/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-07T091734.570.jpg)
તાજેતરમાં, તેણીએ તેમના અનુયાયીઓ સાથે એક સંદેશ શેર કર્યો, તેમને તેમના રોજિંદા જીવનમાં યોગનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા. (સ્રોત: મલાઈકા અરોરા/ઈન્સ્ટાગ્રામ)
મલાઈકા અરોરા માત્ર તેની ફેશન સેન્સ માટે જ નહીં પરંતુ ફિટનેસ પ્રત્યેના તેના સમર્પણ માટે પણ જાણીતી છે. ફિટનેસ ઉત્સાહી તરીકે, મલાઈકાએ સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ રૂટિન અને ટ્રેઇનિંગની ઝલક સતત શેર કરે છે. તેની પ્રેરણાદાયી પોસ્ટ તેના ફેન્સ અને ફોલોઅર્સને મોટિવેશન આપે છે, તેઓને તેમની પોતાની ફિટનેસને પ્રાથમિકતા આપવા અને હેલ્થી લાઈફ સ્ટાઇલ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. અહીં જુઓ મલાઈકાની તાજતેરની પોસ્ટ જેમાં તે યોગા કરતી દેખાય છે,
મલાઈકાએ ડેઇલી યોગની પ્રેક્ટિસ કરે છે. તેણે કૅપ્શનમાં લખ્યું કે, “હેલો દિવાસ, આજે કેવું છીએ? નવા મહિનાનો પહેલો સોમવાર છે અને તમારી યોગાભ્યાસ સાથે સુસંગત રહેવા માટે આ તમારું રિમાઇન્ડર છે.''
આ પણ વાંચો: Stretching Benefits : સ્ટ્રેંચિંગ કરવાથી અઢળક ફાયદા થાય, પીવી સિંધુ પણ સ્ટ્રેચિંગને આપે છે મહત્વ
ફીટેલોના વરિષ્ઠ યોગ કોચ નીરજ પાંડેના જણાવ્યા અનુસાર, એ સમજવું જરૂરી છે કે ' યોગ ' શબ્દ સંસ્કૃત શબ્દ 'યુજ' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે એક થવું. '' યોગએ, મન (માનસિક) અને શરીર (શારીરિક) વચ્ચે સંપૂર્ણ સંતુલન અને સંવાદિતા બનાવવા માટે વ્યક્તિગત અને સાર્વત્રિક ચેતનાને એકીકૃત કરવા પર કેન્દ્રિત છે."
તેમણે કહ્યું કે, “યોગ કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ સુધારવા, મુદ્રામાં વધારો કરવા અને કેટલાક કિસ્સાઓમાં શારીરિક ઇજાઓમાંથી રિકવરી કરવામાં મદદ કરવા માટે જાણીતું છે. બીજી તરફ, પોઝ , શ્વાસ અને ધ્યાન, જે યોગના મૂળમાં છે, તે માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, એકાગ્રતામાં વધારો કરે છે, તમારા શરીર અને મન સાથે ધીરજ વધારે છે અને તણાવ અને ચિંતા ઘટાડે છે."
આ ઉપરાંત, મલાઈકાએ પોસ્ટના કેપ્શન દ્વારા જીવનમાં અનુસરવા અને ઉપદેશ આપવા માટે ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ સમર્થન પણ શેર કર્યા હતા. આ સમર્થન(affirmation) અહીં છે,
- હું મારી જાત પ્રત્યે દયાળુ છું.
- હું મારા જીવનને આભારી છું.
- હું લિમિટલેસ છું.
- મારા માટે કંઈપણ શક્ય છે.
અફર્મેશનએ પોઝિટિવ છે જે આપણને આપણા લક્ષ્ય માટે દ્ઢ બનાવે છે અને નેગેટિવ વિચારોને પડકારવા અને દૂર કરવામાં મદદ કરી શકે છે. વિષ્ણુ પ્રિયા ભગીરથે, કાઉન્સેલિંગ સાયકોલોજિસ્ટ, indianexpress.com ને જણાવ્યું હતું કે, "તેઓ ઓછા આત્મસન્માન, હતાશા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ ધરાવતા લોકોની સફળતાપૂર્વક સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. જો કે, જ્યારે આપણે તેમને અન્ય સકારાત્મક વિચારસરણી અને ધ્યેય-સેટિંગ સાથે જોડીએ ત્યારે તેઓ વધુ અસરકારક હોઈ શકે છે. સમર્થનની શક્તિ તેને નિયમિતપણે આપણી જાતને પુનરાવર્તિત કરવામાં સમાયેલી છે.''
નિષ્કર્ષમાં, તેમણે કહ્યું કે સકારાત્મક સમર્થન બનાવવાથી અમને શાંત અને વધુ આત્મવિશ્વાસ અનુભવવામાં મદદ મળી શકે છે . જ્યારે દરરોજ પુનરાવર્તિત થાય છે, ત્યારે આ સમર્થન નેગેટિવ વિચારોને પડકારે છે અને આપણા જીવનમાં સકારાત્મક ફેરફારોને પ્રોત્સાહિત કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us