/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/garlic-under-pillow-benefits.jpg)
તમે જાણો છો કે રાત્રે જ્યારે તમે લસણની કળી ઓશીકા નીચે રાખીને ઊંઘો છો ત્યારે શું થાય છે (તસવીર - ફ્રીપિક)
Why Do People Put Garlic Under the Pillow: લસણનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં થાય છે. ખોરાકનો સ્વાદ વધારવા માટે લોકો લસણનો ઉપયોગ કરે છે. લસણ એ આપણા દૈનિક આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. લસણ એક ઔષધિ છે, જેનો ઉપયોગ મુખ્યત્વે મસાલા, આરોગ્યના ઉપચાર અને પરંપરાગત દવાઓમાં થાય છે.
લસણમાં કાર્બોહાઈડ્રેટ, કોપર, ફોસ્ફરસ, ડાયેટરી ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, આયર્ન, વિટામિન સી, બી6, મેંગેનીઝ, કેલ્શિયમ, સેલેનિયમ, ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે જ્યારે તમે લસણની કળી ઓશીકા નીચે રાખીને ઊંઘો છો ત્યારે શું થાય છે, તમે પણ વિચારશો કે, લસણ અને ઉંઘ વચ્ચે શું સંબંધ છે? પરંતુ પ્રાચીન આયુર્વેદમાં આ ઉપાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ શું થયું હતું.
ઘણા લોકો માને છે કે રોજિંદા જીવનમાં લસણ રસોડા સુધી મર્યાદિત છે. જો કે આયુર્વેદ અને કેટલાક ઘરેલુ ઉપચારમાં વિશ્વાસ રાખનારા લોકોનું કહેવું છે કે જો લસણની કાળી રાત્રે ઊંઘતી વખતે ઓશીકા નીચે રાખવામાં આવે તો તેનાથી ઊંઘ જ નહીં સ્વાસ્થ્ય પણ સુધરે છે. લસણને ઓશીકા નીચે મૂકવાનું રહસ્ય શું છે? આજે જાણીશું…
શાંતિથી ઊંઘ અપાવે છે
સમયસર પૂરતી ઊંઘ ન આવવી એ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. માનસિક તણાવ એટલો વધારે છે કે લોકો પથારીમાં ઊંઘતી વખતે પડખા ફરતા રહે છે. કેટલાક લોકો કહે છે કે લસણમાં રહેલા સલ્ફરયુક્ત સંયોજનો અને તેની વિશિષ્ટ ગંધ મગજ પર હળવી ઊંઘની અસર કરે છે. લસણમાં વિટામિન બી6 હોય છે. અનિંદ્રાની બીમારીમાં અત્યંત ઉપયોગી છે.
આ પણ વાંચો - કેળાને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખવા? અહીં જાણો ઘરેલું ઉપાય
અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફમાં રાહત
લસણમાં 'એલિસિન' નામનું કમ્પાઉન્ડ હોય છે, જે જીવાણુઓ અને વાયરસને મારવામાં મદદ કરે છે. લસણની ગંધથી કેટલાક લોકોને શ્વાસ લેવામાં સરળતા રહે છે.
નકારાત્મક ઊર્જા દૂર થાય છે
કેટલાક લોકોના મતે લસણ નકારાત્મક ઊર્જા અને દુઃસ્વપ્નોને દૂર રાખે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ વાત સાચી મનાય છે. એટલા માટે ઘણા લોકો લસણને ઓશિકાની નીચે મૂકે છે.
મચ્છર અને જીવજંતુઓ દૂર રહે છે
જો રાત્રે ઊંઘતી વખતે મચ્છર, માખી કે અન્ય જીવજંતુઓ તમને પરેશાન કરી રહ્યા હોય તો તમારે લસણની કળીઓને ઓશિકાની નીચે રાખવી જોઈએ. જૂના જમાનામાં લોકો આ ઉપાયનો ઉપયોગ કરતા હતા. ઘણા લોકોનું કહેવું છે કે લસણની સુગંધથી ઘરમાં રહેલા જીવજંતુઓ તકિયાની નજીક નથી આવતા.
(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે એક્સપર્ટની સલાહ આવશ્યક છે.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us