AMU Minority Case : શું છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સ્ટેટસ વિવાદ? 57 વર્ષ જુના કેસમાં અનેકવાર ચુકાદો આવ્યો છે

Aligarh Muslim University Minority Status Controversy : સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી (AMU) ને લઘુમતી દરજ્જાના કેસમાં કેન્દ્ર સરકારે (Central Govt) અરજી પાછી ખેંચ્યા બાદ સાત જજની બેંચ દ્વારા સુનવણી.

Aligarh Muslim University Minority Status Controversy : સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટી (AMU) ને લઘુમતી દરજ્જાના કેસમાં કેન્દ્ર સરકારે (Central Govt) અરજી પાછી ખેંચ્યા બાદ સાત જજની બેંચ દ્વારા સુનવણી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Aligarh Muslim University Minority Status Controversy

અલીગઢ મુસ્લીમ યુનિવર્સીટી લઘુમતી સ્ટેટસ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

રિતિકા ચોપડા |Aligarh Muslim University Minority Status Controversy : સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની સાત જજોની બેન્ચે મંગળવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) સંબંધિત લઘુમતી દરજ્જા સંબંધિત કેસની સુનાવણી કરી. આ વિવાદ લગભગ 57 વર્ષ જૂનો છે અને તેના પર ઘણી વખત કોર્ટ ચુકાદો આપી ચૂકી છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી લેખિત દલીલો અનુસાર, યુનિવર્સિટીને લઘુમતી ટેગ ન આપવો જોઈએ કારણ કે AMU રાષ્ટ્રીય પાત્રતા ધરાવે છે. તે કોઈ ચોક્કસ ધર્મની યુનિવર્સિટી ન હોઈ શકે. તે હંમેશા રાષ્ટ્રીની મહત્વની યુનિવર્સિટી માનવામાં આવે છે.

Advertisment

સંસ્થાન 'લઘુમતી દરજ્જો' શું છે?

બંધારણની કલમ 30(1) તમામ લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર આપે છે. આ જોગવાઈ લઘુમતી સમુદાયોના વિકાસને પ્રોત્સાહન આપે છે. તે એ વાતનું પણ ધ્યાન રાખે છે કે, કેન્દ્ર તેમને સહાય પૂરી પાડવામાં ભેદભાવ ન કરે કારણ કે, તે 'લઘુમતી' સંસ્થાઓ છે.

યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો વિવાદમાં ક્યારે આવ્યો?

AMU ના લઘુમતી દરજ્જાને લઈને કાનૂની વિવાદ 1967 માં શરૂ થયો હતો. ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ કેએન વાંચુના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટ 1951 અને 1965 માં AMU માં થયેલા ફેરફારોની સમીક્ષા કરી રહી હતી. આ સુધારાઓએ યુનિવર્સિટીને ચલાવવાની રીતને અસર કરી. 1920ના કાયદામાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતના ગવર્નર જનરલ યુનિવર્સિટીના વડા હશે પરંતુ 1951માં તેઓએ તેને 'લોર્ડ રેક્ટર' થી બદલીને 'વિઝિટર' કરી દીધો અને આ મુલાકાતી ભારતના રાષ્ટ્રપતિ હશે.

આ સિવાય એક જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર મુસ્લિમો જ યુનિવર્સિટી કોર્ટનો ભાગ બની શકે છે. બાદમાં તેને દૂર કરવામાં આવ્યો હતો. આ પછી, બિન-મુસ્લિમોને પણ તેમાં ભાગ લેવાની પરવાનગી મળી.

Advertisment

AMU ના આ ફેરફારોને સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય રીતે પડકારવામાં આવ્યો હતો. અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે, મુસ્લિમોએ એએમયુની સ્થાપના કરી હતી અને તેથી યુનિવર્સિટી તેમના અનુસાર ચલાવવામાં આવે. આ પછી, સુપ્રીમ કોર્ટે 20 ઓક્ટોબર, 1967 ના રોજ કહ્યું કે, AMUની સ્થાપના ન તો મુસ્લિમો દ્વારા કરવામાં આવી હતી અને ન તો તેમના દ્વારા તે ચલાવવામાં આવી હતી.

કોર્ટે કહ્યું હતું કે, એએમયુની સ્થાપના કેન્દ્રીય કાયદા દ્વારા કરવામાં આવી હતી, જેથી સરકાર તેની ડિગ્રીઓની માન્યતા સુનિશ્ચિત કરી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, આ કાયદો મુસ્લિમોના પ્રયાસો બાદ પસાર કરવામાં આવ્યો છે. આનો અર્થ એ નથી કે યુનિવર્સિટીની સ્થાપના મુસ્લિમોએ કરી હતી.

શા માટે વિવાદ ચાલુ રહ્યો છે?

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ દેશભરમાં મુસ્લિમોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. જવાબમાં, AMU એક્ટમાં સુધારો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેના લઘુમતી દરજ્જાની સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી હતી. સુધારામાં કલમ 2(l) અને પેટા-કલમ 5(2)(c) રજૂ કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી "ભારતના મુસ્લિમો દ્વારા સ્થાપિત પસંદગીની શૈક્ષણિક સંસ્થા" હતી અને "બાદમાં AMU તરીકે સમાવિષ્ટ કરવામાં આવી હતી".

2005 માં, AMU એ અનામત નીતિ અમલમાં મૂકી હતી, જેમાં મેડિકલ પીજી ડિગ્રીમાં 50% બેઠકો મુસ્લિમ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી હતી. જેને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે તે જ વર્ષે આરક્ષણને હટાવી દીધું અને 1981 નો કાયદો રદ કર્યો. કોર્ટે દલીલ કરી હતી કે, AMU વિશેષ આરક્ષણ જાળવી શકતું નથી કારણ કે, એસ. અઝીઝ બાશા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ આ લઘુમતી સંસ્થા લાયક ન હતી. આ પછી 2006 માં કેન્દ્ર સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો - Suchna Seth killed his Son : પોતાના 4 વર્ષના પુત્રની હત્યા કરનાર CEO સુચના સેઠ કોણ છે? 100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ

2016 માં એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તે સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પાછી ખેંચી રહી છે. આ પછી, 12 ફેબ્રુઆરી, 2019 ના રોજ, તત્કાલિન CJI રંજન ગોગોઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ કેસ સાત જજોની બેંચને મોકલ્યો. હવે મંગળવારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, સૂર્યકાન્ત, જેબી પારડીવાલા, દીપાંકર દત્તા, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માની ડિવિઝન બેંચે આ કેસની સુનાવણી શરૂ કરી હતી.

એક્સપ્રેસ એક્સપ્લેન ગુજરાતી ન્યૂઝ Express Exclusive દેશ