આંધ્ર પ્રદેશ : TDP-JSP ગઠબંધન વચ્ચે આ મુદ્દા પર ફસાયો પેંચ, ભાજપ નથી આપી રહ્યું લીલી ઝંડી

ટીડીપી અને જેએસપીએ તેમની બેઠકોની વહેંચણીમાં વિલંબ અને ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવાનું એક મોટું કારણ ગઠબંધનમાં જોડાવા અંગે ભાજપ પર નિર્ણય લેવામાં વિલંબ છે

ટીડીપી અને જેએસપીએ તેમની બેઠકોની વહેંચણીમાં વિલંબ અને ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવાનું એક મોટું કારણ ગઠબંધનમાં જોડાવા અંગે ભાજપ પર નિર્ણય લેવામાં વિલંબ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pawan kalyan, chandrababu naidu

ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણ (Photos via their Facebook pages)

Pushkar Banakar : જન સેના પાર્ટી (જેએસપી)ના વડા પવન કલ્યાણે ભાજપના કેન્દ્રીય નેતાઓને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)-જેએસપી સાથે ગઠબંધનને ઔપચારિક સ્વરૂપ આપવા વિનંતી કરી છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા આ પવને બુધવારે કહ્યું હતું કે આવા પ્રયાસોથી તેમને ભારે માનસિક પીડા થઈ છે.

Advertisment

ચૂંટણીને હવે માંડ થોડા મહિના બાકી છે, પરંતુ ભાજપે ગઠબંધન અંગે હજી નિર્ણય લીધો નથી. પવન કલ્યાણને વધુ પરેશાન કરનારી બાબત એ છે કે જેએસપીનું એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી સાથેનું અસહજ ગઠબંધન. આ ગઠબંધનની ઔપચારિક જાહેરાત સપ્ટેમ્બર 2023માં કરવામાં આવી હતી, જ્યારે નાયડુ આંધ્રપ્રદેશ કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડના સંબંધમાં જેલમાં હતા.

સંકલન સમિતિની બેઠકમાં બંને પક્ષના નેતાઓ હાજર રહ્યા ન હતા

ગઠબંધનની જાહેરાત બાદથી જ બંને સાથી પક્ષોના નેતાઓએ સંકલન સમિતિની બેઠકમાં ભાગ લીધો નથી અને મારપીટ ઉપર પણ ઉતરી ગયા હતા. બંને પક્ષોએ વિધાનસભાની ચૂંટણી માટે એકતરફી રીતે બે-બે ઉમેદવારોની જાહેરાત પણ કરી હતી. તાજેતરમાં જ પવન કલ્યાણે ચંદ્રબાબુ નાયડુ પર ગઠબંધન ધર્મનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે ટીડીપીના વડાએ જેએસપીની સલાહ લીધા વિના મંડપેટા અને અરાકુ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ રાજોલ અને રાજનગરમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

ટીડીપી-જેએસપી વચ્ચે બેઠકોની વહેંચણી મુશ્કેલ

ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણ બંનેએ તેમના ગઠબંધનને રાજ્યના હિતમાં સમયની જરૂરિયાત ગણાવી હતી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી મુશ્કેલ બની રહી છે, ખાસ કરીને બે ગોદાવરી જિલ્લાઓ -પૂર્વ અને પશ્ચિમમાં. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 20 વિધાનસભા ક્ષેત્રો એવા છે જ્યાં બંને પક્ષો સર્વસંમતિ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ બેઠકોમાં રાજમુંદરી ગ્રામીણ, ગન્નાવરમ, પિથાપુરમ, કાકીનાડા ગ્રામણી, એલુરુ અને તાડેપલ્લીગુડેમનો સમાવેશ થાય છે.

Advertisment

આ પણ વાંચો - વારાણસીમાં પીએમ મોદીએ 13 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી

જેએસપી નેતાઓનો દાવો છે કે ગોદાવરી જિલ્લો તેમનો ગઢ છે અને આ બેઠકો પર સમાધાન કરવું પાર્ટીના હિતમાં રહેશે નહીં. પૂર્વ ગોદાવરીના જેએસપી નેતાએ કહ્યું કે 2019 માં બેઠકો ન જીતવા છતાં અમે આ વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ત્યારથી અમે અહીં સખત મહેનત કરી રહ્યા છીએ. હવે આ બેઠકો છોડવી એ પક્ષની સંભાવનાઓ તેમજ ગઠબંધન માટે નુકસાનકારક રહેશે. બંને પક્ષોના કાર્યકર્તાઓ પણ પોતાની બેઠકોને અંતિમ રૂપ આપવામાં થઈ રહેલા વિલંબથી નારાજ છે. રાજમુંદ્રીના ટીડીપીના એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે સીએમ જગને અનેક યાદીઓ જાહેર કરી છે અને તેઓ પોતાના સિદ્ધમ અભિયાન સાથે આગળ વધી રહ્યા છે, પરંતુ અમે હજુ પણ ઉમેદવારો વિશે અનિશ્ચિત છીએ.

નિર્ણયો લેવામાં ભાજપનો વિલંબ

ટીડીપી અને જેએસપીએ તેમની બેઠકોની વહેંચણીમાં વિલંબ અને ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવાનું એક મોટું કારણ ગઠબંધનમાં જોડાવા અંગે ભાજપ પર નિર્ણય લેવામાં વિલંબ છે. ગયા મહિને દિલ્હીમાં નાયડુની ભાજપના ટોચના નેતાઓ સાથેની બેઠક બાદ ટીડીપીના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે ગઠબંધનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને હજુ માત્ર જાહેરાત કરવાની બાકી છે. તેમણે કહ્યું કે ટીડીપીએ ભાજપ-જેએસપી ગઠબંધનને 5-6 લોકસભા બેઠકો (કુલ 25 લોકસભા બેઠકોમાંથી) અને 40 વિધાનસભા બેઠકો (175 વિધાનસભા બેઠકોમાંથી) ઓફર કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપે લોકસભાની ચૂંટણી માટે 10 બેઠકોની માંગ કરી છે.

ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે ચર્ચા થઈ ગઈ છે અને થોડા દિવસોમાં બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે અમારા નેતાએ ભાજપના ટોચના નેતાઓ સાથે વાત કરી હતી અને તેમને રાજ્યની પરિસ્થિતિથી માહિતગાર કર્યા હતા. આગામી કેટલાક દિવસોમાં આ અંગે જાહેરાત બહાર આવશે. તેમણે ધ્યાન દોર્યું હતું કે જેએસપી પહેલાથી જ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો ભાગ છે.

આંધ્ર પ્રદેશમાં ભાજપનો એક પણ ધારાસભ્ય કે સાંસદ નથી

હાલ આંધ્ર પ્રદેશમાં ભાજપના એકપણ ધારાસભ્ય કે સાંસદ નથી. 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને માત્ર 0.9 ટકા વોટ મળ્યા હતા, જે નોટાને મળેલા 1.5 ટકા વોટથી ઓછા છે. બીજી ચિંતા જે ટીડીપી અને જેએસપી બંને નેતાઓએ ઉભી કરી હતી તે મતોના ટ્રાન્સફરને લઇને હતી. તેમણે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે તેમના મતદારો ગઠબંધનના ભાગીદારોને મત આપશે કે નહીં. ટીડીપીના એક નેતાએ જણાવ્યું હતું કે ગઠબંધન અકબંધ છે પરંતુ અમને હજી પણ ખાતરી નથી કે અમારા મતદારો જેએસપીના ઉમેદવારને તે બેઠકો પર મત આપશે કે નહીં જ્યાં તેના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વળી ભાજપ વિશેનું ચિત્ર સ્પષ્ટ ન હોવાથી મતદારો વધુ મૂંઝવણમાં દેખાઈ રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2024 Express Exclusive દેશ ભાજપ