મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના, બસમાં આગ લાગવાથી 25 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

Maharashtra expressway bus fire : બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 32 યાત્રીઓને લઇ જતી બસમાં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નીપજ્યા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા.

Maharashtra expressway bus fire : બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 32 યાત્રીઓને લઇ જતી બસમાં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નીપજ્યા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Maharashtra expressway bus fire, Maharashtra bus catches fire inciden | accident news

મહારાષ્ટ્રમાં બસમાં આગ લાગી (photo - ANI)

મહારાષ્ટ્રમાં યવતમાલથી પુના જઈ રહેલી એક બસમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના શનિારે મોડી રાત્રે આશરે બે વાગ્યે બની હતી. સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર બુલઢાણામાં આગ લાગવાથી દુર્ઘટના ઘટી હતી.

Advertisment

ડીવાયએસપી બાબુરાવ મહામુનીના જણાવ્યા પ્રમાણે બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 32 યાત્રીઓને લઇ જતી બસમાં આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત નીપજ્યા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

,

દુર્ગટના બાદ બસમાં લાગી ભીષણ આગ

દુર્ઘટના બાદ સિટી લિંક ટ્રાવેલ્સની બસમાં ભીષણ આગ લાગી હતી.જેમાં બસ સંપૂર્ણ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. બસમાં લાગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે, કમનસીબે 25 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Advertisment
મહારાષ્ટ્ર બ્રેકિંગ ન્યૂઝ અકસ્માત દેશ