Assembly Elections Results 2023 : શહેરના લોકોની પાર્ટી હોવાની માન્યતા ભાજપે તોડી, 101માંથી 53 આદિવાસી બેઠકો પર વિજય મેળવ્યો

Assembly Elections Results : ભાજપને લાંબા સમયથી શહેરીજનોનો પક્ષ માનવામાં આવતો હતો. જોકે રવિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભાજપ ગ્રામીણ અને આદિવાસી બેઠકો પર સારો દેખાવ કરી રહી છે

Written by Ashish Goyal
Updated : December 04, 2023 23:43 IST
Assembly Elections Results 2023 : શહેરના લોકોની પાર્ટી હોવાની માન્યતા ભાજપે તોડી, 101માંથી 53 આદિવાસી બેઠકો પર વિજય મેળવ્યો
નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલમાં પીએમ નરેન્દ્ર મોદી (File Pics- FB/PMO)

Assembly Elections Results 2023 : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે જાતિ ગણતરીની માંગ ઉઠાવી હતી અને ‘જીતની આબાદી, ઉતના હક’ ના નારા આપ્યો હતો. આ સૂત્ર કાંશીરામની પંક્તિ ‘જિસકી જીતની સંખ્યા ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી’ થી પ્રભાવિત જણાય છે. કાંશીરામ બીએસપીના સંસ્થાપક હતા અને ડો. આંબેડકર પછી દલિતોના સૌથી મોટા રાજકીય નેતા માનવામાં આવે છે.

ચાર રાજ્યોના પરિણામો રવિવારે (3 ડિસેમ્બર, 2024) જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે ત્રણ રાજ્યો (મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન)માં જીત મેળવી છે. તેલંગાણામાં કોંગ્રેસ પ્રથમ વખત સરકાર બનાવવા જઈ રહી છે. જે ત્રણ રાજ્યોમાં ભાજપ જીત્યું છે ત્યાં ઓબીસીની સંખ્યા (જોકે OBCના કોઈ સત્તાવાર ડેટા ઉપલબ્ધ નથી) નિર્ણાયક માનવામાં આવે છે. પરંતુ કોંગ્રેસને ‘જાતિ ગણતરી’ની માંગણીનો લાભ મળ્યો નથી.

કોંગ્રેસે પોતાના ઈતિહાસથી વિપરીત વિધાનસભા ચૂંટણી દરમિયાન ‘સામાજિક ન્યાય’ની રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાને દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોના હિમાયતી તરીકે ગણાવતા ભાજપ પર વંચિતોની ઉપેક્ષા કરવાનો આરોપ મૂક્યો હતો. જોકે આ પ્રયાસમાં કોંગ્રેસને રાજકીય સફળતા મળી નથી. તેનાથી વિપરિત, ભાજપે દલિત અને આદિવાસીઓ માટે અનામત બેઠકો પર કોંગ્રેસ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.

આદિવાસી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનું પ્રદર્શન

છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં આદિવાસી સમુદાય (ST) ઉમેદવારો માટે 76 બેઠકો અનામત છે. આ ચૂંટણીમાં ભાજપ 76માંથી 41 બેઠકો જીતવામાં સફળ રહી છે. 2018માં આ આંકડો 19 હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બીજેપી હેડક્વાર્ટર (દિલ્હી) ખાતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની હારમાં આદિવાસી સમુદાયે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ ફરી એકવાર મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની વિરુદ્ધ પોતાનો જનાદેશ આપ્યો છે.

આ પણ વાંચો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના 519 ધારાસભ્યોમાંથી માત્ર 13 ટકા જ મહિલા

ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે છત્તીસગઢની 29 ST બેઠકોમાંથી ભાજપે 17 પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 11 પર જીત મેળવી છે. મધ્ય પ્રદેશની 47 ST બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસ 22 બેઠકો જીતવામાં સફળ રહી છે.

રાજસ્થાનમાં આદિવાસી સમુદાયના ઉમેદવારો માટે 25 બેઠકો અનામત છે, જેમાંથી ભાજપે 12, કોંગ્રેસે 10 અને ત્રણ બેઠકો પર અન્યએ જીતી મેળવી છે. જોકે તેલંગાણામાં એસટીની 12 સીટોમાંથી નવ કોંગ્રેસને ગઈ છે અને ત્રણ બીઆરએસે જીતી છે.

2018ની વિધાનસભા ચૂંટણીમાં ST બેઠકો પર સ્થિતિ અલગ હતી. કોંગ્રેસે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સારા માર્જિનથી જીત મેળવી હતી. કોંગ્રેસે છત્તીસગઢની 29 ST બેઠકોમાંથી 25, મધ્ય પ્રદેશની 47 ST બેઠકોમાંથી 31 અને રાજસ્થાનની 25 ST બેઠકોમાંથી 12 પર જીત મેળવી હતી.

2018 અને 2023માં કેવું હતું પ્રદર્શન

રાજ્ય બીજેપી કોંગ્રેસ બીઆરએસ અન્ય
છત્તીસગઢ 17 11 0 1
મધ્ય પ્રદેશ 24 22 0 1
રાજસ્થાન 12 10 0 3
તેલંગાણા 0 9 3 0
કુલ 53 52 3 5
2023 માં આદિવાસી બેઠકો પર પ્રદર્શન

રાજ્ય બીજેપી કોંગ્રેસ બીઆરએસ અન્ય
છત્તીસગઢ 3 25 0 1
મધ્ય પ્રદેશ 16 30 0 1
રાજસ્થાન 9 12 0 4
તેલંગાણા 0 5 5 2
કુલ 28 72 5 8
2018માં આદિવાસી બેઠકો પર પ્રદર્શન

2018 વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ એમપી અને છત્તીસગઢમાં આદિવાસીઓમાં બીજેપીના સમર્થનમાં વધારો થયો છે. મધ્ય પ્રદેશની આદિવાસી બેઠકો પર થયેલા કુલ મતોમાંથી ભાજપને 46 ટકા અને કોંગ્રેસને 42.9 ટકા મત મળ્યા છે. ST બેઠકો પર ભાજપની મત ટકાવારી 7.1 ટકા વધી છે અને કોંગ્રેસની મત ટકાવારી 0.1 ટકા ઘટી છે.

છત્તીસગઢની આદિવાસી બેઠકો પર થયેલા કુલ મતોમાંથી ભાજપને 43.3 ટકા અને કોંગ્રેસને 41.7 ટકા મત મળ્યા છે. ST બેઠકો પર ભાજપની મત ટકાવારી 11 ટકા વધી છે અને કોંગ્રેસની મત ટકાવારી 3.4 ટકા ઘટી છે.

રાજસ્થાનના આંકડા થોડા અલગ છે. ST બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંનેના મતો ઘટ્યા છે. રાજસ્થાનની આદિવાસી બેઠકો પર થયેલા કુલ મતોમાંથી ભાજપને 38.5 ટકા અને કોંગ્રેસને 35.4 ટકા મત મળ્યા છે. ST બેઠકો પર ભાજપની મત ટકાવારી 0.2 ટકા અને કોંગ્રેસની મત ટકાવારી 4.3 ટકા ઘટી છે.

તેલંગાણામાં આદિવાસી બેઠકો પર પણ કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે. તેલંગાણાની આદિવાસી બેઠકો પર થયેલા કુલ મતોમાંથી કોંગ્રેસને 48.3 ટકા અને ભાજપને 36.2 ટકા મત મળ્યા છે. ST બેઠકો પર કોંગ્રેસની મત ટકાવારી 12.3 ટકા વધી છે અને ભાજપની મત ટકાવારી 5.4 ટકા ઘટી છે.

આવું કેમ થયું?

ભાજપે 2014 થી દરેક ચૂંટણીમાં આદિવાસી સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂકમાં પણ એક સંદેશ હતો. પીએમ મોદીએ ચૂંટણી વચ્ચે ઝારખંડમાં આદિવાસી યોદ્ધા બિરસા મુંડાના ગામની મુલાકાત લીધી હતી. આદિવાસીઓને સંકેત આપવાનો આ પણ એક માર્ગ હતો.

પ્રતીકવાદ ઉપરાંત, કેન્દ્રએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને મોડેલ ગામોના નિર્માણ જેવા વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજેપીને એ શ્રેય આપવો પડશે કે જ્યારે આદિવાસીઓમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) ના વિરોધનો સામનો કરવો પડ્યો, ત્યારે તે તેમના ગુસ્સાને શાંત કરવા માટે તરત જ પગલા પાછા ખેંચવામાં આવ્યા હતા. આ ઉપરાંત છત્તીસગઢમાં ધર્મ પરિવર્તન અને અત્યાચારની ઘટનાઓને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીને પોતાની તરફેણમાં લેવા માટે એસટી સમુદાય પર ગણતરી કરી રહી હતી. તમને યાદ હશે કે જ્યારે એક આદિવાસી પર પેશાબ કરવાની ઘટના સામે આવી ત્યારે કોંગ્રેસે તેને સ્વાભિમાનના ભંગ સાથે જોડ્યો હતો. તેમણે આદિવાસીઓ માટે કલ્યાણના વચનો પણ આપ્યા હતા. આમ છતાં આદિવાસીઓએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ