથી અને ઝડપથી ઘટાડી શકાય છે. દખની મરચું વજન વધવાના કારણોને અટકાવે છે અને સ્થૂળતાને નિયંત્રિત કરે છે. સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, સફેદ મરચાની થોડી માત્રા પણ ખૂબ અસરકારક સાબિત થાય છે.
દૃષ્ટિ સુધારે છે
જે લોકોની દૃષ્ટિ નબળી હોય અને આંખોથી જોઈ ન શકતા હોય તેમણે સવાર-સાંજ દખની મરચાનું સેવન કરવું જોઈએ. મોતિયાથી પીડિત લોકોએ પણ આ મરચાનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી આંખોની રોશની સુધરશે અને આંખ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
માથાનો દુખાવો દૂર થાય છે
જે લોકોને વારંવાર માથાનો દુખાવો થતો હોય તેઓએ રોજ સફેદ મરચાનું સેવન કરવું જોઈએ. માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે 100 ગ્રામ બદામ, 50 ગ્રામ સફેદ મરી, 50 ગ્રામ દોરાવાળી ખાંડ (હાયડો) મિક્સ કરીને બધી વસ્તુઓને પીસીને તેનો પાવડર બનાવી લો. સવાર-સાંજ આ પાઉડરનું સેવન કરો, તેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થશે. સવાર-સાંજ અડધી ચમચી આ પાવડરનું સેવન કરવાથી માથાના દુખાવામાં આરામ મળશે.
સફેદ મરચાનું સેવન કેટલું અને કેવી રીતે કરવું?
વજન ઘટાડવા માટે આ મરચાંનું દિવસમાં બે વાર સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સવાર-સાંજ 250 મિલિગ્રામ આ પાઉડરનું સેવન કરવાથી માત્ર સ્થૂળતા જ ઓછી નથી થતી પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અગણિત ફાયદા છે.
તમે સફેદ મરચાને પાવડર સ્વરૂપે ખાઈ શકો છો. તમે તેને ગ્રાઇન્ડ કરી શકો છો અને તેને ખોરાક અથવા સલાડમાં પણ ઉમેરી શકો છો.
તમે સફેદ મરચાનો ઉકાળો બનાવીને પણ પી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us