/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Aditya-L1-Mission-Details.jpg)
Aditya-L1 Launch Details : ISRO એ પોતાના આદિત્ય એલ1 સૂર્ય મિશન ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની માહિતી આપી છે. ISRO દ્વારા કહેવામાં આવ્યું છે કે, સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય એલ1 સૂર્ય મિશન ભારતની પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા શ્રીહરિકોટથી 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ રાત્રે 11.50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.
સ્પેસ એજન્સીનું કહેવું છે કે, ISROનું સૌર મિશન આદિત્ય-L1 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. બેંગલુરુ, ઑગસ્ટ 28 (પીટીઆઈ) ચંદ્રયાન-3 મિશનની સફળતા પછી, ઈસરોએ સોમવારે 2 સપ્ટેમ્બરે સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-એલ1 અવકાશયાન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી સવારે 11.50 કલાકે લોન્ચ કરાશે.
આદિત્ય-L1 અવકાશયાન પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરના અંતરે આવેલા L1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૂર્ય કિરણોના દૂરસ્થ અવલોકનો અને સૌર પવનના ઇન-સીટુ અવલોકનો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
બેંગલુરુ-મુખ્યમથક સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવનાર સૂર્યનું અવલોકન કરવા માટેનું તે પ્રથમ સમર્પિત ભારતીય અવકાશ મિશન હશે.
🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:
The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.
Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx— ISRO (@isro) August 28, 2023
અવકાશ એજન્સીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અવકાશયાન - સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા - PSLV-C57 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે.
આદિત્ય-L1 મિશન, જેનું લક્ષ્ય L1 ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે, તે ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના સૌથી બહારના સ્તરો, કોરોનાને વિવિધ વેવબેન્ડમાં અવલોકન કરવા માટે સાત પેલોડ વહન કરશે.
ઈસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આદિત્ય-એલ1 રાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી સાથેનો સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us