AAP પાસેથી વસુલવામાં આવશે રાજકીય જાહેરાતોના 97 કરોડ રૂપિયા, LGના આદેશ બાદ કેજરીવાલ સરકાર પર ભાજપનો હુમલો

આપ (AAP) દ્વારા રાજકીય જાહેરાતો (political add) ને સરકારી જાહેરાતો (Goverment Add) તરીકે પ્રકાશિત કરી દિલ્હી સરકાર (Delhi Goverment) ની તિજોરીમાંથી નાણાની ચૂકવણી કરી, એલજી (LG vinai kumar saxena) એ તમામ પૈસા આપ પાર્ટી પાસેથી વસુલવા આપ્યો આદેશ, ભાજપે (BJP) કહ્યું, આમ આદમી પાર્ટીનું સાચું નામ ઓલ એડવર્ટાઈઝમેન્ટ પાર્ટી છે.

Written by Kiran Mehta
Updated : December 20, 2022 15:17 IST
AAP પાસેથી વસુલવામાં આવશે રાજકીય જાહેરાતોના 97 કરોડ રૂપિયા, LGના આદેશ બાદ કેજરીવાલ સરકાર પર ભાજપનો હુમલો
દિલ્હી LG વિનય કુમાર સક્સેના

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને રાજ્યની આમ આદમી પાર્ટી (AAP) સરકાર વચ્ચે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. વાસ્તવમાં LG વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવ (CS) ને AAP પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો છે, LG એ આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે, કથિત રીતે રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત કરવા બદલ. જેની ચુકવણી દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી હતી.

એલજીએ મુખ્ય સચિવને સૂચના આપી

એલજીએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતમાં સામગ્રી નિયમન (સીસીઆરજીએ) પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિની ભલામણોને લાગુ કરવા જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂર્વ એલજી અનિલ બૈજલે આવો જ વાંધો ઉઠાવ્યો હતો, જેમાં AAP સરકાર પર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને AAP દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતો માટે ચૂકવણી કરવા માટે તિજોરીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે 2017માં જાહેરાત સામગ્રીને નિયંત્રિત કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી.

રાજ નિવાસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “તારીખ 16.09.2016ના CCRGA ના આદેશના અનુસંધાનમાં, DIP ને જાણવા મળ્યું કે રૂ. 97,14,69,137 ખર્ચ કરવામાં આવ્યા, નોંધાયેલી જાહેરાતો પર, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે. રૂ.42,26,81,265 (ડીઆઇપી દ્વારા પ્રકાશિત જાહેરાતો માટે રૂ. 54,87,87,872 પહેલાથી જ બહાર પાડવામાં આવ્યા હતા)નું વિતરણ હજુ પેન્ડીંગ છે. DIP દ્વારા 30.03.2017 ના રોજના પત્ર દ્વારા આમ આદમી પાર્ટીના કન્વીનર (Arvind Kejriwal) ને તાત્કાલિક 42.26 કરોડ રૂપિયા રાજ્યની તિજોરીમાં ચૂકવવા અને બાકીની રકમ સીધી સંબંધિત જાહેરાત એજન્સીઓ/પ્રકાશનને 30 દિવસની અંદર ચૂકવવા નિર્દેશ આપ્યો છે. AAP સરકારે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે.

AAPએ કોર્ટના આદેશનું પાલન કર્યું નથી

એલજીએ એક પત્રમાં કહ્યું છે કે, પાંચ વર્ષ અને આઠ મહિના વીતી જવા છતાં AAPએ આદેશનું પાલન કર્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આ ગંભીર છે, કારણ કે જાહેર નાણાં, ચોક્કસ આદેશો હોવા છતાં, પક્ષ દ્વારા રાજ્ય તિજોરીમાં જમા કરવામાં આવ્યા નથી. રજિસ્ટર્ડ રાજકીય પક્ષ દ્વારા માન્ય આદેશની આવી અવગણના માત્ર ન્યાયતંત્રની તિરસ્કાર સમાન નથી, પરંતુ તે સુશાસનના સ્વાસ્થ્ય માટે પણ સારું નથી.”

એલજી હાઉસે એમ પણ જણાવ્યું હતું કે, ડિરેક્ટોરેટ ઑફ વિજિલન્સ (DoV) એ પણ તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે, DIP એ માત્ર 42,26,81,265 રૂપિયાની રકમ વસૂલ કરી નથી પરંતુ AAPને રૂપિયા 54,87,87,872 ચૂકવવાને બદલે /- રૂ.ની બાકી રકમ સક્રિય રીતે ચૂકવી.

આ પણ વાંચોAAP મુશ્કેલીમાં! મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો મોટો આરોપ, કહ્યું- આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યા

AAPએ પોતાના પ્રચાર માટે સરકારી નાણાનો ઉપયોગ કર્યો: BJP

બીજી તરફ, ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સમગ્ર મામલાને લઈને કહ્યું કે, “દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટના 2015ના આદેશ અને દિલ્હી હાઈકોર્ટના 2016ના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. AAPએ પોતાના પ્રચાર માટે સરકારી ધનનો ઉપયોગ કર્યો છે. આમ આદમી પાર્ટીનું સાચું નામ ઓલ એડવર્ટાઈઝમેન્ટ પાર્ટી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ