અમદાવાદ અયોધ્યા વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ, સિયા-રામના પોશાકમાં જોવા મળ્યા મુસાફરો, જાણો ભાડું અને ટાઈમ ટેબલ

Ahmedabad Ayodhya Flight time table fare : અયોધ્યાથી અમદાવાદ ફ્લાઇટ ટાઈમ ટેબલ અને ટિકિટ (Ticket) ભાડાની વિગત, પ્રથમ ફ્લાઇટનું યુપીના સીએમ યોગી આદિત્યનાથે વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં ફ્લેગ ઓફ કર્યું હતું.

Ahmedabad Ayodhya Flight time table fare : અયોધ્યાથી અમદાવાદ ફ્લાઇટ ટાઈમ ટેબલ અને ટિકિટ (Ticket) ભાડાની વિગત, પ્રથમ ફ્લાઇટનું યુપીના સીએમ યોગી આદિત્યનાથે વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં ફ્લેગ ઓફ કર્યું હતું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Ayodhya Flight Time Table Ticket Fare

અમદાવાદ અયોધ્યા ફ્લાઈટ નું ટાઈમ ટેબલ અને ટિકિટ ભાડુ

Ahmedabad Ayodhya Flight Time Table Ticket Fare : અયોધ્યાથી અમદાવાદની ફ્લાઇટનું બુકિંગ શરૂ | અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ અભિષેક સમારોહ યોજાનાર છે. આ અવસર પર વધુને વધુ રામ ભક્તો અયોધ્યા પહોંચવા આતુર છે. જો કે, યુપી સરકાર અને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે સામાન્ય લોકોને આ પ્રસંગના દિવસે અયોધ્યા ન આવવા વિનંતી કરી છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આજે (11 જાન્યુઆરી, 2024) ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ અયોધ્યા માટે રવાના થઈ છે. ઈન્ડિગો એરલાઈનની આ પ્રથમ ફ્લાઈટને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફ્લેગ ઓફ કરી હતી.

Advertisment

સમાચાર એજન્સી ANI દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અમદાવાદ એરપોર્ટ પરના મુસાફરો પણ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં જોવા મળે છે.

અયોધ્યા-અમદાવાદ ફ્લાઈટ

તમને જણાવી દઈએ કે, અમદાવાદ-અયોધ્યા વચ્ચે ઈન્ડિગો ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે.

Ahmedabad Ayodhya Flight Time Table Ticket Fare
અમદાવાદ થી અયોધ્યા ફ્લાઈટના મુસાફરો રામ-લક્ષ્મણ-જાનકીના વેશમાં (ફોટો - એએનઆઈ)
Advertisment

અમદાવાદ અયોધ્યા ફ્લાઈટ ટાઈમ ટેબલ

તમને જણાવી દઈએ કે, અમદાવાદ-અયોધ્યા વચ્ચે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. ફ્લાઇટ અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને સવારે 11 વાગ્યે અયોધ્યા લેન્ડ થશે. જ્યારે અયોધ્યાથી ટેકઓફનો સમય સવારે 11.30 વાગ્યાનો છે અને તે બપોરે 1.40 વાગ્યે અમદાવાદ પહોંચશે.

22 જાન્યુઆરીએ 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે

સીએમ યોગીએ આ અવસર પર કહ્યું, 'ઉત્તર પ્રદેશને ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા માટે હું પીએમ મોદીનો આભારી છું. 30 ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન થયું હતું. આ સાથે દિલ્હી-અયોધ્યા વચ્ચે હવાઈ સેવા શરૂ થઈ. તેમણે વધુમાં કહ્યું કે, 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે લગભગ 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે. તેનાથી અયોધ્યા એરપોર્ટની ક્ષમતા પણ તપાસવામાં આવશે.

,

આ પણ વાંચો - Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત, જાણો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કેમ જરૂરી છે

અમદાવાદ અયોધ્યા ફ્લાઈટ ટિકિટ ભાડુ

ઉલ્લેખનીય છે કે, જ્યારે ઈન્ડિગોએ અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાણકારી આપી હતી, ત્યારે તેનું ભાડું 4000 રૂપિયાની આસપાસ હતું. પરંતુ રામલલાના દર્શન માટે ભીડને કારણે હાલમાં ફ્લાઈટની ટિકિટ ખૂબ મોંઘી થઈ છે. 12 જાન્યુઆરીએ અમદાવાદ અને અયોધ્યા વચ્ચેની ફ્લાઈટ ટિકિટની કિંમત ઈન્ડિગોની વેબસાઈટ પર રૂ. 6000 સુધી હાલ જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, ફ્લાઇટની કિંમતો ગતિશીલ છે, તેથી તેમની કિંમતો માંગના આધારે વધતી અને ઘટતી રહે છે.

Ayodhya રામ મંદિર એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ અમદાવાદ Express Exclusive દેશ