/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/mosquitoes.jpg)
World Malaria Day 2024: વિશ્વ મલેરિયા દિવસ 25 એપ્રિલે ઉજવાય છે. મચ્છર કરડવાથી ઘણી બીમારી ફેલાય છે. (Photo - Freepik)
World Malaria Day 2024: વિશ્વ મલેરિયા દિવસ દર વર્ષે 25 એપ્રિલ ઉજવાય છે. મલેરિયા મચ્છરથી ફેલાતી બીમારી છે. માત્ર 1 મચ્છર ઘણા લોકોને બીમાર પાડી શકે છે. મચ્છર કરડવાથી ફેલાતી બીમારીમાં સૌથી ગંભીર છે મલેરિયા, મલેરિયા એનોફ઼િલીસ (Anopheles) નામના મચ્છર કરડવાથી ફેલાય છે. આથી તમારે હંમેશા મચ્છરથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ, જ્યારે તમારા ઘરમાં મચ્છરની સંખ્યા વધી જાય છે ત્યારે શું?
આવી સ્થિતિમાં, તમારે તેમનાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેમાં દાદીના ઘરગથ્થુ નસ્ખા ઉપયોગી થઈ શકે છે. ખરેખર, પહેલાના સમયમાં જ્યારે વિજ્ઞાને આટલી પ્રગતિ કરી ન હતી, ત્યારે લોકો મચ્છરો (સરળ ઘરેલું મચ્છર ભગાડવા) ને ભગાડવા માટે આ ઘરગથ્થુ ઉપાય કરતા હતા.
મચ્છરોને ભગાડવા માટેના ઘરગથ્થુ ઉપાયની સામગ્રી
મચ્છરો ભગાડવા માટે તમે આ ઉપાય અપનાવી શકો છે, જેની માટે તમને ડુંગળીની છાલ, લસણની છાલ, લીમડાના પાન, કપૂર, લવિંગ, તમાલપત્રની જરૂર પડશે.
મચ્છરોને ભગાડવા માટેના ઘરગથ્થુ નુસ્ખાની રીત
હવે તમારે ડુંગળીની છાલ, લસણની છાલ, તમાલપત્ર અને લીમડાના પાનને તડકામાં સારી રીતે સુકવી દો. હવે તેને સૂકવ્યા બાદ તેને મિક્સરમાં એકદમ ઝીણી પીસી લો. પહેલાના સમયમાં લોકો આ તમામ ચીજોને દસ્તા વડે ખાંડી લેતા હતા.
હવે દર રોજ સાંજે અંધારુ થવાની પગેલા ઘરે માટીના એક પાત્રમાં આ મિશ્રણને નાંખો. તેની ઉપર કપૂર અને લવિંગ મૂકો અને સગળાવી ધુમાડો કરો. આ ધુમાડાને ઘરના દરેક ખુણામાં ફેરવો. આવી રીતે મચ્છર ઘરમાંથી બહાર જતા રહેશે. જો રાતના સમયે મચ્છર આવતા હોય તો પણ તમે આ ઉપાય અજમાવી શકો છો. આ ઉપાય રાત્રે પણ અસરકારક છે. ખાસ વાત એ છે કે, મચ્છર ભગાડવાના આ કુદરતી ઘરગથ્થુ ઉપાય હેલ્થ માટે હાનિકારક નથી.
આ પણ વાંચો | વેઇટ લોસ કરવું છે? તો સવારની આટલી આદતો થશે અસરકારક સાબિત
મચ્છર ભગાડનાર માટે આ ઘરેગથ્થુ નુસ્ખા શા માટે ફાયદાકારક છે?
આ ઘરગથ્થુ નુસ્ખા મચ્છર ભગાડનાર માટે ફાયદાકારક છે કારણ કે ડુંગળી અને લસણની છાલમાં સલ્ફર હોય છે. વળી, તેમની ગંધ એકદમ તીખી હોય છે. તો લીમડો એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરેલો હોય છે અને તમાલપત્ર હવાને સાફ કરવા માટે પ્યોરિફાયર એજન્ટ છે. ઉપરાંત લવિંગ અને કપૂર બંને મચ્છરોને મારવામાં અને તેમને ભગાડવામાં મદદરૂપ થાય છે. આ બધી ચીજ સાથે મળીને મચ્છરોને ભગાડે છે. તો આ કારણોસર તમે મચ્છરોથી બચવા માટે અપનાવી શકો છો આ ઘરગથ્થુ ઉપાય.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us