કાકાના ગઢ પર અજિત પવારની નજર, કહ્યું - શરદ પવારની ભાવુક અપીલ પર ધ્યાન ન આપો

અજિત પવારનું સંપૂર્ણ ધ્યાન એનસીપીની પરંપરાગત લોકસભા બેઠક બારામતી પર છે. તેના માટે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે

અજિત પવારનું સંપૂર્ણ ધ્યાન એનસીપીની પરંપરાગત લોકસભા બેઠક બારામતી પર છે. તેના માટે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ભાભી vs નણંદ: મહારાષ્ટ્રની બારામતી બેઠક પર એક પરિવારના બે સભ્ય વચ્ચે જંગ, લોકસભા ચૂંટણીમાં કોનું પલડું ભારે?

અજિત પવાર, શરદ પવાર અને સુપ્રિયા સુલે (એક્સપ્રેસ)

ajit pawar : મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ એનસીપીમાં સૌથી મોટું વિભાજન થયું હતું. શરદ પવારના ભત્રીજા અજિત પવારે પાર્ટી તોડી એનડીએમાં સામેલ થઈ ગયા હતા. હાલમાં તેઓ એકનાથ શિંદે સરકારમાં દેવેન્દ્ર ફડણવીસની સાથે ડેપ્યુટી સીએમ છે. એનસીપીના એક મોટા ભાગનું નેતૃત્વ અજિત પવાર કરે છે. હવે તેમનું સંપૂર્ણ ધ્યાન એનસીપીની પરંપરાગત લોકસભા બેઠક બારામતી પર છે. તેના માટે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અજિત પવારે શરદ પવારની વાતમાં મતદારોને ભાવુક ન થવાની માગણી કરી છે, કારણ કે શરદ પવાર ફરી એક વાર ઇમોશનલ કાર્ડ રમી શકે છે.

Advertisment

અજિત પવારે બારામતીમાં એક રેલીમાં કહ્યું કે શરદ પવાર લોકોને ભાવનાત્મક રીતે અપીલ કરી શકે છે કે આ મારી છેલ્લી ચૂંટણી છે. અજીત પવારે કહ્યું કે ખબર નથી કે તેમની છેલ્લી ચૂંટણી ક્યારે યોજાશે. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ શરદ પવારે સંકેત આપ્યા હતા કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. હવે અજિત પવારે આને એવો મુદ્દો બનાવી દીધો છે કે તેમની છેલ્લી ચૂંટણી ક્યારે થશે તે કોઈને ખબર નથી.

અજિત પવારે બારામતીના લોકો અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે શરદ પવારની નહીં પરંતુ તેમની વાત સાંભળો. તેમણે કહ્યું કે બારામતીના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અજીત પવારે કહ્યું કે તમે અત્યાર સુધી વરિષ્ઠ લોકોની વાત સાંભળી છે, પરંતુ હવે તમારે પણ મારી વાત સાંભળવી જોઈએ.

મોદી-શાહનો મળી રહ્યો છે સપોર્ટ

અજીત પવારે કહ્યું કે જો તેમની વિચારધારાના નેતા બારામતીમાં જીતી જાય અને સાંસદ બને તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર જિલ્લાના વિકાસ કાર્યોને મંજૂરી અપાવવા માટે વધુ દબાણ કરી શકશે. તેમણે કહ્યું કે વિકાસને લઈને તેમને પીએમ મોદી અને ગૃહમંત્રીનો પૂરો સાથ મળી રહ્યો છે.

Advertisment

આ પણ વાંચો - ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન માટે નવી ચિંતા, આરએલડીના નેતા સીટોની અનિશ્ચિતતાથી નાખુશ

તો બીજી તરફ એનસીપીની બારામતી પાર્ટીના પ્રમુખ ઇમ્તિયાઝ શેખે પણ અજિત પવારના નિવેદનને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અજીત દાદાનું આજનું નિવેદન કહી રહ્યું છે કે તેમનું જૂથ આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાનું છે. એટલા માટે તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતા પાસે સમર્થન માંગ્યુ છે.

અજિત પવાર પર દબાણ લાવી રહી છે ભાજપ!

અજિત પહેલા પણ સુપ્રિયા સુલે માટે રાજકીય રીતે સમસ્યાઓ ઊભી કરતા રહ્યા છે, પરંતુ આ વખતે તેમના તેવર અલગ જોવા મળી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આની પાછળ ભાજપનું સીધું દબાણ છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેને હરાવવા માટે બારામતી બેઠક પર વધુ ભાર મુકવા માટે ભાજપ તેના ગઠબંધન ભાગીદાર એનસીપી પર દબાણ વધારી રહ્યું છે.

સુપ્રિયા સુલે બારામતી બેઠક પરથી ત્રણ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ બેઠક પર અજિત પવારના પત્ની સુનેત્રા પવારનું નામ પણ ઉમેદવાર તરીકે ચાલી રહ્યું છે. જોકે અજિત પવારે હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી.

અજિત પવાર શરદ પવાર મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024