UP Politics: સુભાસપા પાર્ટીના ઓમ પ્રકાશ રાજભર NDAમાં જોડાતા ઉતરપ્રદેશમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ, અમિત શાહે કર્યુ ટ્વિટ

UP Politics: અમિત શાહ સાથેની બેઠકમાં ઓબીસી નેતા અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમપ્રકાશ રાજભર સાથે તેમના પુત્ર અરવિંદ રાજભર પણ હતા.

UP Politics: અમિત શાહ સાથેની બેઠકમાં ઓબીસી નેતા અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમપ્રકાશ રાજભર સાથે તેમના પુત્ર અરવિંદ રાજભર પણ હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
amit shah om prakash rajbhar suheldev bharatiya samaj party nda up Politics as

અરવિંદ રાજભર, અમિત શાહ અને ઓમ પ્રકાશ રાજભર (Photo: @AmitShah)

Suheldev bharatiya samaj party join to NDA : ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ તોડજોડનો ખેલ શરૂ થઇ ગયો છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચીફ અને યુપીના પૂર્વનેતા રાજભરે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સાથે હાથ મિલાવ્ય છે. આનાથી ઉત્તર પ્રદેશમાં સપા માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

Advertisment

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના નેતા અને યુપીના પૂર્વ મંત્રી ઓપી રાજભરે 14 જુલાઈએ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે ઓપી રાજભર એનડીએ ગઠબંધનમાં સામેલ થઈ રહ્યા છે.

અમિત શાહે ટ્વીટ કર્યું, “સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધનમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હું એનડીએ પરિવારમાં તેમનું સ્વાગત કરું છું." તેમણે આગળ લખ્યું કે રાજભરના આગમનથી ઉત્તર પ્રદેશમાં NDA મજબૂત થશે અને પીએમ મોદીના નેતૃત્વમાં NDA દ્વારા ગરીબો અને દલિત લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને વધુ બળ મળશે.

Advertisment

NDAમાં જોડાયા બાદ સુભાસપાના વડા ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે અમારી પાર્ટી અને બીજેપીએ આગામી 2024ની ચૂંટણી સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ 14 જુલાઇએ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને પક્ષોની બેઠકથી સમગ્ર રાજ્યમાં એક મોટી શક્તિ ઉભી થશે. દેશના વડાપ્રધાનની વિચારસરણીને આગળ વધારવામાં તે ઘણી મદદ કરશે.

આ પણ વાંચોઃ સંસદનું ચોમાસુ સત્ર તોફાની બનશે; કોંગ્રેસ મણિપુર હિંસા, UCC મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારને ઘેરશે

સૂત્રોએ દાવો કર્યો હતો કે બેઠક દરમિયાન રાજભર અને શાહ બંનેએ 45 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ વાતચીત રાજધાની દિલ્હીમાં થઈ હતી. સૂત્રોએ દાવો કર્યો છે કે આ બેઠકમાં ઓમપ્રકાશ રાજભર સાથે તેમના પુત્ર અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરવિંદ રાજભર પણ હતા.

ચૂંટણી 2023 લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ politics ભાજપ