Health Tips: રોટલી પર ઘી લગાવી ખાવું યોગ્ય છે? શરીરના વજન થી લઇ મગજ સુધી કેવી અસર થાય છે જાણો

Roti With Ghee Is Good Or Bad For Health Tips: ભારતમાં રોટલી પર ઘી લગાવી ખાવામાં આવે છે. ગરમાગરમ ઘી વાળી રોટલી ખાવાથી શરીર પર કેવી અસર થાય છે, શું વજન વધી શકે છે જેવા પ્રશ્નનો જવાબ અહીં મળશે.

Roti With Ghee Is Good Or Bad For Health Tips: ભારતમાં રોટલી પર ઘી લગાવી ખાવામાં આવે છે. ગરમાગરમ ઘી વાળી રોટલી ખાવાથી શરીર પર કેવી અસર થાય છે, શું વજન વધી શકે છે જેવા પ્રશ્નનો જવાબ અહીં મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
roti with ghee is good or bad | health tip

Roti With Ghee Is Good Or Bad For Health Tips: રોટલી પર ઘી લાગવી ખાવામાં આવે છે. (Photo: Freepik)

Roti With Ghee Is Good Or Bad For Health Tips: રોટલી ભારતીયો ભોજનનો મુખ્ય હિસ્સો છે. મોટાભાગના લોકો રોટલી પર ઘી લગાવી ખાય છે. ઘી વાળી રોટલી શરીર માટે ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. ગરમાગરમ ઘી વાળી રોટલી ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, ખાવામાં ટેસ્ટી અને ભૂખ વધારનાર ઘી વાળી રોટલી ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે. શું તેનાથી વજન વધે છે?

Advertisment

મોટાભાગના ડાયટિશિયન્સની એવી સલાહ છે કે તમે રોટલી સાથે ઘી ખાવું નહીં. ડાયટિશિયન્સનું માનવું છે કે ઘીમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે જે તમારા શરીરમાં કેલરી વધારે છે, જેનાથી તમારું વજન વધે છે.

કાનપુરના સ્વરૂપ નગર સ્થિત ગેસ્ટ્રો લિવર હોસ્પિટલના ડો.વી.કે.મિશ્રાએ જણાવ્યું હતું કે, ઘી તમારા ભોજનનો સ્વાદ વધારે છે. દાળ, શાક, ભાત અને રોટલી પર ઘી લગાવવાથી તેનો સ્વાદ વધે છે, તેમાં કોઈ શંકા નથી. એક્સપર્ટ્સ જણાવે છે કે, જો તમે દરરોજ મર્યાદિત માત્રામાં ઘીનું સેવન કરશો તો ઘી તમારું વજન નહીં વધારે પરંતુ ઘટી શકે છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે રોજ ઘી વાળી રોટલી ખાવી સારું છે કે ખરાબ. રોટલી પર ઘી લગાવી ખાવાથી શરીર પર કેવી અસર થાય છે?

ઘી વાળી રોટલી ખાવાથી વજન વધે છે?

ઘી ભોજનનો સ્વાદ વધારે છે. દિવસની શરૂઆત ઘી સાથે કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. ખાલી પેટે ઘી ખાવાથી મેટાબોલિઝમ વધે છે, જેના કારણે વજન ઘટાડવામાં સરળતા રહે છે. ઘીમાં રહેલું ફેટ કન્ટેન્ટ વેટ લોસ કરવામાં મદદ કરે છે. જો તમે રોજ રોટલી પર મર્યાદિત પ્રમાણમાં ઘી લગાવી સેવન કરશો તો તમારું વજન ઘટી શકે છે.

Advertisment

રોટલી પર ઘી લગાવી ખાવાથી મગજની કામગીરી પર કેવી અસર થાય છે?

રોટલી પર ઘી લગાવી ખાવાથી મગજની કામગીરી પર પણ અસર થાય છે. ઘી એક એવો ખોરાક છે જેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેમા સેચ્યુરેટેડ ફેટ પણ ખૂબ જ સારું હોય છે, આ બંને વસ્તુઓ મગજની કામગીરીને સુધારવામાં મદદ કરે છે. રોટલી પર ઘી લગાવી ખાવાથી મગજની કામગીરી સુધરે છે અને હાડકાના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે. દરરોજ ઘી ખાવાથી તમારી નર્વસ સિસ્ટમ પણ વધુ સારી રીતે કાર્ય કરે છે. દરરોજ મર્યાદિત માત્રામાં ઘી ખાવાથી તમારું મગજ સ્વસ્થ રહે છે. ઘી મગજના કોષોને ફરીથી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

ઘી ખાવાથી બોડીના એનર્જી લેવલ પર કેવી અસર થાય છે?

આપણે બધા જાણીએ છીએ કે ઘીમાં કેલરી વધુ હોય છે જે શરીરને ઉર્જા આપે છે. રોટલી પર ઘી લગાવી ખાવાથી રોટલીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો થાય છે, જે શરીરને ટકાઉ ઉર્જા આપે છે. સતત એનર્જી લેવલ તમારા બ્લડ સુગર લેવલને સામાન્ય રાખે છે.

રોટલી પર ઘી લગાવી ખાવાથી વજન વધે છે?

રોટલી પર ઘી લગાવી ખાવાથી તમારી ખોરાકની તૃષ્ણા નિયંત્રણમાં રહે છે અને તમારું પેટ ભરેલું રહે છે. ઘી વાળી રોટલી તમારા ચયાપચયને સ્થિર કરે છે, તેનું મર્યાદિત સેવન કરવાથી વજન વધવાનું જોખમ રહેતું નથી.

ઘી વાળી રોટલી ખાવાના ફાયદા

દરરોજ ઘી વાળી રોટલી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ઘીમાં શરીર માટે જરૂરી ફેટી એસિડ્સ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.

જીવનશૈલી health tips