/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Aditya-l1-launch-1.jpg)
આદિત્ય એલ1 સફળતા પૂર્વક લોન્ચ - photo ISRO
ISRO's Aditya-L1 Mission Launch Date and Time : ચંદ્રયાન-3ની સરફળતા બાદ ઈસરો હવે સૂર્ય મિશન હેઠળ આદિત્ય એલ1 રોકેટનું લોન્ચિંગ કરશે. ઈસરો શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 2 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11.50 વાગે આદિત્ય એલ1 અવકાશયાન લોન્ચ કરશે. ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે સમગ્ર દેશ અને દુનિયાની નજર ઈસરોના આદિત્ય એલ1 પર છે. આદિત્ય એલ1 ઈસરો દ્વારા તૈયાર કરાયેલું પહેલું સન મિશનનું રોકેટ છે. આદિત્ય એલ1 રોકેટ સૂર્યના રહસ્યો શોધવા માટે લોન્ચ કરવામાં આવી રહ્યુ છે.
- Sep 02, 2023 14:19 IST
Aditya L1 Mission : સૌર ભૂકંપોની જાણકારી માટે સૂર્યની દેખરેખ ખૂબ જ જરૂરી છે. જાણો કેવી રીતે થશે અધ્યયન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/isro-aditya-l1-mission.jpg)
ISRO Aditya L1 Mission, latest updates : ભારતના મુખ્ય વૈજ્ઞાનિક અને ભારતીય તારાભૌતિકી સંસ્થાનના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડો. આર રમેશે કહ્યું કે જે પ્રકારે પૃથ્વી પર ભૂકંપ આવે છે એવી જ રીતે સૂર્યની સપાટી પર સૌર ભૂકંપ પણ આવે છે. તેમણે કોરોનલ માસ ઇજેક્શન કહ્યું હતું. વધુ વાંચો
- Sep 02, 2023 13:08 IST
Aditya L1 Launch video : ઇસરોએ લોન્ચ કર્યું આદિત્ય L1, જુઓ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી સૂર્યયાને કેવી રીતે ભરી ઉડાન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Aditya-l1-launch-video.jpg)
Aditya L1 solar mission launch video updates : ઇસરોએ શનિવારે સવારે 11.50 મિનિટ પર ઇસરોના વિશ્વાસપાત્ર પોલર સેટેલાઇટ લોન્ટ વ્હીકલ પીએસએલવી થકી શ્રીહરીકોટા અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું. વધુ વાંચો
- Sep 02, 2023 11:48 IST
શ્રીહરીકોટા પહોંચી મોટી સંખ્યામાં લોકો
આદિત્ય એલ1 લોન્ચ કરવા માટે શ્રીહરિકોટા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે.
#WATCH | People in large numbers at Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota to witness launch of ISRO's solar mission Aditya L-1 pic.twitter.com/kzyuo8YtXN
— ANI (@ANI) September 2, 2023
- Sep 02, 2023 11:47 IST
આદિત્ય એલ 1 લોન્ચ માટે તૈયાર
ભારતનું પહેલા સૂર્ય મિશન અંતર્ગત આદિત્ય એલ 1 એટલે કે આંધ્ર પ્રદેશના શ્રીહરીકોટા અંતરિક્ષ કેન્દ્રથી શનિવારે પ્રક્ષેપિત કરવાની તૈયાર છે. આદિત્ય એલ 1 ને સૂર્ય પરિમંડળના દૂરસ્થ અવલોકન અને પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર એલ1 પર સૌર હવાના વાસ્તવિક અવલોકન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
- Sep 02, 2023 10:38 IST
Adity L1 launch : સૂર્યની ગરમીથી પણ નહી સળગે આ સૂર્યયાન, જાણો કેટલા ખર્ચામાં થયું છે તૈયાર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Aditya-l1.jpg)
Aditya l1 cost : ઈસરો પ્રમાણે આદિત્ય એલ 1 આજે સવારે 11: 50 વાગ્યે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV – C57) થકી લોંચ કરવામાં આવશે. તો ચાલો જાણીએ સૂર્યયાનને બનાવવા કેટલો ખર્ચ આવશે. વધુ વાંચો
- Sep 02, 2023 09:37 IST
ISRO Next Mission : ચંદ્રયાન 3 પછી શું છે ઈસરો આગામી મિશન? સૂર્યયાન, શુક્રયાન સહિત 10 વર્ષ માટે છે મોટી તૈયારીઓ
ISRO Next Mission and Plan : ઈસરો હવે આગામી મિશન (Mission) પર કામ કરી રહ્યું, જેમાં આદિત્ય એલ1 (aditya l1), ગગનયાન (Gaganyaan), માર્સ મંગળ મિશન 2 (mars orbiter mission 2), શુક્રયાન 1 (shukrayaan 1), અને સ્પેડેક્સ (Spadex) મિશન પર કામ કરી રહ્યું, તો જોઈએ કેટલા ખર્ચે (cost) કયું મિશન બનશે. વધુ વાંચો
- Sep 02, 2023 09:37 IST
Aditya L1 mission | આદિત્ય L1 મિશન શું છે? L1 બિંદુ શું છે? ઈસરોનો ઉદ્દેશ્ય શું છે? જાણો તમામ માહિતી
Aditya L1 Mission All information : ઈસરો (ISRO) ચંદ્રયાન 3 (Chandrayaan 3) ની સફળતા બાદ હવે સૂર્યના અભ્યાસ માટે આદિત્ય એલ1 મિશન 2 સપ્ટેમ્બરે લોન્ચ કરશે, તો જોઈએ આ મિશન પાછળ ઈસરોનો ઉદ્દેશ્ય (purpose) શું છે? એલ1 પોઈન્ટ (L1 point) શું છે? પેલોડ્સ (Pelod) શું કામગીરી કરશે? બધું જ અહીં વાંચો
- Sep 02, 2023 09:36 IST
Aditya L1 Mission : ભારત પહેલા કયા દેશોએ સૂર્ય મિશન મોકલ્યું છે? જાણો શા માટે આદિત્ય L-1 ખાસ છે
Aditya L1 Mission : ભારત પ્રથમ વખત સૂર્ય મિશન (Surya Mission) શરૂ કરી રહ્યું છે. ભારત પહેલા 22 મિશન સૂર્ય પર મોકલવામાં આવ્યા છે. અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી સૂર્યના અભ્યાસમાં સામેલ છે. વધુ વાંચો
- Sep 02, 2023 09:32 IST
ઉત્તર પ્રદેશના વારાણસીમાં હવન પૂજા
શ્રીહરિકોટાથી ઈસરોને આદિત્ય એલ1 મિશનના સફળ લોન્ચિંગ માટે વારાણસીમાં હવન કરવામાં આવ્યો.
#WATCH उत्तर प्रदेश: श्रीहरिकोटा से इसरो के आदित्य एल1 मिशन के सफल लॉन्च के लिए वाराणसी में हवन किया गया। pic.twitter.com/y3zpST47dx
— ANI_HindiNews (@AHindinews) September 2, 2023
- Sep 02, 2023 09:30 IST
આદિત્ય l1 મિસનના પડકાર
1- સૂર્ય અને પૃથ્વી વચ્ચેની દૂરી 15 કરોડ કિલોમિટરથી વધારે છે
2- અંતરિક્ષમાં આ ઉપગ્રહના ટકરાવવાની શંભાવના વધારે છે
3- સૂર્યના તાપમાન અને ભીષણ ગરમીથી મિશન પર વધારે ખતરો
4 - ઉપગ્રહમાં લાગેલા ઉપકરણ કેટલું સટીક કામ કરે છે તે વધારે મહત્વનું
- Sep 02, 2023 09:30 IST
આદિત્ય l1 મિસનના ફાયદા
1- સૌર્ય ગતિવિધિઓ અને તેની સાથે જોડાયેલા મૌસમ પર નજર રાખી શકાશે
2 - સૂર્ય તરફથી થનારા મૌસમમાં ફેરફાર નજર શક્ય
3 - સૂર્યના તાપમાનથી ઉપગ્રહો પર શું અસર થાય છે તે જાણી શકાશે
4 - સૂર્યની ગરમીથી ઉપગ્રહો અને ઉપકરણોનું જીવન ચક્ર જાણી શકાશે
- Sep 02, 2023 09:21 IST
Jet Airways : જેટ એરવેજની સંસ્થાપક નરેશ ગોયલની ધરપકડ, જાણો આખો મામલો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Naresh-goyal.jpg)
Jet Airways Founder Arrested : ધરપકડ પહેલા તેમની શુક્રવારે પૂછપરછ કરવામાં આવી હતી. ગોયલને આજે મુંબઈની એક વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં ઇડી તેમની કસ્ટડીની માંગણી કરશે. વધુ વાંચો
- Sep 02, 2023 09:05 IST
ક્યા ક્યા દેશોએ અત્યાર સુધી કેટલા સન મિશન લોન્ચ કરાયા ?
ભારત પ્રથમ વખત સૂર્ય મિશન શરૂ કરી રહ્યું છે. ભારત પહેલા 22 મિશન સૂર્ય પર મોકલવામાં આવ્યા છે. અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી સૂર્યના અભ્યાસમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, નાસાએ સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌથી વધુ સન મિશન મોકલ્યા છે. એકલા નાસાએ 14 સૂર્ય મિશન મોકલ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ 1994 માં નાસા સાથે મળીને સૂર્ય મિશન મોકલ્યું હતું. નાસાએ 2001 માં જિનેસિસ મિશન શરૂ કર્યું હતું. આ મિશનનો હેતુ સૂર્યની આસપાસ ફરતી વખતે સૌર પવનોના નમૂના લેવાનો હતો.
- Sep 02, 2023 08:41 IST
શ્રીહરિકોટામાં મૌસમ સાફ
આદિત્ય એલ1 મિશનના લોન્ચ પહેલા મોસમ અનુકૂળ છે. શ્રીહરિકોટામાં આકાશ સાફ છે. તાપમાન 34.1 ડિગ્રી જે સામાન્ય છે. હવાની રફ્તાર 0.3 મીટર પ્રત સેકંડ છે. જે બિલ્કુલ સામાન્ય છે.
- Sep 02, 2023 08:37 IST
ISRO Aditya L1 Launch : આદિત્ય એલ-1 મિશન 2 સપ્ટેમ્બરે કેટલા વાગે લોન્ચ થશે, લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવા મળશે? ઈસરોના સન મિશનના ખર્ચ સહિતની તમામ વિગતો જાણો
Aditya L1 Launch Date, Time and Live streaming : ચંદ્રયાનની સફળતા બાદ ઈસરો સન મિશન હેઠળ તેનું પહેલું આદિત્ય એલ-1 રોકેટ પણ લોન્ચ કરશે. જાણો આદિત્ય એલ-1 રોકેટ કઇ તારીખે, કેટલા વાગે અને લાઇવ સ્ટ્રિમિંગ ક્યા જોવા મળશે? અહીં જાણો તેની સંપૂર્ણ વિગત
- Sep 02, 2023 08:31 IST
INDIA meet : ત્રણ બેઠકો બાદ પણ ત્રણ વાતો જણાવવા ખચકાઇ રહ્યું છે I.N.D.I.A, ડર કે પછી રણનીતિનો ભાગ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/india-meet.jpg)
INDIA Meeting Mumbai, Lok Sabha Elections 2024 : ત્રણ ત્રણ બેઠકો બાદ પણ ઇન્ડિયા ગઠબંધન ત્રણ મોટા પ્રશ્નોના જવાબ હજી સુધી શોધી શકી નથી. પહેલો પ્રશ્ન ચહેરો કોણ, બીજો પ્રશ્ન સીટ શેરિંગ ક્યાં સુધી, ત્રીજો પ્રશ્ન ગઠબંધનનો સંયોજક કોણ?
- Sep 02, 2023 07:39 IST
સૂર્યની વય કેટલી છે? તેનું કદ- વજન અને કેટલો ગરમ છે?
આપણા સૌર મંડળમાં સૂર્ય એ સૌથી મોટો અને ગરમ ગ્રહ છે. જો આકારની વાત કરીયે તો સૂર્યનો વ્યાસ લગભગ 13 લાખ 10 હજાર કિલોમીટર છે, જે પૃથ્વીથી લગભગ 109 ગણું વધારે છે. સૂર્યની વય 4.603E9 વર્ષ છે. સૂર્યન સપાટીનું તાપમાન 5498.85 સેલ્શિયસ છે. એટલે કે સૂર્ય 5498.85 સેલ્શિયસ ગરમ છે.
- Sep 02, 2023 07:38 IST
આદિત્ય એલ1 પેલોડ વહન કરે છે?
આદિત્ય એલ1માં કુલ 7 પેલોડ ફીટ કરવામાં આવ્યા છે. આદિત્ય એલ1માં સ્થાપિત વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ (VELC) પેલોડ કોરોનાની ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી કરવા સક્ષમ છે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUITE) પેલોડ ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરમાંથી ઉત્સર્જિત કિરણોનો અભ્યાસ કરશે. આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ પેલોડ સૌર દિશાઓ સાથે સૌર પવનનો અભ્યાસ કરશે. તમને જણાવી દઈએ કે, આ પેલોડ પણ સ્વદેશી રીતે બનાવવામાં આવ્યું છે.
- Sep 02, 2023 07:28 IST
આદિત્ય એલ1 રોકેટ બનાવવાનો કુલ ખર્ચ?
ઈસરોના જણાવ્યા અનુસાર આદિત્ય એલ1 સન મિશન પાછળ લગભગ 378.53 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
- Sep 02, 2023 07:28 IST
આદિત્ય એલ1ને સૂર્ય નજીક પહોંચતા કેટલા દિવસ લાગશે?
ઈસરો જણાવ્યું છે કે, 2 સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ1 રોકેટ લોન્ચ કર્યા બાદ તે 120 દિવસની ઉડાન ભરીને તેના નિર્ધારિત પોઇન્ટ એલ1 પર પહોંચશે. આમ આદિત્ય એલ1ને નિર્ધારિત સ્થળે પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે.
- Sep 02, 2023 07:27 IST
આદિત્ય એલ1 શું સંશોધન કરશે?
ઈસરોનું તેના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 દ્વારા સૂર્યમાંથી નીકળતા કિરણોની તપાસ કરશે. આદિત્ય એલ-1ને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે લેરેન્જ પોઈન્ટ-1 પર મૂકવામાં આવશે. આદિત્ય એલ-1માં ફીટ કરાયેલા 7 પેલોડ્સ સૂર્યમાંથી નીકળતા વિવિધ કિરણોનો અભ્યાસ કરશે. આદિત્ય એલ1 સૂર્યના કિરણોમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે. ઈસરો આ મિશનની મદદથી સૌર વાયુમંડળને સમજવાનો પ્રયાસ કરશે. આદિત્ય એલ-1 સૌર હવાના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય એલ-1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેની અસરનું કારણ પણ શોધી કાઢશે.
- Sep 02, 2023 07:27 IST
આદિત્ય એલ1 રોકેટ જ્યાં જશે તે પોઇન્ટ એલ-1 શું છે?
પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવા કુલ પાંચ પોઇન્ટને ઓળખવામાં આવ્યા છે, જ્યાં અવકાશયાન મૂકવામાં આવે છે અને સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરવામાં આવે છે. આ L-1 પોઇન્ટને લેરેન્જ પોઇન્ટ પણ કહેવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે સૂર્યની સૌથી નજીકનું પોઇન્ટ L-1 બિંદુ છે જ્યાં આપણું સૂર્યયાન જઈ રહ્યું છે. પૃથ્વીથી L-1 પોઇન્ટનું અંતર લગભગ 15 લાખ કિલોમીટર છે. તો સૂર્યથી એલ-1નું અંતર લગભગ 14 કરોડ 85 લાખ કિમી છે. લેરેન્જ પોઈન્ટ 1 એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના કુલ અંતરનો માત્ર એક ટકા છે.
- Sep 02, 2023 07:26 IST
આદિત્ય એલ1 કેટલા દિવસે લેરેન્જ પોઈન્ટ 1 પહોંચશે?
ઈસરોના જણાવ્યા અનુસાર આદિત્ય એલ1 રોકેટ સૂર્યની નજીક જશે અને સૂર્યના કિરણોનો અભ્યાસ કરશે. જોકે ચંદ્રયાન-3 એ જેમ ચંદ્ર પર ઉતરણ કર્યુ હતુ તેમ સૂર્ય પર ઉતરણ કરવું શક્ય નથી. ભારતનું આદિત્ય એલ1 રોકેટ સૂર્યની સૌથી નજીક પોઇન્ટ એલ-1 સુધી જશે.
- Sep 02, 2023 07:25 IST
આદિત્ય એલ1 રોકેટ ક્યારે, કેટલા વાગે અને ક્યાંથી લોન્ચ કરાશે?
ઈસરો આદિત્ય એલ1 રોકેટ 2 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારમાં 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે. આ અવકાશયાન આંધ્રપ્રદેશના દરિયાકિનારે આવેલા શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પરથી ઉડાન ભરશે.
- Sep 02, 2023 07:08 IST
ISRO Aditya L1 Launch : ઈસરોના આદિત્ય એલ1 સન મિશનના 10 મુખ્ય સવાલના જવાબ; સૂર્ય કેટલો મોટો અને ગરમ છે? જાણો વિગતવાર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/1-2.jpg)
ISRO Aditya L1 Solar Mission Rocket Launch Update : ઈસરો દ્વારા પહેલુ સૂર્યયાન આદિત્ય એલ1 લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. આદિત્ય એલ1 વિશે લોકોના મનમાં ઉત્સાહની સાથે સાથે ઘણા પ્રશ્નો પણ છે, જેના જવાબ અહીંયા આપેલા છે. વધુ વાંચો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us