અયોધ્યા રામ મંદિરને સાકાર કરવામાં મુખ્ય શિલ્પકાર બન્યા બ્યુરોક્રેટ નૃપેન્દ્ર મિશ્રા, પીએમ મોદીએ સોંપી હતી જવાબદારી

Ayodhya Ram Mandir Architect Nripendra Misra : જાન્યુઆરી 2020માં વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે રાજીનામું આપ્યાના છ મહિના પછી, નૃપેન્દ્ર મિશ્રાને નેહરુ મેમોરિયલ (PMML)ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Ayodhya Ram Mandir Architect Nripendra Misra : જાન્યુઆરી 2020માં વડા પ્રધાનના મુખ્ય સચિવ તરીકે રાજીનામું આપ્યાના છ મહિના પછી, નૃપેન્દ્ર મિશ્રાને નેહરુ મેમોરિયલ (PMML)ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Nripendra Misra | Ayodhya Ram Mandir Architect | ayodhya ram mandir | ayodhya ram temple | Nripendra Misra Ayodhya Ram Mandir

નૃપેન્દ્ર મિશ્રા, અયોધ્યા રામ મંદિરના ચીફ આર્કિટેક ઓફિસર (Express Photo)

Ayodhya Ram Mandir Architect Nripendra Misra: દેશના ટોચના બ્યૂરોક્રેટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના સિનિયર અધિકાર તરીકે કામગીરી કરનાર નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા રામ મંદિર નિર્માણની જવાબદારી લેતા પહેલા તેઓ આ મહત્વપૂર્ણ કામગીરીથી સંપૂર્ણપણે અજાણ હતા. ફેબ્રુઆરી 2020 સુધી, જ્યારે તેમણે આ કાર્યની જવાબદારી ઉપાડવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેઓ આ કાર્ય સાથે સંકળાયેલી જવાબદારીઓથી વાકેફ ન હતા. ન તો તેઓ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર અથવા સલાહકારથી પરિચિત હતા કે ન તો તે તેના માસ્ટર પ્લાનથી વાકેફ હતા. તેમને રામ મંદિર સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ વિશે પણ ખબર ન હતી.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માટે ભાજપ અને સંઘ પરિવારની સૌથી મહત્વપૂર્ણ યોજનામાંથી એક માટે મિશ્રાની પસંદગી કરવા માટે સિવિલ એન્જિનિયરિંગની નિપૃણતા કે મંદિર નિર્માણ અને અનુષ્ઠાનોના જાણકારી હોવી ચોક્કસપણે જરૂરી ન હતી.

Ram Mandir Ceremony Live Updates, ram mandir opening, ayodhya news
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઇવ

આખરે, મિશ્રાએ 2014-19થી મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન પીએમના મુખ્ય સચિવ તરીકે પાંચ વર્ષ સુધી મિશ્રા સાથે નજીકથી કામ કર્યું હતું. મે 2014માં, મિશ્રાને નવા વડાપ્રધાનને સમજવા, તેમની રાજનીતિને નીતિમાં ભાષાંતર કરવા, લ્યુટિયન્સ દિલ્હીના ઘણા રાઉન્ડ ટેબલ મિટિંગનું આયોજન કરવામાં અને રાયસીના હિલથી વિશાળ સરકારી મશીનરીનું સંચાલન કરવા માટે શ્રેષ્ઠ અમલદાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હેઠળની બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે મિશ્રાની નિમણૂકને મંજૂરી આપવા માટે મોદીને પ્રેરિત કરતી લાક્ષણિકતાઓનું વર્ણન કરતાં, એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, “તેઓ તેમના સાથીદારો પર વિશ્વાસ રાખે છે, તેમને તેમના વિચારો સાથે સ્પષ્ટ રહેવા માટે સશક્ત બનાવે છે અને એક નેતા છે જે પ્રેરણા આપે છે. તેઓ ઝડપથી નિર્ણય લે છે અને સમયસર કામ કરે છે. "સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ વડાપ્રધાનની અપેક્ષાઓ વિશે જણાવી શકે છે અને એ પણ વ્યક્ત કરી શકે છે કે વડાપ્રધાન કોઈ ચોક્કસ વિચાર વિશે શું વિચારશે."

Advertisment

'હું દેશને નિષ્ફળ કરવા માંગતો નથી'

જાન્યુઆરી 2020માં પીએમના ચીફ ઓફિસરના પદેથી રાજીનામું આપ્યાના છ મહિના બાદ, મિશ્રાને નેહરુ મેમોરિયલ (જેને હવે વડાપ્રધાન મંત્રાલય અને પુસ્તકાલય સોસાયટી, પીએમએમએલ કહેવામાં આવે છે)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

પીએમએમએલ પ્રમુખ તરીકે તેમની નિમણૂકના લગભગ એક મહિના પછી, તેમણે PMOમાં તેમના અનુગામી પીકે મિશ્રાને કહ્યું કે તેમને "કંઈક બીજું" ગમે છે. તેમના મનમાં બે પદ હતા - ગવર્નરશીપ અથવા રામ મંદિર નિર્માણ સમિતિનું અધ્યક્ષપદ, સુપ્રીમ કોર્ટના નવેમ્બર 2019ના ચુકાદામાં પરિકલ્પના મુજબ. આનાથી ચોંકી ઉઠેલા અમિત શાહ કે જેઓ મોદીની કેબિનેટમાં તેમના બીજા કાર્યકાળમાં ગૃહમંત્રી તરીકે સામેલ થયા હતા, તેમણે મિશ્રાને ફોન પણ કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાનની મંજુરી મળી હતી.

આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિર ઉપરાંત આ સ્થળે પૂજા – દર્શન કરવા ભક્તોનું ધસારો, જાણો કેમ અને તેનું મહત્વ

પછીના મહિનાઓ અને વર્ષોમાં જેવી જ મિશ્રાને નોકરી મળી, તેમને રાજકીય તાકીદ અને લોકોની અપેક્ષાઓનું વજન લાગ્યું હતુ. એક સમયે જ્યાં બાબરી મસ્જિદ ઉભી હતી તે જગ્યા પર રામ મંદિર બનાવવાની લગભગ 500 વર્ષથી હિન્દુઓના એક વર્ગની માંગ છે. તે ભાજપ દ્વારા અપનાવવામાં આવેલ એક મહત્વપૂર્ણ સામાજિક-રાજકીય અને ધાર્મિક પ્રોજેક્ટ પણ છે, જેણે 2014માં સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર પરત ફરવામાં મદદ કરી. 9 નવેમ્બર, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે, મંદિર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો. 2024ની સામાન્ય ચૂંટણી પહેલા તેને પૂર્ણ કરવું ફરજિયાત છે.

Ayodhya PM Narendra Modi ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ રામ મંદિર