scorecardresearch

Assam Jyotirlinga row: ‘અસમમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ છે’ જાહેરાત પર ભારે વિવાદ, ભાજપ મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ચોરી રહ્યું છે – કોંગ્રેસનો આક્ષેપ

Assam Jyotirlinga row: અસમ સરકારે (Assam government) એક જાહેરાતમાં દાવો કર્યો કે, ભીમાશંકર (bhimashankar Jyotirlinga) નામનું છઠ્ઠું જ્યોતિર્લિંગ (Sixth Jyotirlinga) અસમમાં આવેલું છે. આ મામલે મહારાષ્ટ્ર (Maharashtra) કોંગ્રેસે (Congress)વિરોધ પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ (BJP) હવે મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ (jyotirlinga in maharashtra) ચોરી રહ્યું છે.

bhimashankar Jyotirlinga
મહારાષ્ટ્રમાં આવેલું છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર મંદિર (ફોટો- bhimashankar.in)

આસામ સરકારે મંગળવારે એક જાહેરાત જારી કરીને દેશનું છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં હોવાનો દાવો કર્યો છે. આસામ સરકારની જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે ભીમાશંકર નામનું ભારતનું છઠ્ઠું જ્યોતિર્લિંગ તેના રાજ્યમાં ડાકિની પહાડ પર આવેલું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષે આસામ સરકારના આ દાવાની આકરી ટીકા કરી હતી. હકીકતમાં એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના પુણેમાં ભીમાશંકર પાસે સ્થિત જ્યોતિર્લિંગ એ ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકીનું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે.

આસામ સરકારે મંગળવારે આ જાહેરાત જારી કરી હતી. આસામ રાજ્ય દ્વારા કરવામાં આવેલા આ દાવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આસામના પ્રવાસન વિભાગની આ જાહેરાત બાદ હવે રાજ્ય સરકારની આકરી ટીકા થઈ રહી છે.

ભાજપ મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગની ચોરી કરી

મહારાષ્ટ્ર કોંગ્રેસે આ દાવા સામે મોટો વાંધો ઉઠાવતા આસામની ભાજપ સરકાર પર સદીઓથી હિન્દુ આસ્થાનું કેન્દ્ર રહેલા જ્યોતિર્લિંગની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના નેતા સચિન સાવંતે કહ્યું છે કે, અત્યાર સુધી ભાજપ શાસિત અન્ય રાજ્યોની સરકારો મહારાષ્ટ્રના રોકાણકારોની ચોરી કરતી હતી અને હવે તો ધાર્મિક કેન્દ્રો ચોરવાના પ્રયાસો થઈ રહ્યા છે. બીજી તરફ ભીમાશંકર દેવસ્થાનના મુખ્ય પૂજારી મધુકર શાસ્ત્રી ગાવંડેએ કહ્યું કે આસામ સરકાર જે કહે છે તેના પર કોઈએ વિશ્વાસ ન કરવો જોઈએ.

કોંગ્રેસના આકરા પ્રહાર

કોંગ્રેસના મહાસચિવ સચિન સાવંતે ટ્વીટ કર્યું, “ઉદ્યોગ છોડીને ભાજપ હવે ભગવાન શિવને મહારાષ્ટ્રમાંથી છીનવી લેવા માંગે છે. હવે, ભાજપની આસામ સરકાર દાવો કરે છે કે ભીમાશંકરનું છઠ્ઠું જ્યોતિર્લિંગ આસામમાં આવેલું છે, મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નહીં. અમે આ વાહિયાત દાવાની સખત નિંદા કરીએ છીએ.” આ સાથે જે સાવંતે માંગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે તેનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ અને મહારાષ્ટ્રના 12 કરોડ લોકોની લાગણી અને લાગણીઓને ઠેસ પહોંચાડનાર ભાજપ સરકારના આ પગલાની નિંદા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર વિરુદ્ધ ભાજપની નારાજગી ફરી એકવાર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

NCP સાંસદ સુપ્રિયા સુલેએ પણ જ્યોતિર્લિંગ વિવાદ મામલે આસામ સરકારની ટીકા કરતા ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “શું ભાજપે મહારાષ્ટ્ર માટે કંઈ પણ બાકી ન રાખવાનો નિર્ણય કર્યો છે? પહેલા મહારાષ્ટ્રના ભાગના ઉદ્યોગો અને નોકરીઓ ચોરાઈ ગઈ અને હવે અમારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ચોરી કરી રહ્યા છે. ભાજપ સરકાર આસામમાં જે કરી રહી છે તે બિલકુલ અસ્વીકાર્ય છે અને તેનો કોઈ આધાર નથી.”

Web Title: Assam government sixth jyotirlinga bhimashankar row maharashtra congress