Anantnag News: અનંતનાગ એન્કાઉન્ટર પર DGP નું અલ્ટીમેટમ, કાલ સુધીમાં આતંકવાદીઓને ખતમ કરી દેવાશે

Anantnag Encounter News: અનંતનાગ એન્કાઉન્ટર લેટેસ્ટ અપડેટ ડીજીપીએ આપ્યું અલ્ટીમેટમ કાલ સુધીમાં આતંકીઓને ખતમ કરી દેવાશે. આતંકી હુમલામાં મેજર, કર્નલ અને ડીએસપી શહીદ થયા હતા.

Anantnag Encounter News: અનંતનાગ એન્કાઉન્ટર લેટેસ્ટ અપડેટ ડીજીપીએ આપ્યું અલ્ટીમેટમ કાલ સુધીમાં આતંકીઓને ખતમ કરી દેવાશે. આતંકી હુમલામાં મેજર, કર્નલ અને ડીએસપી શહીદ થયા હતા.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Anantnag encounter news | Anantnag news | Anantnag terror | News in Gujarati

અનંતનાગમાં આતંકવાદીઓને ખતમ કરવાની સંપૂર્ણ તૈયારી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રણ બહાદુર જવાનોની શહાદત બાદ તણાવ વધી ગયો છે. હાલમાં અનંતનાગમાં આતંકીઓ સાથે સેનાની ભીષણ અથડામણ ચાલી રહી છે. દરમિયાન, ડીજીપીએ સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલ સુધીમાં તમામ આતંકવાદીઓનો ખાત્મો થઈ જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે, એટલે કે શહાદતનો બદલો લેવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

Advertisment

કેવી રીતે થયો અનંતનાગ હુમલો?

તમને જણાવી દઈએ કે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ઈનપુટ મળ્યા હતા કે અનંતનાગમાં કેટલાક આતંકીઓ છુપાયા છે. ઇનપુટના આધારે, સેના અને પોલીસ બંને ટીમો સક્રિય થઇ અને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક આતંકવાદીઓએ અચાનક ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડેપ્યુટી એસપી હુમાયુ ભટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ તેમનું એટલું લોહી વહી ગયું હતું કે ત્રણ બહાદુર પુત્રોમાંથી કોઈને બચાવી શકાયા ન હતા.

જવાનોની શહાદતનો બદલો લેવા માટે અનંતનાગમાં સુરક્ષા દળોની સતર્કતા વધી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે અને તેમની સાથે અથડામણ ચાલી રહી છે. ડીજીપીનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં તમામ આતંકવાદીઓને ખતમ કરી દેશે. જોકે, ધ રેઝિસ્ટન્સ ફોર્સ (TRF) એ આ હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠનને લશ્કર-એ-તૈયબાની ભરતી કરનાર કહેવામાં આવે છે.

હુમલાની જવાબદારી કોણે લીધી?

આતંકવાદી સંગઠન TRF 2019માં અસ્તિત્વમાં આવ્યું. તે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું પ્યાદુ છે. તેનો અર્થ એ છે કે લશ્કર-એ-તૈયબા આ સંગઠન દ્વારા તેના ઘણા આતંકવાદી પ્લાન પૂરા કરે છે. આ સંગઠન યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આ આતંકવાદી સંગઠન પાકિસ્તાનથી ઘૂસણખોરી માટે પણ જવાબદાર માનવામાં આવે છે.

Advertisment
આતંકવાદી જમ્મુ અને કાશ્મીર દેશ