World Blood Donor Day : આજે વિશ્વ રક્તદાન દિવસ, રક્તદાનએ ‘એક સપ્તાહની કસરત સમાન’ છે

World Blood Donor Day : આ વર્ષની વિશ્વ રક્તદાન દિવસની થીમ ''ગીવ બ્લડ,ગીવ પ્લાઝ્મા, શેર લાઈફ, શેર ઓફન'' છે. કાર્લ લેન્ડસ્ટેઇનરના માનમાં 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

Written by shivani chauhan
June 14, 2023 11:08 IST
World Blood Donor Day : આજે વિશ્વ રક્તદાન દિવસ, રક્તદાનએ ‘એક સપ્તાહની કસરત સમાન’ છે
નિષ્ણાતોએ લોકોને રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો

ટ્રેડમિલ પર 30 મિનિટ ચાલવા અથવા ઝડપી ચાલવાથી દરરોજ 150 કેલરી ઘટે છે. જો તમે અઠવાડિયામાં ચાર દિવસ કસરત કરો છો, તો તમે 600 કેલરી ગુમાવો છો. શું કોઈ સરળ વિકલ્પ છે? અવશ્ય છે, તમે રક્તદાન કરો, ડૉ. સી શિવરામ, સલાહકાર અને વડા, ટ્રાન્સફ્યુઝન મેડિસિન, મણિપાલ હોસ્પિટલ, ઓલ્ડ એરપોર્ટ રોડ, બેંગ્લોર જણાવ્યું હતું. ડૉ. શિવરામે, floridahealth.gov.in અનુસાર યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, સાન ડિએગો સંશોધનને ટાંકીને જણાવ્યું હતું કે, “જ્યારે તમે રક્તદાન કરો છો , ત્યારે તમારું શરીર તમારા રક્તને પુનર્જીવિત કરવા માટે 650 કેલરી (દાન કરેલા રક્તના પિન્ટ દીઠ) જેટલી એનર્જી ખર્ચ કરે છે. તેથી, એક રક્તદાન એ કસરતના એક સપ્તાહની સમાન છે.”

જો કે, તમે વર્ષમાં 3-4 વખતથી વધુ રક્તદાન કરી શકતા નથી અને તેથી તે કસરતનો વિકલ્પ હોઈ શકે નહીં, એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે,

આ વિશ્વ રક્તદાતા દિવસ, દર વર્ષે 14 જૂનના રોજ મનાવવામાં આવે છે, સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને વિશ્વ આરોગ્ય અનુસાર સ્વૈચ્છિક, અવેતન રક્ત દાતાઓ માટે “તેમના જીવન-રક્ષક ભેટો માટે” કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. ચાલો સમજીએ કે શા માટે રક્તદાન કરવું એ ઉમદા કાર્ય કરતાં વધુ છે.

આ પણ વાંચો: Cyclone Biparjoy : સાઈક્લોન બિપરજોયને લઈને નિષ્ણાતોએ સલામત રહેવા માટે આ આરોગ્યને લગતા પગલાં શેર કર્યા

રક્તદાન તમને કેવી રીતે મદદ કરે છે?

નોંધનીય રીતે, જીવન રક્ષક અધિનિયમ તરીકે, રક્તદાન અકસ્માતમાં ઘાયલ થયેલા, કેન્સરની સારવાર હેઠળ, ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ અથવા વારસાગત રક્ત વિકૃતિઓ ધરાવતા લોકોને મદદ કરે છે. ડો. અનિકેત મુલે, કન્સલ્ટન્ટ ઈન્ટરનલ મેડિસિન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, મીરા રોડ જણાવ્યું હતું કે, “રક્તદાન અત્યંત સલામત છે અને તે નિયમિતપણે કરવું જોઈએ. ખાતરી રાખો કારણ કે દરેક દાતા માટે નવા જંતુરહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ચેપનું કોઈ જોખમ રહેતું નથી.”

આ વર્ષની વિશ્વ રક્તદાન દિવસની થીમ ”ગીવ બ્લડ,ગીવ પ્લાઝ્મા, શેર લાઈફ, શેર ઓફન” છે. કાર્લ લેન્ડસ્ટેઇનરના માનમાં 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. કાર્લ લેન્ડસ્ટેઇનરએ ઑસ્ટ્રિયન-અમેરિકન ચિકિત્સક અને ઇમ્યુનોલોજિસ્ટ કે જેમને 1900 ના દાયકામાં ABO રક્ત પ્રકાર પ્રણાલી સ્થાપિત કરવાનો શ્રેય આપવામાં આવે છે.

ડૉ. શિવરામના જણાવ્યા મુજબ, અભ્યાસ દર્શાવે છે કે દાતાઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) અને ટ્રાઇગ્લિસરાઈડ્સનું સ્તર એક વખતના દાતાઓ(ડોનર) અથવા બિન-દાતાઓની સરખામણીમાં ઓછું હોય છે જે તેમને હૃદય રોગથી રક્ષણ આપે છે.

ડૉ શિવરામે કહ્યું હતું કે, “તમે મહિનામાં બે વાર પ્લેટલેટ્સનું દાન કરીને તમારા લિપિડના સ્તરને કંટ્રોલ રાખવાનો પ્રયાસ કરી શકો છો જે પ્લેટલેટની સાથે લિપિડ્સ ધરાવતા પ્લાઝમાને પણ દૂર કરે છે. આ રીતે તમે એક વર્ષમાં 24 દર્દીઓને મદદ કરી શકો છો અને તમારી પણ મદદ કરી શકો છો. તમે 65 વર્ષની ઉંમર સુધી આખું રક્ત અને 60 વર્ષની ઉંમર સુધી સિંગલ ડોનર પ્લેટલેટનું દાન કરી શકો છો.”

ડૉ. મુલેએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકો રક્તદાન કરે છે તેઓ બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન અને આયર્નના સ્તરને કંટ્રોલ કરવામાં સક્ષમ છે. ઉપરાંત, હાર્ટ એટેકનું જોખમ ઓછું થશે, એમ ડૉ. મુલેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Health Tips : શું લીંબુનું સેવન ડાયબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે? જાણો અહીં

રક્તદાન કેવી રીતે થાય છે?

રક્તદાનની પ્રક્રિયામાં વજન, પલ્સ રેટ, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબિન તપાસને ટ્રેક કરીને આરોગ્ય તપાસનો સમાવેશ થાય છે. સિનિયર કન્સલ્ટન્ટ અને એચઓડી, એપોલો હોસ્પિટલ્સ બ્લડ સેન્ટર, બેનરઘટ્ટા, બેંગ્લોરના ડૉ ગીથા એન ગૌદરજણાવ્યું હતું કે, “આ પરિમાણોમાં કોઈપણ ભિન્નતા સમયસર શોધી અને સુધારી શકાય છે. રક્તદાન પર, આપણું અસ્થિમજ્જા આપણા રક્તને નવા કોષોથી ભરપાઈ કરે છે જે વધુ ઊર્જાવાન બનાવે છે. તેથી, રક્તદાન કરવાનું ચાલુ રાખો અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરો.”

રક્તદાન પહેલાં અને પછીના પગલાં

ખાતરી કરો કે તમે તંદુરસ્ત રાત્રિભોજન લીધું છે અને સારી રીતે આરામ કર્યો છે. દાન પહેલા 24 કલાકમાં પીવા માટે પાણી શ્રેષ્ઠ પ્રવાહી છેખાતરી કરો કે તમે તંદુરસ્ત રાત્રિભોજન લીધું છે અને સારી રીતે આરામ કર્યો છે. દાન પહેલા 24 કલાકમાં પીવા માટે પાણી શ્રેષ્ઠ પ્રવાહી છે. સિટી એક્સ-રે અને સ્કેન ક્લિનિકના ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ પેથોલોજિસ્ટ ડૉ. સુનિતા કપૂરે જણાવ્યું હતું કે, “રક્ત આપ્યા પછી તમારા શરીરને સંસાધનો સાથે ફરીથી સપ્લાય કરવું મહત્વપૂર્ણ છે. દાન પ્રક્રિયા દરમિયાન ખોવાઈ ગયેલા વોલ્યુમને મદદ કરવા અને તેને બદલવા માટે પુષ્કળ પ્રવાહી પીવો, ખાસ કરીને પાણી . થોડા કલાકો માટે, સખત શારીરિક પ્રવૃત્તિ અને વેઇટલિફ્ટિંગથી દૂર રહો. તમારા ઊર્જા સ્તરને વધારવા માટે, પૌષ્ટિક નાસ્તો લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ