અમિત શાહ સીએએ : અમિત શાહનું મોટું નિવેદન, લોકસભા ચૂંટણી પહેલા લાગુ થશે CAA

Amit Shah on CAA, અમિત શાહ સીએએ : શાહે વધુમાં કહ્યું કે CAA નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યું છે અને કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નહીં.

Written by Ankit Patel
February 10, 2024 14:12 IST
અમિત શાહ સીએએ : અમિત શાહનું મોટું નિવેદન, લોકસભા ચૂંટણી પહેલા લાગુ થશે CAA
કેન્દ્રિય મંત્રી અમિત શાહ, સીએેએ- Express photo

Amit Shah on CAA, અમિત શાહ સીએએ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે CAAને લઈને મોટી જાહેરાત કરી છે. અમિત શાહે કહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા (સુધારા) કાયદો (CAA) લાગુ કરવામાં આવશે.

આ સાથે શાહે કોંગ્રેસ પર ઈટી નાઉ ગ્લોબલ સમિટ 2024માં CAA લાગુ કરવાના પોતાના વચનથી પાછીપાની કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું “CAA એ કોંગ્રેસ સરકારનું વચન હતું. જ્યારે દેશનું વિભાજન થયું અને તે દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો ત્યારે કોંગ્રેસે શરણાર્થીઓને ખાતરી આપી હતી કે તેઓ ભારતમાં આવકાર્ય છે અને તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

શાહે વધુમાં કહ્યું કે CAA નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યું છે અને કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નહીં. તેમણે વધુમાં કહ્યું, “આપણા દેશમાં લઘુમતીઓને અને ખાસ કરીને આપણા મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. CAA કોઈની નાગરિકતા છીનવી શકે નહીં કારણ કે કાયદામાં તેની કોઈ જોગવાઈ નથી. સીએએ એ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં સતાવાયેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનું એક કાર્ય છે.

2019માં મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ CAAનો હેતુ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સહિત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવાનો છે. જેઓ 31 ડિસેમ્બર 2014 પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા.

અમિત શાહ સીએએ : મોદી સરકાર ફરી સત્તામાં આવશે

શાહે વધુમાં કહ્યું કે તેમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીની સરકાર ફરી સત્તામાં આવશે. જેમાં ભાજપને 370 અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે.

Amit Shah | Parliament Winter Session
લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ સીએએ (Photo: Screengrab from X/SansadTV)

અમિત શાહ સીએએ : 370 નો ઉલ્લેખ કર્યો, આટલો વિશ્વાસ કેમ છે તે જણાવ્યું

અમિત શાહે ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ 2024માં વધુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામો પર કોઈ સસ્પેન્સ નથી. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને પણ એ વાતનો અહેસાસ થઈ ગયો છે કે તેમને ફરીથી વિપક્ષી બેન્ચ પર બેસવું પડશે. આ દરમિયાન તેમણે કહ્યું, “અમે બંધારણની કલમ 370 (જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો છે) રદ્દ કરી દીધો છે. તેથી અમને વિશ્વાસ છે કે દેશની જનતા ભાજપને 270 અને એનડીએને 400થી વધુ બેઠકો સાથે આશીર્વાદ આપશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ