/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/winter-diet-what-happens-to-your-body-when-you-eat-curd-in-winter-everyday-.jpg)
Winter Diet : જો તમે શિયાળામાં દરરોજ દહીં ખાઓ તો તમારા શરીર પર શું થાય છે? એક્સપર્ટે કહ્યું..
Winter Diet : મોટાભાગના લોકોને તેમના ભોજન સાથે અથવા જમ્યા પછી દહીં (Curd) ખાવાનું પસંદ છે. પરંતુ, જ્યારે શિયાળો (Winter) આવે છે ત્યારે ઘણા લોકો દહીં ખાવાનું ટાળે છે. કારણ કે શિયાળામાં દહીં(Curd) ખાવું યોગ્ય છે કે નહિ તે અંગે ઘણા લોકોના મત અલગ-અલગ હોય છે. તેથી લોકો વારંવાર વિચારે છે કે શિયાળા(Winter) માં દહીં (Curd) ખાવું કે નહીં, આ ઉપરાંત, કેટલાક લોકો દહીં ખાવાનું બંધ કરવાની સલાહ આપે છે. ખરેખર શું કરવું જોઈએ? અહીં તમારા દહીં(Curd) ખાવા સંબંધિત પ્રશ્નોના જવાબ અને શિયાળામાં દહીં(Curd In Winter) ખાવાથી તમારા શરીર પર શું અસર થાય છે તે જણાવ્યું છે.
ન્યુટ્રિશનિસ્ટ કિરણ કુકરેજાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં કહ્યું કે, લોકોને ખોટી માન્યતા છે કે દહીં ઠંડું છે. શિયાળામાં દહીંનું સેવન કરવું સારું માનવામાં આવે છે કારણ કે તે ગરમ હોય છે. તેની શરીર પર પણ સારી અસર પડે છે. સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. પૂજા શર્માએ 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'ને જણાવ્યું છે કે, “તમે શિયાળા દરમિયાન તમારા ડાયટમાં દહીંનો સમાવેશ કરી શકો છો. કારણ કે તે દહીં તમને શરદીથી રાહત આપે છે. દહીં હેલ્થી પ્રો-બાયોટિક્સ પણ છે, જે તમારા આંતરડા માટે જરૂરી છે, તેથી "તમારા શરીરની પસંદગીઓ નક્કી કરો અને સંતુલિત આહારના ભાગ રૂપે દહીંનો ઉપયોગ કરવાનું વિચારો.''
આ પણ વાંચો: Hakini Mudra : વિરાટ કોહલી સહીત ઘણા સેલિબ્રિટી કરે છે આ મુદ્રા, કેમ છે હકીની મુદ્રા આટલી પાવરફુલ?
એક્સપર્ટે કહ્યું કે, “દહીં પાચનને ઉત્તેજિત કરે છે અને ચયાપચય વધારવામાં મદદ કરે છે, જે શરીરમાં આંતરિક ગરમી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ પ્રો-બાયોટિક્સ પાચનમાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે, જે તમને ચેપી રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.”
જો તમે ઠંડા દિવસોમાં શરદી અને ઉધરસથી પીડાતા હોવ, તો ફ્રિજમાંથી સીધું કાઢેલું દહીં ખાવાનું ટાળો, નહિંતર તે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉપાય તરીકે, જો તમે કાળા મરીના પાવડર સાથે દહીં ખાશો તો તમને ગળામાં દુખાવો નહીં થાય.
જો તમે શિયાળામાં દરરોજ દહીં ખાઓ તો શું થાય છે?
સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ ડો. પૂજા શર્માએ કહ્યું કે શિયાળામાં દહીં ખાવું ફાયદાકારક હોઈ શકે છે. કારણ કે તેઓ આંતરડાના સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રો-બાયોટિક્સ પ્રદાન કરે છે, જે પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. “રોજ એક કપ દહીં ખાવાથી તમારા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધે છે, જે કોર્ટીસોલના ઉત્પાદનને મર્યાદિત કરે છે (કોર્ટિસોલએ સ્ટીરોઈડ હોર્મોન છે). તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.''
હેલ્થ કોચ ડેનિશ અબ્બાસી કહે છે કે, “દહીંમાં બાયોએક્ટિવ પેપ્ટાઈડ્સ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને હાઈ બ્લડ પ્રેશરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. દહીંમાં પ્રો-બાયોટિક્સ વધુ સારા કોલેસ્ટ્રોલ લેવલ સાથે સંકળાયેલા છે, જે હૃદય રોગના જોખમમાં ઘટાડો સાથે સંકળાયેલા છે.”
આ પણ વાંચો: Health Tips: શિયાળામાં અખરોટ ખાવાથી મગજથી લઇ પગ સુધીની હેલ્થ સારી રહેશે
દહીં શરીરના અમુક ભાગોમાં દુર્બળ સ્નાયુઓની તંદુરસ્તી જાળવી રાખે છે, જે વજન ઘટાડ્યા પછી ઘણા દિવસો સુધી તમારા શરીરનો શેપ જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, શિયાળામાં દહીં ન ખાવું જોઈએ એવી ખોટી માન્યતા છે. તેનાથી વિપરિત, શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આરોગ્ય માટે ખોરાકમાં ગરમ ​​ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us