Election Result 2023 | ચૂંટણી પરિણામ : ‘ભાજપ સાથે સ્પર્ધા ન કરી શકે કોંગ્રેસ…’ ત્રણ રાજ્યોમાં સત્તા ગુમાવ્યા બાદ હાંસિયામાં ધકેલાઈ ગઈ, જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો પણ ન ચાલ્યો

Assembly Election Result 2023 : વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, ત્રણ રાજ્યમાં ભાજપની જીત (BJP victory) થતા INDIA ગઠબંધન (INDIA alliance) માં કોંગ્રેસ (Congress) નું વર્ચસ્વ ઘટ્યું હોવાની ધારણા શરૂ થઈ ગઈ.

Written by Kiran Mehta
December 04, 2023 12:33 IST
Election Result 2023 | ચૂંટણી પરિણામ : ‘ભાજપ સાથે સ્પર્ધા ન કરી શકે કોંગ્રેસ…’ ત્રણ રાજ્યોમાં સત્તા ગુમાવ્યા બાદ હાંસિયામાં ધકેલાઈ ગઈ, જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો પણ ન ચાલ્યો
ત્રણ રાજ્યોમાં ભાજપની જીત - કોંગ્રેસને જાતિ વસ્તી ગણતરિનો મુદદો પણ કામે ન લાગ્યો

Assembly Election Result 2023 : હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના નબળા પ્રદર્શને તેને INDIA ગઠબંધનમાં હાંસિયામાં ધકેલી દીધી. પાર્ટીને રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવાનો વિશ્વાસ હતો, જ્યારે તે મધ્યપ્રદેશમાં જીતની આશા રાખતી હતી, પરંતુ તે તેની ધારણા કરતાં બિલકુલ ઊલટું થયું. કોંગ્રેસ પાર્ટીની એકમાત્ર સફળતા તેલંગાણામાં રહી, જ્યાં તેણે કેસીઆરના બીઆરએસને સત્તા પરથી હટાવ્યા છે.

આવી સ્થિતિમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હારથી INDIA ગઠબંધનમાં તેની છબી ખરાબ થશે. આ દરમિયાન જનતા દળ યુનાઈટેડ (JDU) ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ મોટું નિવેદન આપ્યું છે. ત્યાગીએ કહ્યું, ‘કોંગ્રેસની હાર એ INDIA ગઠબંધનની હાર નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસ હવે ભાજપ સાથે સ્પર્ધા કરી શકશે નહીં. કોંગ્રેસે આ સિન્ડ્રોમમાંથી બહાર આવવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે, તે સારી વાત છે કે કોંગ્રેસ પહેલાથી જ ઘટક પક્ષોથી પોતાને દૂર કરી ચૂકી છે. ત્યાગીએ કહ્યું, ‘જ્યારે પાક સુકાઈ જાય ત્યારે વરસાદનો શું ફાયદો?’

એનસીપી ચીફ શરદ પવાર પણ સંમત થયા હતા કે, આ નિર્ણયની INDIA ગઠબંધન પર કોઈ અસર નહીં થાય. શરદ પવારે કહ્યું, ‘અમે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેસીશું. અમે એવા લોકો સાથે વાત કરીશું, જેઓ જમીની વાસ્તવિકતા જાણે છે. ત્યારે જ અમે ટિપ્પણી કરી શકીશું. બેઠક બાદ આ અંગે ચર્ચા કરવામાં આવશે.

જોકે, શરદ પવારે તેલંગાણામાં કોંગ્રેસની જીતનો શ્રેય કન્યાકુમારીથી રાહુલ ગાંધીની કાશ્મીર ભારત જોડો યાત્રાની અસરને આપ્યો હતો. એવું પણ જણાવ્યું હતું કે આ પ્રકારનું પરિણામ શરૂઆતથી જ સ્પષ્ટ હતું.

વર્તમાન પરિસ્થિતિને જોતા INDIA ગઠબંધને પણ તેની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે. કારણ કે હિન્દી બેલ્ટમાં કોંગ્રેસની હાર એ પણ સંકેત આપી શકે છે કે, તેમની જાતિ વસ્તી ગણતરીનો મુદ્દો હિન્દી બેલ્ટના મતદારોને આકર્ષ્યો નથી. જ્ઞાતિની વસ્તી ગણતરી કરવા માટેનું દબાણ ભાજપ સામે વિપક્ષના હુમલાનો એક ભાગ છે. જેમણે ભાજપ પર દલિત અને આદિવાસી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ