અયોધ્યામાં 100 કરોડના ખર્ચે બનશે કમળ આકારનો ફુવારો, રામ મંદિરની ભવ્યતામાં લાગશે ચાર ચાંદ, જાણો ખાસિયતો

રામ મંદિર અયોધ્યા : ફુવારાની ડિઝાઈનમાં હિંદુ ધર્મની સાત પવિત્ર નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, નર્મદા, ગોદાવરી અને કાવેરીના પ્રતિક રૂપે કમળથી પ્રેરિત સાત પાંખડીઓ સામેલ હશે

રામ મંદિર અયોધ્યા : ફુવારાની ડિઝાઈનમાં હિંદુ ધર્મની સાત પવિત્ર નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, નર્મદા, ગોદાવરી અને કાવેરીના પ્રતિક રૂપે કમળથી પ્રેરિત સાત પાંખડીઓ સામેલ હશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ram Mandir | Ayodhya Ram Mandir

અયોધ્યા રામ મંદિરમાં નિર્માણકાર્ય ચાલી રહ્યું છે (ફોટો સ્ત્રોત: @ShriRamTeerth)

Ayodhya Ram Mandir : ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યામાં બની રહેલા રામ મંદિર સંકુલ પાસે 100 કરોડ રૂપિયાના મલ્ટીમીડિયા શો ફાઉન્ટેન લગાવવાની યોજના લઈને આવી છે. આ ફુવારો કમળના ફૂલની ડિઝાઇનનો હશે. એમ્ફીથિયેટર સ્ટાઇલની બેઠક વ્યવસ્થામાં એક સાથે 25 હજાર જેટલા લોકો આ મેગા ફાઉન્ટેનની મજા માણી શકશે. આ ફુવારો 50 મીટર ઉપર સુધી પાણી ફેંકશે. આ દેશમાં આ પ્રકારનો એક અનોખો ફુવારો હશે.

Advertisment

જોકે આ ફુવારો રામ મંદિરના ઉદ્ઘાટન સમયે તૈયાર નહીં થાય, કારણ કે હાલ આ પ્રસ્તાવ પર કામ ચાલી રહ્યું છે. યોગી સરકારે આ માટે જમીનની ઓળખ કરી છે. ગુપ્તાર ઘાટથી નયા ઘાટ સુધી 20 એકરમાં કમળ આકારનો ફુવારો બનાવવાની યોજના છે. વિશ્વની સૌથી મોટી એજન્સીઓ/કંપનીઓએ હજુ સુધી બોલી લગાવવાની બાકી છે. અયોધ્યા પ્રશાસનને આશા છે કે તે એકથી દોઢ વર્ષમાં તૈયાર થઈ જશે. આ ફુવારા પરિસરમાં સાચા અર્થમાં દિવ્ય અને ભવ્ય હશે જે રામ મંદિરની સાથે અયોધ્યાને પણ શણગારશે.

અયોધ્યાના ડીએમએ શું કહ્યું?

અયોધ્યાના ડીએમ નીતિશ કુમારના જણાવ્યા મુજબ આ ફુવારો પોતાનામાં જ અનોખો હશે અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ અને પર્યટકોને આકર્ષિત કરશે. મંદિરથી તેનું અંતર લગભગ દોઢ કિલોમીટર હશે. આ ભવ્ય ફાઉન્ટેન માટેની દરખાસ્ત નક્કી થઈ ચૂકી છે પરંતુ તે હજુ કાગળોમાંથી બહાર આવીને જમીન પર ઊતરવાનું બાકી છે. આ માટેની બિડિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ફુવારાનો હેતુ શું છે?

આ ફુવારાનો હેતુ મંદિરના આ ભાગને પ્રતીક્ષા ક્ષેત્રમાંથી આધ્યાત્મિક પ્રેરણાની એક તાજા અને આરામદાયક સ્થાનમાં ફેરવવાનો છે, જે એક રીતે મંદિરને પૂરક બનાવે છે. તે ભગવાન રામની મહાકાવ્ય કહાની કહેવા માટે એક યોગ્ય સ્થળ તરીકે પણ કામ કરશે, જે યાત્રાળુઓ અને પ્રવાસીઓ બંનેને અવિસ્મરણીય અનુભવ આપશે. તેનો હેતુ એક જાદુઈ સ્થળ બનાવવાનો છે જ્યાં જળ તત્વ મુલાકાતીઓને શાંત થવાની, પ્રાર્થના કરવાની અને એકસાથે આવવાની તક આપશે.

Advertisment

આ પણ વાંચો - RSS : લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણના મુદ્દાઓ પર કેવી રીતે કામ કરાશે? મોહન ભાગવતે બનાવી રણનીતિ

દસ્તાવેજોમાં જણાવાયું છે કે મલ્ટિમીડિયા શો ફાઉન્ટેનને શાંતિ અને આત્મનિરીક્ષણના અભયારણ્ય શ્રી રામ મંદિરની શાંત દાયરામાં તેનું સ્થાન મળ્યું છે. આ ફુવારાનો હેતુ રામ મંદિર સંકુલમાં માત્ર એક સુંદર સ્થળ હોવા કરતાં વધુ છે. હકીકતમાં તે મંદિરની નૈતિકતાને વધારવાનું કામ કરે છે અને મંદિરમાંથી ઉદભવતી સમાન શાંતિ અને સુલેહનું પ્રતીક છે.

ફુવારાની ડિઝાઇન શું રેખાંકિત કરે છે?

ફુવારાની ડિઝાઇન કમળના ફૂલ જેવી હશે, જે ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે અને ભાજપનું ચૂંટણી ચિહ્ન પણ છે અને ભારતીય સંસ્કૃતિ સાથે મેળ ખાય છે. ફુવારાની ડિઝાઇનમાં હિંદુ ધર્મની સાત પવિત્ર નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, નર્મદા, ગોદાવરી અને કાવેરીના પ્રતીક રૂપે કમળથી પ્રેરિત સાત પાંખડીઓનો સમાવેશ થાય છે. દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, ફુવારામાં કેન્દ્રીય ફૂલની રચના કરનારી સાત પાંખડીઓ ભગવાન રામનું પ્રતીક છે, જે ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે.

ફુવારાના તમામ 7 દ્વાર હિન્દુ ધર્મની સાત પવિત્ર નદીઓના પ્રતિક

ફુવારાના તમામ 7 પ્રવેશદ્વાર હિન્દુ ધર્મની સાત પવિત્ર નદીઓનું પ્રતીક હશે. મુલાકાતીઓને બેસવા માટે ફુવારાની આસપાસ ઉપલબ્ધ એમ્ફિથિયેટરને સાત ભાગોમાં વહેંચવામાં આવશે. તમામ પ્રવેશદ્વારોની વચ્ચે બેસવાની જગ્યા ભારતની દૈવી ભૂમિનું પ્રતીક છે, જેમાંથી પવિત્ર નદીઓ પસાર થાય છે.આ ફુવારો કમળ આકારની પાંખડીઓના ત્રણ સ્તરોમાંથી બનવા જઈ રહ્યો છે. દરેક સ્તરની પાંખડીઓની ઉપર સ્પ્રેથી પાણીના વિશાળ વાદળો સર્જાશે, જે ફુવારાને શાહી રૂપ આપશે. પાંખડીઓની બાજુઓ પર વહેતું પાણી ટેરેસ્ડ ધોધ બનાવશે.

ફુવારો દર્શકોને એક અલગ અનુભવ આપશે

ફુવારો પ્રેક્ષકોને અલગ-અલગ અનુભવ કરાવશે. દિવસ દરમિયાન અનેક પગથિયાંવાળા ધોધ જેવું રહેશે, જે તાજગી અને શાંતિનો અહેસાસ કરાવશે. સાંજ પછી તે એક વિશાળ મંચમાં રૂપાંતરિત કરવામાં આવશે અને શો દરમિયાન રામાયણની દુનિયાનો અનુભવ કરાવશે. સેન્ટ્રલ પૂલ એ સમગ્ર સંકુલનું કેન્દ્રબિંદુ છે એમ દસ્તાવેજમાં જણાવાયું હતું. તેનો વ્યાસ 100 મીટર છે. અહીં પાણી, લાઈટ અને અવાજને જોડીને મલ્ટીમીડિયા શો કરવામાં આવશે.

આ પૂલના 7 પ્રવેશદ્વારો પર પાણીની ટનલ હશે, જે લોકોને તેમના મનમોહક આકર્ષણ સાથે સેન્ટ્રલ પૂલ તરફ આકર્ષિત કરશે. પાણી, પ્રકાશ અને આર્કિટેક્ચરલ ડિઝાઇનની ક્રિયાપ્રતિક્રિયા તેને આગમન પછી માત્ર એક મનોહર યાત્રામાં ફેરવશે, જે ફુવારાની અંદર એક અવિસ્મરણીય અનુભવ માટે વાતાવરણનું નિર્માણ કરશે. ખાસ કરીને રાત્રી દરમિયાન પાણીની ટનલ મનમોહક આકર્ષણનું પ્રતિક બની રહેશે, જે મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કરશે.

રામ મંદિર ઉત્તર પ્રદેશ દેશ