યોગ દર્શન : અર્ધ પદ્મ પાદોતાનાસન પગના દુખાવામાં રાહત આપશે અને આંતરડાની કાર્યક્ષમતા સુધારશે

Yoga darshan Ardha padma padottanasana : યોગ દર્શનમાં આજે આપણે ‘અર્ધ પદ્મ પાદોતાનાસન’ વિશે વાતી કરીશું. જાણો ‘અર્ધ પદ્મ પાદોતાનાસન’ કરવાની રીત અને અને તેના ફાયદાઓ

Yoga darshan Ardha padma padottanasana : યોગ દર્શનમાં આજે આપણે ‘અર્ધ પદ્મ પાદોતાનાસન’ વિશે વાતી કરીશું. જાણો ‘અર્ધ પદ્મ પાદોતાનાસન’ કરવાની રીત અને અને તેના ફાયદાઓ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Yoga darshan ardha padma padottanasana

યોગ દર્શન : અર્ધ પદ્મ પાદોતાનાસન કરવાની રીત અને તેના ફાયદાઓ

Yoga darshan ardha padma padottanasana : યોગ દર્શનમાં (Yoga darshan) આજે આપણે ‘અર્ધ પદ્મ પાદોતાનાસન’ (ardha padma padottanasana) વિશે જાણકારી મેળવીશું. ‘અર્ધ પદ્મ પાદોતાનાસન’ પગ, પિંડી અને જાંઘના દુખાવામાં રાહત આપે છે અને આંતરડાની કાર્યક્ષમતા સુધારે છે. તો ચાલો જાણીયે ‘અર્ધ પદ્મ પાદોતાનાસન’ ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…

Advertisment

આસન પરિયય - ‘અર્ધ પદ્મ પાદોતાનાસન’

અર્ધ પદ્મ પાદોતાનાસન કરવાની રીત

અર્ધ પદ્મ પાદોતાનાસન અભ્યાસ કરવા માટે સર્વપ્રથમ જમીન પર મેટ પાથરી નીચે બેસવું. બંને પગોને ભેગા કરી સીધા રાખવા. ત્યારબાદ ડાબો પગ ઘૂંટણમાંથી વાળીને જમણા પગના સાંથળ પર મૂકવો, ત્યારબાદ જમણા પગને નીચે બાજુથી બંને હાથ વડે લોક લગાવી જમણો પગ ઉપરની તરફ ઉઠાવો. પગ જેટલો જાય તેટલો ઉપરની તરફ લઇ જવો. આવી જ રીત આ આસનનો બીજા પગે અભ્યાસ કરવો. શરૂઆતમાં ધીમે ધીમે આ આસન કરવું અને ત્યારબાદ આસનનો સમય અને પુનરાવર્તન વધારી શકાય છે.

આ આસન ક્યારે કેટલી વાર અભ્યાસ કરવો

આ આસન ખાલી પેટે સવાર કે સાંજ અભ્યાસ કરી શકાય. પ્રારંભમાં ચારથી પાંચ વાર એક પગે આ આસનનો અભ્યાસ કરવો. ધીમે ધીમે અભ્યાસ વધારવો.

શ્વસનવિધિ

પગ ઉપર લઇ જતી વખતે શ્વાસ લેવો, થોડીક વાર ફેફસામાં રોકી રાખો અને પગને નીચે લાવતી શ્વાસ બહાર છોડવો જોઇએ. આવી જ રીતે આ આસનનુ બીજા પગથી પુનરાવર્તન કરવું.

Advertisment

‘અર્ધ પદ્મ પાદોતાનાસન’ કરવાના ફાયદાઃ-

  • પગના સ્નાયુઓ મજબૂત બનાવે છે
  • પગની પીંડિના ભાગ અને જાંઘ સુધીના ભાગમાં સરસ ખેંચાણ આપે છે
  • પગના ભાગમાં દુખાવા ઓછા કરે છે
  • આંતરડાની કાર્યક્ષમતામાં વધારો કરે છે
  • પગના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધારે છે

આ પણ વાંચોઃ યોગ દર્શન : પ્રાણાયામથી તન-મનના વિકારો દૂર થશે, શરીર સ્ફૂર્તિલું બનશે

આસન કોણે ન કરવું :-

  • જે લોકોને કમરના ભાગમાં દુખાવો હોય તેવા લોકોએ આ આસન ન કરવું..
  • પગના ભાગની કે અન્ય ભાગમાં સર્જરી કરાવવી હોય તેવા લોકોએ ન પણ કરવું
  • આ અભ્યાસ યોગ શિક્ષકની સલાહ સૂચન અનુસાર કરવો…
ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips knowledge