/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Assam-CM-Himanta-Biswa-Sarma.jpg)
Assam CM Himanta Biswa Sarma : આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમા (Photo - @himantabiswa)
Assam Repeals Muslim Marriage Act : આસામ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યું તેવું દેખાય છે. આસામ રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લેતા મુસ્લિમ મેરેજ એક્ટને નાબૂદ કરી દીધો છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે તેને યુસીસીનું પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે, હવે આસામ પણ તે યાદીમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યું છે.
યુસીસી લાગુ કરવાની દિશામાં આસામ સરકારનું પ્રથમ પગલું
હકીકતમાં, આસામ સરકારે શુક્રવારે એક બેઠક બોલાવી અને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ 1930 નાબૂદ કરી દીધો. હવે રાજ્ય સરકારની દલીલ છે કે બાળ લગ્ન રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાતો માને છે કે તેની અસર વ્યાપક થવાની છે. આને યુસીસીના અમલીકરણ તરફની દિશામાં પ્રથમ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી સરકારે આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ જોરશોરથી ચર્ચા શરૂ થઇ ગઇ છે.
On 23.22024, the Assam cabinet made a significant decision to repeal the age-old Assam Muslim Marriages & Divorces Registration Act. This act contained provisions allowing marriage registration even if the bride and groom had not reached the legal ages of 18 and 21, as required…
— Himanta Biswa Sarma (@himantabiswa) February 23, 2024
જાણકારી માટે તમને જણાવી દઈએ કે બિસ્વા સરકારે થોડા સમય પહેલા એક કમિટી બનાવી હતી. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તે સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામમાં પણ બહુપત્નીત્વ ફરજિયાત નથી. આવી સ્થિતિમાં આ પ્રથાને તોડવા માટે કાયદો બનાવવાની વાત થઈ હતી. હવે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરીને એ દિશામાં એક પગલું ભરવામાં આવ્યું છે.
બહુપત્ની પ્રથાનો અંત
ગમે તે હોય, અહીં સમજવા જેવી વાત એ છે કે હિંદુ મેરેજ એક્ટ 1955ના અમલ પછી હિંદ, બૌદ્ધ અને શીખ સમુદાય બહુપત્નીત્વનો અંત આવ્યો છે. તેવી જ રીતે, ખ્રિસ્તીઓમાં પણ આ પરંપરા ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 હેઠળ નાબૂદ કરવામાં આવી છે. પરંતુ મુસ્લિમ સમુદાયમાં બહુપત્નીત્વ હજુ પણ સામાન્ય છે.
કેટલાક સંગઠનો ચોક્કસપણે આનો ઇનકાર કરે છે અને તેને ધાર્મિક આધારો પરના હુમલા તરીકે જુએ છે. પરંતુ આસામ સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે. અહીંની ભાજપ સરકાર 2026 સુધીમાં બાળ લગ્ન પર નવો કાયદો લાવવાનું પણ વિચારી રહી છે, જે સજા બે વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવશે.
ઉત્તરાખંડમાં યુસીસી લાગુ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/UCC-draft-submitted-in-Uttarakhand-.jpg)
જો આપણે ઉત્તરાખંડ ના યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો તેમાં મુસ્લિમોની સાથે હિંદુઓ માટે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા મુસ્લિમ ધર્મમાં લગ્ન માટે કોઈ વય મર્યાદા ન હતી, જો છોકરો કે છોકરી યોગ્ય જણાય તો તેઓ લગ્ન કરી લેતા. પરંતુ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો હોવાથી લગ્નની ઉંમર નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો | ખેડૂતોની દિલ્હી કૂચ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત, સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત
ઉત્તરાખંડમાં લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. તેવી જ રીતે, પહેલા મુસ્લિમ ધર્મમાં બહુપત્નીત્વની મંજૂરી હતી, પરંતુ યુસીસીના આગમન પછી, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બિલ પસાર કરવામાં આવ્યું છે તેમાં કેટલીક શરતો મૂકવામાં આવી છે. જો પ્રથમ લગ્નમાં છૂટાછેડા ન થયા હોય તો, તમે બીજા લગ્ન કરી શકતા નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us