Aditya L1 Solar Mission ISRO : આદિત્ય એલ1 સૂર્યની નજીક પહોંચ્યું, ત્રીજુ અર્થ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ : ઈસરો

Aditya L1 Solar Mission ISRO : ઈસરોનું આદિત્ય એલ1 સૂર્યયાન હાલ અંતરિક્ષમાં પૃથ્વીથી સૌથી નજીક 296 કિમી અને સૌથી મહત્તમ 71767 કિમીના અંતરે છે

Written by Ajay Saroya
September 10, 2023 13:50 IST
Aditya L1 Solar Mission ISRO : આદિત્ય એલ1 સૂર્યની નજીક પહોંચ્યું, ત્રીજુ અર્થ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ : ઈસરો
આદિત્ય એલ-1 સૂર્યની નજીક પહોંચી ગયું છે. (ઇમેજ ક્રેડિટ-ઇસરો)

Aditya L1 ISRO Solar Mission Update : ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરો દ્વારા તેના સૂર્ય મિશન હેઠળ લોંચ કરવામાં આવેલું આદિત્ય એલ-1 હવે સૂર્યની નજીક પહોંચી ગયું છે. તેણે ત્રીજી અર્થ બાઉન્ડ મેન્યૂવર પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે. આદિત્ય-એલ1 હવે 296 કિલોમીટરના પેરીજી (સૌથી નજીકનું અંતર) અને 71,767 કિલોમીટરના અપેજી (મહત્તમ અંતર)માં પહોંચી ગયું છે. ઈસરોએ ટ્વિટર પર આ માહિતી આપી છે. ઈસરોનું ‘સૂર્યયાન’ હવે પૃથ્વીથી તેની સૌથી નજીકના 296 કિલોમીટર અને મહત્તમ 71,767 કિલોમીટરના અંતરે છે.

ઈસરો આદિત્ય એલ-1 પર સતત નજર રાખી રહ્યું છે. મેન્યૂવર દરમિયાન ITRAC/ISROના મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેયર સ્થિત ગ્રાઉન્ડ સ્ટેશનોએ આ ઓપરેશન દરમિયાન સેટેલાઇટનું નિરીક્ષણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આદિત્ય એલ-1નું બીજું પૃથ્વી બાઉન્ડ મેન્યુવર 5 સપ્ટેમ્બરે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. હવે આદિત્ય એલ-1નો વધુ એક મેન્યુવર છે, જે 15 સપ્ટેમ્બરે થશે.

આદિત્ય એલ-1ને લેગ્રેન્જ-1 પોઈન્ટમાં સ્થાપિત કરવામાં આવશે. આ બિંદુ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. અહીંથી સૂર્યનું ખૂબ જ સચોટ દૃશ્ય ઉપલબ્ધ છે અને તે સૂર્યના અવલોકનોમાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે ઈસરો દ્વારા આદિત્ય એલ1 સૂર્યયાનને ગત 2 સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો | ચંદ્રયાન 3 અને આદિત્ય એલ1 બાદ પછી ઈસરો ક્યુ અવકાશયાન લોન્ચ કરશે? કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપ્યા મોટા સમાચાર

ઈસરોના જણાવ્યા અનુસાર, ઉપગ્રહ આદિત્ય એલ1ને હવે 15 સપ્ટેમ્બરે સવારે 2 વાગ્યે ચોથી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. ત્યારબાદ આદિત્ય એલ1 ને ફરી એકવાર ભ્રમણકક્ષા બદલવી પડશે. આ પછી ઉપગ્રહ ટ્રાન્સ-લેગ્રાંગિયન1 ભ્રમણકક્ષામાં જશે. 18 સપ્ટેમ્બરે, આદિત્ય એલ1 પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યા બાદ ક્રુઝ ફેઝની શરૂઆત થશે, અહીંથી આદિત્ય એલ-1 લેંગ્રેસ પોઈન્ટ તરફ જશે. ત્યારબાદ આદિત્ય એલ-1 હેલો ઓર્બિટ તરફ જશે. અહીં કેટલાક મેન્યૂવર કર્યા પછી આદિત્ય એલ-1 ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ