ISRO Aditya L1 Launch : આદિત્ય એલ-1 મિશન 2 સપ્ટેમ્બરે કેટલા વાગે લોન્ચ થશે, લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે? ઈસરોના સન મિશનના ખર્ચ સહિતની તમામ વિગતો જાણો

Aditya L1 Launch Date, Time and Live streaming : ચંદ્રયાનની સફળતા બાદ ઈસરો સન મિશન હેઠળ તેનું પહેલું આદિત્ય એલ-1 રોકેટ પણ લોન્ચ કરશે. જાણો આદિત્ય એલ-1 રોકેટ કઇ તારીખે, કેટલા વાગે અને લાઇવ સ્ટ્રિમિંગ ક્યા જોવા મળશે? અહીં જાણો તેની સંપૂર્ણ વિગત

Written by Ajay Saroya
Updated : August 31, 2023 23:28 IST
ISRO Aditya L1 Launch : આદિત્ય એલ-1 મિશન 2 સપ્ટેમ્બરે કેટલા વાગે લોન્ચ થશે, લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે? ઈસરોના સન મિશનના ખર્ચ સહિતની તમામ વિગતો જાણો
ઈસરોએ આદિત્ય એલ1 સૂર્ય મિશનમ તારીખ જાહેર કરી

How to watch ISRO Solar Mission Aditya L1 Launching : ઈસરો તેનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1 અવકાશયાન 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે. ઈસરો એ આદિત્ય L-1 મિશનની આંતરિક તપાસ અને પ્રક્ષેપણનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. ઈસરોએ જ્યારથી આદિત્ય L-1 લોન્ચ કરવાની તારીખ જાહેર કરી છે, ભારતવાસીઓ જાણવા ઉત્સુક છે, આદિત્ય એલ-1નું લોન્ચિંગ ક્યા જોવા મળશે. ઈસરોના આદિત્ય એલ-1 અવકાશયાન વિશે તમામ વિગતો અહીં જાણો..

ઈસરોનું આદિત્ય એલ-1 મિશન શું છે?

ISRO તેના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 હેઠળ સૂર્યમાંથી નીકળતા કિરણોની તપાસ કરશે. આદિત્ય એલ-1ને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે લેરેન્જ પોઈન્ટ-1 પર મૂકવામાં આવશે. આદિત્ય એલ-1માં ફીટ કરાયેલા 7 પેલોડ્સ સૂર્યમાંથી નીકળતા વિવિધ કિરણોનો અભ્યાસ કરશે. આદિત્ય એલ-1 સૂર્યના કિરણોમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે. ઈસરો આ મિશનની મદદથી સૌર વાયુમંડળને સમજવાનો પ્રયાસ કરશે. આદિત્ય એલ-1 સૌર હવાના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય એલ-1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેની અસરનું કારણ પણ શોધી કાઢશે.

ઈસરો કયા રોકેટથી આદિત્ય એલ-1 લોન્ચ કરશે?

Aditya L1 Mission
આદિત્ય એલ1 મિશન

ઈસરો દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી રોકેટ PSLV XL C-57 આદિત્ય એલ-1ને અવકાશમાં લઈ જશે. આ રોકેટ આદિત્ય એલ-1ને પૃથ્વીની નીચેની કક્ષામાં પહોંચાડશે. ત્યાર પછી આદિત્ય એલ-1 સૂર્ય અને પૃથ્વીની વચ્ચે સ્થિત એલ-1 પોઇન્ટ સુધી પહોંચશે. આદિત્ય એલ-1ને તેના ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે.

L-1 પોઇન્ટ કેટલું દૂર છે?

પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા કુલ પાંચ પોઇન્ટને ઓળખવામાં આવ્યા છે, જ્યાં અવકાશયાન મૂકવામાં આવે છે અને સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરવામાં આવે છે. આ L-1 પોઇન્ટને લેરેન્જ પોઇન્ટ પણ કહેવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે સૂર્યની સૌથી નજીકનું બિંદુ L-1 બિંદુ છે જ્યાં આપણું સૂર્યયાન જઈ રહ્યું છે. પૃથ્વીથી L-1 પોઇન્ટનું અંતર લગભગ 15 લાખ કિલોમીટર છે. તો સૂર્યથી એલ-1નું અંતર લગભગ 14 કરોડ 85 લાખ કિમી છે. લેરેન્જ પોઈન્ટ 1 એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના કુલ અંતરનો માત્ર એક ટકા છે.

આદિત્ય એલ-1નું લાઇવ સ્ટ્રિમિંગ જોવા માટેની લિંક : Aditya L1 Mission Live Streaming Like

તમે રોકેટ લોન્ચ ક્યાં જોઈ શકો છો?

સમગ્ર ભારત આ ઐતિહાસિક ક્ષણને પોતાની આંખોમાં કેદ કરવા માટે ઉત્સુક છે. જો તમે પણ આ ક્ષણના સાક્ષી બનવા માંગતા હોવ, તો તમે ઈસરોની વેબસાઈટ પર જઈને લોન્ચ વ્યૂ ગેલેરીમાં સીટ બુક કરી શકો છો. ઈસરો એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યુ છે કે, આદિત્ય એલ-1નું લોન્ચિંગ કરવા માટે દેશવાસીઓ ઈસરોન વેબસાઇટ પર જઇને પોતાની સીટ બુક કરાવી શકે છે. તે ઉપરાંત તમે ઈસરોની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર પણ આદિત્ય એલ-1ના લોન્ચિંગનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

આ પણ વાંચો | ભારત પહેલા કયા દેશોએ સૂર્ય મિશન મોકલ્યું છે? જાણો શા માટે આદિત્ય L-1 ખાસ છે

આદિત્ય L-1 કેટલા દિવસમાં પહોંચશે?

ISROએ કહ્યું છે કે આદિત્ય-L1 મિશન અંદાજે 120 દિવસમાં L-1 પોઈન્ટ પર પહોંચી જશે. સન મિશન આદિત્ય PSLV XL રોકેટ સાથે ઉડાન ભરશે. આદિત્ય એલ-1 લગભગ 5 વર્ષ સુધી સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ1 મિશન બનાવવાનો કુલ ખર્ચ 378 કરોડ રૂપિયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ