રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં યજમાન બનશે આ કપલ, દેશભરમાં 15 જોડીઓની પસંદગી કરી

Ram Mandir Ayodhya : 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેર અને મંદિરને ફૂલો અને દીવાઓથી શણગારવામાં આવ્યા છે

Ram Mandir Ayodhya : 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેર અને મંદિરને ફૂલો અને દીવાઓથી શણગારવામાં આવ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ram Mandir Prasad: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં મહેમાનોને ખાસ પ્રસાદ અપાશે, જાણો પ્રસાદમ્ ની ખાસિયતો

અયોધ્યા રામ મંદિર (VHP)

Ram Mandir Ayodhya : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. 22 જાન્યુઆરીએ યોજાનાર આ સમારોહ માટે અયોધ્યા શહેર અને મંદિરને ફૂલો અને દીવાઓથી શણગારવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે 6000થી વધુ ખાસ મહેમાનો પણ સામેલ થશે. ગુજરાતમાં ગોધરા ટ્રેનમાં લાગેલી આગમાં માર્યા ગયેલા 19 કારસેવકોના પરિવારજનો પણ આ સમારોહમાં હાજરી આપશે. આ સિવાય સોમવારે દેશભરમાંથી વિવિધ જાતિઓ અને વર્ગોના 15 યુગલો પણ અયોધ્યામાં રામલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન યજમાનની ફરજ નિભાવશે.

Advertisment

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શનિવારે 14 નામોની યાદી શેર કરતા કહ્યું હતું કે અન્ય ઘણા નામોની જાહેરાત પછીથી કરવામાં આવશે. આ દંપતિઓમાં દલિત, આદિવાસી, ઓબીસી અને અન્ય જાતિઓનો સામેલ હશે. યજમાનના રૂપમાં આ દંપતિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં રામ મંદિર અભિષેક સમારોહ દરમિયાન વિધિ કરશે.

14 નામોની યાદીમાં આરએસએસ સાથે જોડાયેલા વનવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ રામચંદ્ર ખરાડીનો પણ સમાવેશ થાય છે. આદિવાસી સમાજમાંથી આવતા ખરાડી ઉદયપુરના વતની છે. ત્રણ યજમાન પીએમ નરેન્દ્ર મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીના છે. જેમાં કાશીના ડોમ રાજા અનિલ ચૌધરીનો પણ સમાવેશ થાય છે. વારાણસીના મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર પેઢીઓથી ચિતા સળગાવવાની જવાબદારી ડોમોની રહી છે. તેઓ પોતાને સુપ્રસિદ્ધ રાજા કાલુ ડોમની વિરાસતના ઉત્તરાધિકારી હોવાનો દાવો પણ કરે છે.

આ પણ વાંચો - શ્રીરામે વનવાસ અંતર્ગત ખાધેલા ફળના આ છે ફાયદા

વારાણસીના કૈલાસ યાદવ અને કવિન્દર પ્રતાપ સિંહ અન્ય બે નામ છે. આ યાદીમાં સામેલ અન્ય નામોમાં આસામના રામ કુઈ જેમી, સરદાર ગુરુ ચરણસિંહ ગિલ (જયપુર), કૃષ્ણ મોહન (હરદોઈ, રવિદાસી સમાજથી), રમેશ જૈન (મુલતાની), અદલારસન (તમિલનાડુ), વિઠ્ઠલરાવ કાંબલે (મુંબઈ), મહાદેવ રાવ ગાયકવાડ (લાતુર, વિચરતી સોસાયટી ટ્રસ્ટી), લિંગરાજ વાસવરાજ અપ્પા (કલબુર્ગી), દિલીપ વાલ્મીકિ (લખનઉ) અને અરુણ ચૌધરી (પલવલ)નો સમાવેશ થાય છે.

Advertisment

આરએસએસ નેતા અનિલ મિશ્રા સંગઠનની અવધ શાખાના સદસ્ય અને તેમના પત્ની ઉષા પ્રધાન મુખ્ય યજમાન છે, જે અભિષેક સમારોહ પહેલા વિધિ કરશે. અનિલ મિશ્રા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના 15 ટ્રસ્ટીઓમાંથી એક છે, જેની રચના 2020માં નિર્માણની દેખરેખ માટે કરવામાં આવી હતી.

Ayodhya રામ મંદિર ઉત્તર પ્રદેશ દેશ PM Narendra Modi