Aditya L1 Mission | આદિત્ય L1 સૂર્ય મિશન : આદિત્ય L-1એ ફરી આપ્યા એક સારા સમાચાર, ISRO એ શેર કરી આ મહત્વપૂર્ણ માહિતી

Aditya L1 Mission : ભારતમાં ISRO એ પ્રથમ વખત સૂર્ય મિશન શરુ કર્યું છે. ભારત તરફથી પ્રથમ 22 મિશન સૂર્ય પર મોકલવામાં આવ્યા છે. અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી સૂર્યના અભ્યાસમાં સામેલ છે.

Written by Kiran Mehta
December 02, 2023 15:52 IST
Aditya L1 Mission | આદિત્ય L1 સૂર્ય મિશન : આદિત્ય L-1એ ફરી આપ્યા એક સારા સમાચાર, ISRO એ શેર કરી આ મહત્વપૂર્ણ માહિતી
આદિત્ય એલ1 સૂર્ય મિશન

ISRO Aditya L1 Mission : ISRO ના પ્રથમ સૌર મિશન (Solar Mission) આદિત્ય L1 એ એક મોટા સારા સમાચાર આપ્યા છે. આ મિશને સૌર પવનોનો અભ્યાસ શરૂ કર્યો છે. આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ (ASPEX) પેલોડે તેનું કામ શરૂ કરી દીધું છે. તેણે પોતાનો ફોટો શેર કરીને આ જાણકારી આપી છે. તે આલ્ફા કણ અને પ્રોટોન વચ્ચેનો તફાવત દર્શાવે છે. ISRO એ તેનું સૌર મિશન આદિત્ય L1 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું હતું. આદિત્ય-એલ1 એ સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા છે. તે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરના અંતરે સ્થિત લેગ્રાંગિયન બિંદુ ‘L1’ ની આસપાસના પ્રભામંડળમાંથી સૂર્યનો અભ્યાસ કરી રહ્યું છે.

સૌર પવનોનો અભ્યાસ શરૂ થાય છે

ઈસરોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આદિત્ય સૌર પવન કણ પ્રયોગમાં બે અત્યાધુનિક સાધનો સોલાર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર અને સુપરથર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) નો સમાવેશ થાય છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ આ વિશે માહિતી આપતા કહ્યું કે, ઉપગ્રહ પર આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ (ASPEX) પેલોડે તેનું કામ શરૂ કરી દીધું છે અને તે સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. ISRO એ જણાવ્યું હતું કે, જ્યારે STEPS એ 10 સપ્ટેમ્બરે કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે SWIS ઇન્સ્ટ્રુમેન્ટ શનિવારે સક્રિય થયું હતું અને તેણે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું છે.

સૂર્યનો અભ્યાસ કરવો શા માટે મહત્વપૂર્ણ છે?

સૂર્યમંડળમાં 8 ગ્રહો છે જે સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યના કારણે જ પૃથ્વી પર જીવન છે. સૂર્ય તેના કિરણોની મદદથી પૃથ્વી પર ઊર્જા મોકલે છે. સૂર્યનો અભ્યાસ કરીને આપણે જાણી શકીશું કે, સૂર્યના કિરણોની પૃથ્વી અને અવકાશ પર શું અસર પડે છે.

આ પણ વાંચોTelangana Exit Poll | તેલંગાણા ચૂંટણી : શું અસદુદ્દીન ઓવૈસી બનશે કિંગમેકર? જાણો એક્ઝિટ પોલના પરિણામો શું કહે છે

અત્યાર સુધી કયા દેશોએ સૂર્ય મિશન મોકલ્યું છે?

ભારતે પ્રથમ વખત સૂર્ય મિશન શરૂ કર્યું છે. ભારત પહેલા 22 મિશન સૂર્ય પર મોકલવામાં આવ્યા છે. અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી સૂર્યના અભ્યાસમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, નાસાએ સૂર્યનો અભ્યાસ કરવા માટે સૌથી વધુ સોલાર મિશન મોકલ્યા છે. એકલા નાસાએ 14 સૂર્ય મિશન મોકલ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ 1994 માં નાસા સાથે મળીને સૂર્ય મિશન મોકલ્યું હતું. નાસાએ 2001 માં જિનેસિસ મિશન શરૂ કર્યું હતું. આ મિશનનો હેતુ સૂર્યની આસપાસ ફરતી વખતે સૌર પવનોના નમૂના લેવાનો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ