Assembly Election 2023 : મતદાન વચ્ચે PM મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાશે, સભાઓ સંબોધશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાસે છે. તેઓ આ રાજ્યોમાં જોરદાર રેલીઓ કરશે. આ દરમિયાન તેઓ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. મંગળવારે સાંજે તેઓ તેલંગાણામાં BC આત્મા ગૌરવ સભાને સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાસે છે. તેઓ આ રાજ્યોમાં જોરદાર રેલીઓ કરશે. આ દરમિયાન તેઓ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. મંગળવારે સાંજે તેઓ તેલંગાણામાં BC આત્મા ગૌરવ સભાને સંબોધિત કરશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi | PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (BJP)

Assembly Election 2023, Pm modi Madhya pradesh, chhattisgarh, telangana visit : છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના પ્રવાસે છે. તેઓ આ રાજ્યોમાં જોરદાર રેલીઓ કરશે. આ દરમિયાન તેઓ જાહેર સભાઓને પણ સંબોધિત કરશે. મંગળવારે સાંજે તેઓ તેલંગાણામાં BC આત્મા ગૌરવ સભાને સંબોધિત કરશે.

Advertisment

PM મોદી દિવસની છત્તીસગઢની મુલાકાતે છે

PM મોદી દિવસની શરૂઆત છત્તીસગઢના બિશ્રામપુરથી કરશે. PM અહીં સવારે 11 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. આ પછી તેઓ બપોરે 1:15 વાગ્યે મધ્યપ્રદેશ અને લગભગ 5:30 વાગ્યે હૈદરાબાદ જશે. ગયા મહિને મોદીએ મહબૂબનગર અને નિઝાબાદમાં 1 અને 3 ઓક્ટોબરે રેલીઓ કરી હતી.

તેલંગાણામાં ઓબીસી રેલીને સંબોધિત કરશે

પીએમ મોદી પહેલા અમિત શાહે તેલંગાણામાં રેલી કરી હતી. એક સપ્તાહ પહેલા તેમણે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો તેઓ માત્ર પછાત વર્ગના નેતાને જ મુખ્યમંત્રી બનાવશે. આ પછી જ પીએમ મોદી માટે BC જાહેર સભાનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપે મોટી જાહેરાત કરી છે

શનિવારે આ વિશે માહિતી આપતા સાંસદ કે લક્ષ્મણે કહ્યું હતું કે, 'બીજેપી 7 નવેમ્બરે હૈદરાબાદમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં વિશ્વાસ દર્શાવવા બદલ પીએમ મોદીનો આભાર માનવા માટે એક જાહેર સભાનું આયોજન કરશે. તેમણે વચન આપ્યું છે કે જો તેઓ જીતશે તો તેઓ આ વર્ગના નેતાને મુખ્યમંત્રી બનાવશે.તેલંગાણામાં 3 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે આજે 7 નવેમ્બર 2023ના રોજ મિઝોરમમાં 40 વિધાનસભા સીટો ઉપર 8.57 લાખથી વધારે મતદાતાઓ 174 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો કરશે. જ્યારે છત્તીસઘટમાં પહેલા તબક્કામાં 40 લાખથી વધારે મતદાતાઓ 223 ઉમેદવારોના ભાગ્યને ઈવીએમમાં બંધ કરશે. મતદાન વચ્ચે સુકમામાં આઈઈડી બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે.

ચૂંટણી 2023 વડાપ્રધાન દેશ PM Narendra Modi