Winter Diet : શિયાળામાં રોજ ખાઓ આ 3 બ્લેક ફૂડ, બીમારીઓ દૂર રહેશે,ખાંસી શરદીથી લઈને હૃદય અને હાડકાં સંબંધિત દરેક સમસ્યામાં અસરકારક

Winter Diet : શિયાળા (Winter) ની ઋતુમાં હૃદય અને બીપીના દર્દીઓની સમસ્યા વધી જાય છે. તે જ સમયે, આ બ્લેક ફૂડમાં (Black Food) હાજર મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને રક્ત વાહિનીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ છે.

Winter Diet : શિયાળા (Winter) ની ઋતુમાં હૃદય અને બીપીના દર્દીઓની સમસ્યા વધી જાય છે. તે જ સમયે, આ બ્લેક ફૂડમાં (Black Food) હાજર મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને રક્ત વાહિનીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Winter diet Black food for cough cold joint pain health tips gujarati news

Winter Diet : શિયાળામાં રોજ ખાઓ આ 3 બ્લેક ફૂડ, બીમારીઓ દૂર રહેશે, ખાંસી શરદીથી લઈને હૃદય અને હાડકાં સંબંધિત દરેક સમસ્યામાં અસરકારક

Winter Diet : શિયાળા (Winter) ની ઋતુ શરૂ થઈ ગઈ છે. જ્યારે મોટાભાગના લોકોને આ ઋતુ ગમે છે ત્યારે ઠંડીમાં રોગોનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, તમારે તમારા સ્વાસ્થ્ય(Health) પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. જો કે, રાહતની વાત એ છે કે આ સિઝનમાં કેટલીક ખાસ વસ્તુઓને તમારા આહાર (healthy Diet) નો ભાગ બનાવીને તમે તમારી જાતને ઘણી બીમારીઓથી દૂર રાખી શકો છો. આ આર્ટીકલમાં અમે તમને આવા જ 3 કાળા ખાદ્યપદાર્થો વિશે જણાવી રહ્યા છીએ, જેના નિયમિત સેવનથી તમને શિયાળાની ઋતુમાં ઘણી રીતે ફાયદો થઈ શકે છે.

Advertisment

કાળા તલ

કાળા તલમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફાયબર, ફોસ્ફરસ, ફેટી એસિડ્સ, ઝિંક ઉપરાંત શરીર માટે જરૂરી એવા ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય નિષ્ણાતો ખાસ કરીને શિયાળાની ઋતુમાં કાળા તલના નિયમિત સેવનની ભલામણ કરે છે.

આ પણ વાંચો: Heart Attack: કેમ સવારે વધારે હાર્ટ એટેક આવે છે? ધૂમ ફિલ્મના ડિરેક્ટર સંજય ગઢવીનું મોર્નિંગ વોક વખતે મોત થયું

કેવી રીતે ફાયદાકારક?

  • શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને સાંધામાં દુખાવો કે સોજાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમને પણ આવી સ્થિતિનો સામનો કરવો પડે છે તો તમે કાળા તલનું સેવન કરી શકો છો. આ સિવાય સાંધા પર કાળા તલનું તેલ લગાવવાથી દુખાવો અને સોજાની સમસ્યામાં પણ રાહત મળે છે.
  • ઠંડીની ઋતુમાં હૃદય અને બીપીના દર્દીઓની સમસ્યા વધી જાય છે. તે જ સમયે, કાળા તલમાં હાજર મેગ્નેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવા અને રક્ત વાહિનીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ છે. કાળા તલના બીજમાં ઉચ્ચ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે, તેથી તેનું સેવન તણાવ ઘટાડવામાં અને હૃદય રોગ અને અલ્ઝાઈમર રોગને રોકવામાં પણ મદદરૂપ છે.
  • શિયાળામાં વજન ઝડપથી વધે છે. આ સિઝનમાં લોકો ન માત્ર તળેલું ખાવાનું વધારે ખાતા હોય છે, પરંતુ શરદીને કારણે એક્સરસાઇઝ કરવાથી પણ દૂર રહે છે. આવી સ્થિતિમાં ધીમે ધીમે શરીર પર ચરબી જમા થવા લાગે છે. તલ પણ આ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. આ બીજમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને પ્રોત્સાહન આપીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • આ બધા સિવાય ઠંડીમાં ત્વચા પણ શુષ્ક અને નિર્જીવ લાગે છે. સાથે જ આ સિઝનમાં વાળ પણ વધુ ડ્રાય થઈ જાય છે. આ બંને સમસ્યાઓમાં કાળા તલનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Advertisment

કાળા મરી

તમે અવારનવાર દાદીમાને શિયાળાના આહારમાં કાળા મરીને એક ભાગ બનાવવાની સલાહ આપતા સાંભળ્યા હશે. કાળા મરીમાં મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ, વિટામિન બી6, ઝિંક, સોડિયમ, થિયામીન વગેરે જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો: Winter Diet : આ 3 પ્રકારની ચા શિયાળામાં શરીરને ગરમ રાખશે, સામાન્ય ચા કરતાં અનેકગણી વધુ અસરકારક

કેવી રીતે ફાયદાકારક?

  • શિયાળાની ઋતુમાં ગળાને લગતી સમસ્યાઓ અથવા શરદી અને ખાંસી થવી સામાન્ય બાબત છે. તે જ સમયે, કાળા મરીમાં હાજર પાઇપરિન આ બધી સમસ્યાઓમાં ઝડપથી અસર બતાવીને રાહત અપાવવામાં મદદ કરે છે.
  • ઠંડા હવામાનમાં વાયરલ ચેપનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સ્થિતિમાં, કાળા મરીમાં હાજર એન્ટિ-માઈક્રોબાયલ ગુણ તમને ફાયદો પહોંચાડી શકે છે.
  • તેમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-આર્થરાઇટિક અસર સંધિવાના દુખાવાથી રાહત આપવામાં મદદ કરે છે જે ઠંડીમાં વધે છે.
  • આ સિઝનમાં તમે તળેલા ખોરાકનું વધુ સેવન કરો છો, જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ તમને ઝડપથી ઘેરી લે છે. આવી સ્થિતિમાં પણ યોગ્ય માત્રામાં કાળા મરીનું સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે છે. જ્યારે કાળી મરી કાચી ખાવામાં આવે છે, ત્યારે પેટમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ નીકળે છે, જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે, અને તે આંતરડાને સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે, જેનાથી જઠરાંત્રિય રોગો મટે છે.

કાળા કિસમિસ

કાળી કિસમિસમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો સારી માત્રામાં હોય છે.

કેવી રીતે ફાયદાકારક?

  • ફાઈબરથી ભરપૂર કાળા કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે.
  • પલાળેલી કાળી કિસમિસ ખાવાથી તેમાં હાજર મિનરલ્સ કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડે છે.
  • કાળી કિસમિસમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી ત્વચાને સુધારવામાં મદદ કરશે. તેનું નિયમિત સેવન વધતી ઉંમર સાથે ત્વચા પર દેખાતા લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • શિયાળાની ઋતુમાં આળસ મોટાભાગના લોકોને ઘેરી લે છે. આવી સ્થિતિમાં પણ કાળી કિશમિશનું સેવન તમને લાભ આપી શકે છે. ખાલી પેટ કાળી કિસમિસ ખાવાથી તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો.
શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips