/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/lord-ram-first-look.jpg)
રામલલાની પહેલી ઝલક
Ayodhya Ram Mandir Ramlala Idol Latest Photo: અયોધઅયા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની પહેલી તસવીર સામે આવી છે. આ મૂર્તિમાં રામ ભગવાનની અનોખી આભાનો અનુભવ થાય છે. ભગવાન રામની આ મૂર્તિ બાળપણના સમયની છે. આ મૂર્તિની કોતરણી અત્યંત સુંદર અને આકર્ષક છે. શ્યામ વર્ણની રામજીની મૂર્તિ જોઈને દેશભરના તમામ લોકો ઉત્સાહિત થઈ ગયા છે. આ રામ મૂર્તિનું 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ayodhya-Ram-Mandir-Ram-Lala-Idol.jpg)
અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ તેજ કરવામાં આવી છે. તે દિવસે હજારો મહેમાનો અયોધ્યા આવવાના છે, રાજકારણથી લઈને રમત જગતના ઘણા મોટા ચહેરાઓ પણ રામ મંદિર ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહેશે. તે દિવસે રામ મંદિરમાં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ જાહેર જનતા માટે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે.
First glimpse of Ram Lalla's idol that will be installed inside the garbha griha of Ram Mandir in Ayodhya.
The old idol of Ram Lalla will be placed along with the new idol of Ram Lalla on 22nd January.
Jai Shri Ram. pic.twitter.com/CjuGRJsAAR— Anshul Saxena (@AskAnshul) January 19, 2024
અયોધ્યા રામ મંદિરની મૂર્તિ કોણ બનાવી છે?
તમને જણાવી દઇયે કે, અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આ સુંદર પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. કર્ણાટકના રહેવાસી અરુણ ઘણા વર્ષોથી મૂર્તિઓ બનાવી રહ્યા છે, તેમની પાંચ પેઢીઓએ આ પરંપરાને આગળ ધપાવવાનું કામ કર્યું છે. હાલમાં અરુણ યોગીરાજને દેશના સૌથી લોકપ્રિય શિલ્પકારોમાં પણ ગણવામાં આવે છે, ખુદ પીએમ મોદીએ તેમના વખાણ કર્યા છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રામલલાની મૂર્તિ બુધવારે રામ મંદિર ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. કારીગરોની લગભગ ચાર કલાકની મહેનત બાદ આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. કહેવામાં આવ્યું કે સૌથી પહેલા રામ લલ્લાની મૂર્તિની અન્નવાસ, ફળવાસ અને જળવાસની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ બાકીની પ્રક્રિયા વિધિ વિધાન પૂર્વક પૂર્ણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરમાં 14 સુવર્ણ દ્વાર સ્થાપિત; જાણો રામ લલ્લાના દરબારની 20 ખાસિયતો
22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાનો અભિષેક થશે
રામલલાના જીવનને 22 જાન્યુઆરીએ પવિત્ર કરવામાં આવશે. આ દિવસે શુભ સમય બપોરે 12.30 થી 1 વાગ્યા સુધીનો છે. આ દરમિયાન રામલલાની મૂર્તિને અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત કુલ 5 લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us