‘અમે બંગડીઓ નથી પહેરી, એક પણ બહારના વ્યક્તિને અહીં વસવા નહીં દઈએ’, અલ્તાફ બુખારીના નિવેદનથી લોકો ગુસ્સે

Jammu and Kashmir News : અપના પાર્ટી (Apna Party) ના નેતા અલ્તાફ બુખારી (Altaf Bukhari) એ જમ્મુ કાશ્મીરમાં અન્ય રાજ્યોના લોકોના વસવાને લઈ વિવાદાસ્પદ નિવેદન આફ્યું, કહ્યું અમે અહીં કોઈને રહેવા નહીં દઈએ, ગમે તેટલી સુરક્ષા લગાવી દો.

Written by Kiran Mehta
Updated : February 13, 2023 17:02 IST
‘અમે બંગડીઓ નથી પહેરી, એક પણ બહારના વ્યક્તિને અહીં વસવા નહીં દઈએ’, અલ્તાફ બુખારીના નિવેદનથી લોકો ગુસ્સે
અપના પાર્ટીના નેતા અલ્તાફ બુખારીનું વિવાદાસ્પદ નિવેદન (ફોટો - અલ્તાફ બુખારી સોશિયલ મીડિયા)

Jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જેને જોતા નેતાઓ તરફથી નિવેદનો પણ કરવામાં આવી રહ્યા છે. અપની પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારીએ એક મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અલ્તાફ બુખારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે, ‘અમે બંગડીઓ નથી પહેરી, અમે બહારના લોકોને અહીં સ્થાયી થવા દઈશું નહીં’.

અલ્તાફ બુખારીએ શું કહ્યું?

અમારી પાર્ટીના અધ્યક્ષ અલ્તાફ બુખારી વીડિયોમાં કહી રહ્યા છે કે, અમે એક પણ વ્યક્તિને અહીં સ્થાયી થવા દઈશું નહીં જે જમ્મુનો નથી. તમે ગમે તેટલી સુરક્ષા લગાવી દો, કેટલી પોલીસ મૂકી દો, કોઈ પણ બહારનો વ્યક્તિ આપણી જમીન પર રહી શકશે નહી. આ જમીનો આપણી છે અને તેના પર અધિકાર જમ્મુ-કાશ્મીરના લોકોનો છે. તેમને લાગે છે કે, બહારથી કોઈ આવીને રાખીશું તો આપણે બંગડીઓ નથી પહેરી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

અલ્તાફ બુખારી એમ પણ કહી રહ્યા છે કે, જે લોકો અહીંથી ક્યાંક બીજે જઈ નાટક કરે. અમે નક્કી કરીશું, અહીંની જમીનો પર શું થશે તે અહીંના લોકો નક્કી કરશે. અહીં એક સરકાર આવશે જે જનહિતમાં નિર્ણય લેશે. આપણે તેમનાથી સાવધાન રહેવું જોઈએ અને એકજૂથ રહેવું જોઈએ. તેઓ આપણને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલ્તાફ બુખારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે.

લોકોની પ્રતિક્રિયાઓ

@zameerkhanalta1 યુઝરે લખ્યું કે, બંગડીઓ નબળાઈની નિશાની નથી સાહેબ, જ્યારે તમે બોલી રહ્યા હતા ત્યારે પાછળ ઉભેલી મહિલા પણ તાળીઓ પાડી રહી હતી. @impradeep1393 યુઝરે લખ્યું કે, આને કોમવાદ અને પ્રાદેશિકવાદ ન કહેવાય? જો તમામ રાજ્યો આમ કરવા લાગશે તો 20-30 નવા દેશ બની જશે. @abhinav93503694 યુઝરે લખ્યું કે, તમારા લોકો ભારતમાં ગમે ત્યાં સ્થાયી થઈ શકે છે કારણ કે, બંધારણ તેની મંજૂરી આપે છે પરંતુ જ્યારે કોઈ J&Kમાં સ્થાયી થાય છે ત્યારે બંધારણ દેખાતું નથી. ક્યાં છે મોટા બુદ્ધિજીવીઓ? હવે તેનું ખંડન થશે કે નહીં.

આ પણ વાંચોસુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનને પડકારતી અરજી ફગાવી દીધી

@Kamlesh51474548 યુઝરે લખ્યું કે, અલ્તાફ બુખારીની હાલત બૈગાની શાદી મે અબ્દુલ્લા દિવાના જેવી છે. એક યુઝરે લખ્યું કે, અલ્તાફ બુખારીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવો જોઈએ. તે દેશના કોઈપણ નાગરિકને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવતા અને સ્થાયી થવાથી કેવી રીતે રોકી શકે? આ સાથે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ અલ્તાફ બુખારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ