પ્રભુ રામની કૃપાથી આ બે કંપનીના રોકાણકારો થયા માલામાલ, શેરમાં 400 ટકાનો બમ્પર ઉછાળો

Ayodhya Ram Mandir Construction Companies: અયોધ્યા રામ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલી બે કંપનીઓના શેરમાં રોકાણકારોને 400 ટકા સુધીનું જંગી રિટર્ન મળ્યુ છે, જેમાં એક ગુજરાતની કંપની છે.

Ayodhya Ram Mandir Construction Companies: અયોધ્યા રામ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલી બે કંપનીઓના શેરમાં રોકાણકારોને 400 ટકા સુધીનું જંગી રિટર્ન મળ્યુ છે, જેમાં એક ગુજરાતની કંપની છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
રામના પરમ ભક્ત પણ મંદિર નથી જોઇતું, ભયંકર પીડા સહન કરી જીભથી લઇ પાંપણ સુધી રામ નામનું ટેટૂ, જાણો કોણ છે રામનામી સંપ્રદાય

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા - express photo

Ayodhya Ram Mandir Construction Companies: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. મંદિરનું નિર્માણ કાર્ય દિવસ-રાત તેજ ગતિએ ચાલી રહ્યું છે અને બાંધકામ કરનાર કંપની તેને વહેલી તકે પૂર્ણ કરવા પ્રયાસ કરી રહી છે. રામ મંદિર બનાવવાનું કામ દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની એલ એન્ડ ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. મંદિરના નિર્માણની શરૂઆતથી, આ કંપનીના શેરની કિંમત દરરોજ નવી ઊંચી સપાટીને સ્પર્શી રહી છે.

Advertisment

L&Tના શેરમાં 275 ટકાનો ઉછાળો

સૌથી પહેલા વાત કરીએ L&T (Larsen and Toubro Ltd)ના શેર વિશે. છેલ્લા કેટલાક સપ્તાહથી શેરબજારમાં તેજી ચાલી રહી છે. પરંતુ રામ મંદિરનું નિર્માણ કાર્ય 5 ઓગસ્ટ 2020થી શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 12 જાન્યુઆરી 2024 સુધી આ કંપનીના શેરમાં રોકાણકારોને અધધધ… 277 ટકાનું રિટર્ન આપ્યું છે.

Share Market Outlook | Share Market Outlook 2024 | Stock Market Outlook 2024 | Sensex Nifty Outlook 2024
વર્ષ 2024 માટેનું સ્ટોક માર્કેટ આઉટલૂક (Photo - Freepik)

41 મહિના પહેલા 5 ઓગસ્ટ 20220ના રોજ એલએન્ડટી શેરનો ભાવ 2100 રૂપિયા હતો, જે હાલ વધીને 3568 રૂપિયા થયો છે. એટલે કે આ કંપનીના શેરમાં રોકાણ કરનાર ઇન્વેસ્ટર્સને જંગી કમાણી થઇ છે.

આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ ઘરે બેઠા ફ્રી મંગાવો, જાણો કેવી રીતે કરવું ઓનલાઇન બુકિંગ

Advertisment

ટેન્ટ સિટી બનાવનાર પ્રવેગના શેરમાં તોફાની તેજી

અયોધ્યામાં ટેન્ટ સિટી બનાવી રહેલી ગુજરાતી કંપની પ્રવેગની વાત કરીએ તો આ કંપનીનો શેર 30 ડિસેમ્બર, 2022ના રોજ રૂ. 240 હતો. આ કંપનીના શેર એક વર્ષમાં 390 ટકા વધ્યા છે. આ કંપનીના શેરનો ભાવ 12 જાન્યુઆરી, 2024ના રોજ 1129 રૂપિયા હતો.

Ayodhya રામ મંદિર ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment શેર બજાર