/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/green-Vegetables.jpg)
Vegetables To Avoid In Winter: શિયાળામાં વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાકભાજી આવે છે. આ સમયે શરીરના કામની ગતિ થોડી મંદ પડી જાય છે, તેથી આહારની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરવી જોઈએ. ખાસ કરીને શાકભાજી, કારણ કે તેમની શરીર પર સીધી અસર કરે છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કેટલાક શાકભાજી ઠંડીમાં શરીરને ગરમ અને મજબૂત બનાવે છે, જ્યારે કેટલાક પાચનને બગાડી શકે છે અને ઘણી સમસ્યાઓ વધારી શકે છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે શિયાળામાં કયા શાકભાજીનું સેવન કરવું જોઈએ અને કઇ શાકભાજી ખાવાનું ટાળવું જોઇએ. તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે શિયાળામાં કઇ શાકભાજી ખાવી જોઇએ નહીં.
શિયાળામાં કયા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ?
કાકડી
કાકડી પાણીથી સમૃદ્ધ અને ઠંડા સ્વાદવાળી શાકભાજી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, શિયાળામાં તેના સેવનથી શરીરનું તાપમાન ઘટી શકે છે, જે ઉધરસ અને શરદીનું કારણ બની શકે છે. તેથી, ઠંડીની સીઝનમાં તેનું ઓછું સેવન કરો.
દૂધી
દૂધી ઉનાળામાં ફાયદાકારક છે, પરંતુ શિયાળામાં તે શરીરમાં ઠંડક વધારે છે અને પાચનને ધીમું કરી શકે છે. તેનાથી પેટલનું ફુલવું અને ભારેપણું અનુભવી શકે છે.
શલગમ
સલગમની અસર ઠંડક વાળી હોય છે. જે લોકોને પહેલાથી જ ગેસ, પેટમાં દુખાવો અથવા શરદીની સમસ્યા હોય છે તેઓએ શિયાળામાં તેનું મર્યાદિત સેવન કરવું જોઈએ.
લીલું કોથમીર
લીલા કોથમીરનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તેની તાસીર ઠંડી હોય છે. તેનું વધુ માત્રામાં સેવન કરવાથી શરદી વધી શકે છે. તેથી, ઠંડીની ઋતુમાં તેનાથી બચવું વધુ સારું છે.
કોબી અને બીન્સ
કોબી અને બીન્સ ગેસ કરે તેવા શાકભાજી છે. શિયાળામાં પેટમાં ખેંચાણ, ગેસ અને અપચોનું કારણ બની શકે છે. એટલે વિચારપૂર્વક સેવન કરો.
વટાણા
વટાણા સ્વાદિષ્ટ હોવા છતાં, ઠંડીમાં તે ગેસ બનાવવાનું કામ કરે છે. તેનું સેવન પાચનને નબળું પાડી શકે છે અને પેટને લગતી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, તેનું મર્યાદિત સેવન કરો.
કારેલા અને કેપ્સિકમ
કારેલો અને કેપ્સિકમ બંને ઠંડા શાકભાજી છે. તેમાં રહેલા ઘટકો શરીરનું તાપમાન ઘટાડે છે, જે ઠંડી અને શરદીની સમસ્યા વધારી શકે છે.
અરવી
અરવી પચવામાં ભારે છે અને શરીરમાં ઠંડક અને ગેસ વધારી શકે છે. તેથી, શિયાળામાં તેને સેવન કરવાનું ટાળવું જોઇએ.
શિયાળામાં કયા શાકભાજી ફાયદાકારક છે?
લીલા પાંદડાવાળા શાકભાજી
શિયાળામાં લીલા શાકભાજીનું સેવન શરીરને મજબૂત બનાવે છે. પાલક, મેથી અને લાલ કોબી વિટામિન એ, સી, કે, આયર્ન અને કેલ્શિયમથી સમૃદ્ધ છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, શરદી અને ઉધરસ સામે રક્ષણ આપે છે અને શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તેમા હાજર એન્ટીઓક્સિડન્ટ્સ થાક દૂર કરે છે અને ઊર્જા આપે છે.
કંદમૂળ શાકભાજી
ગાજર, બીટ અને મૂળા જેવા શાકભાજી શિયાળામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે જમીનની અંદર ઉગે છે, તેથી તેની તાસીર ગરમ હોય છે. તે શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઠંડી સહન કરવાની ક્ષમતામાં વધારો કરે છે. ગાજર અને બીટમાં હાજર બીટા કેરોટિન અને આયર્ન એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે મૂળા પાચનમાં સુધારો કરે છે અને બોડી ડિટોક્સનું કામ પણ કરે છે. તેને સૂપ, સલાડ અથવા શાકભાજીના રૂપમાં નિયમિતપણે ખાઈ શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us